AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માતા Vaishno Devi મંદિર પરિસરમાં લાગી ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ

જમ્મુના કટરામાં આવેલા માતા વૈષ્ણો દેવી(Vaishno Devi)  મંદિર સંકુલમાં આગ(Fire)  લાગવાની ઘટના સામે આવી છે. જેમાં મંદિર પરિસરમાં આવેલા કાલિકા ભવન પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ ફાટી નીકળી હતી. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.

માતા Vaishno Devi મંદિર પરિસરમાં લાગી ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ
માતા Vaishno Devi મંદિર પરિસરમાં લાગી ભીષણ આગ
| Updated on: Jun 08, 2021 | 6:25 PM
Share

જમ્મુના કટરામાં આવેલા માતા વૈષ્ણો દેવી(Vaishno Devi)  મંદિર સંકુલમાં આગ(Fire)  લાગવાની ઘટના સામે આવી છે. જેમાં મંદિર પરિસરમાં આવેલા કાલિકા ભવન પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ ફાટી નીકળી હતી. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આ અહેવાલ એક સમાચાર એજન્સીના હવાલેથી આવ્યા  છે.

પ્રાકૃતિક ગુફાથી  અંતર લગભગ સો મીટર

અહેવાલો અનુસાર જ્યાંથી આગ લાગી ત્યાંથી પ્રાકૃતિક ગુફાથી  અંતર લગભગ સો મીટર છે. ભૈરો ઘાટી  સુધી અગ્નિની જ્વાળાઓ દેખાય છે. વીઆઇપી ફાટક પાસેના કાઉન્ટિગ  હોલમાં શોર્ટ સર્કિટને કારણે આગ શરૂ થઈ હોવાનું કહેવાય છે. ટૂંક સમયમાં આગએ એક ભયંકર રૂપ ધારણ કર્યું.

કાઉન્ટર સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગયું

માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓએ જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવામાં આવી છે. આગને કારણે પરિસરમાં હાજર એક કાઉન્ટર સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગયું છે. દર મહિને લાખો શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીના દર્શન માટે પહોંચે છે. જો કે, સદભાગ્યે, આ ઘટના કોરોના સાથે વ્યવહાર કરવાના પ્રતિબંધો દરમિયાન બની હતી.

વૈષ્ણો દેવી મંદિર સંકુલની સાથે મોટી સંખ્યામાં ઇમારતો બનાવવામાં આવી રહી છે 

જેના લીધે ત્યાં ઘણા લોકો હાજર ન હતા. જો આ બનાવ સામાન્ય દિવસોમાં બન્યો હોત તો ભક્તોમાં નાસભાગ મચી જવા જેવી અનિચ્છનીય ઘટનાઓ બની હોત. વૈષ્ણો દેવી મંદિર સંકુલની સાથે મોટી સંખ્યામાં ઇમારતો બનાવવામાં આવી છે, જેમાં ભક્તોના રોકાણ, ભોજન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આગ  હાલ કાબૂમાં લેવામાં આવી

આ ઘટનાને લઇને જમ્મુ-કાશ્મીરથી આવતા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે થોડા સમય પહેલા વૈષ્ણો દેવીમાં આગ લાગી હતી પરંતુ હાલમાં તેને કાબૂમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આપણે આગામી કેટલાક કલાકો સુધી તેની નજર રાખવી પડશે.

g clip-path="url(#clip0_868_265)">