બોલિવૂડના જાણીતા (Bollywood Actor) અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) તાજેતરમાં જ આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવને (Lalu Prasad Yadav) તેમના ઘરે મળ્યા હતા. વાસ્તવમાં, આ બેઠક લાલુ પ્રસાદ યાદવના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે હતી. મનોજ બાજપેયીએ પણ તેમના ઘરે ચા પીધી અને લાંબા સમય સુધી વાતો કરી. લાલુ પ્રસાદ યાદવ સાથેની મુલાકાતની આ તસવીરો તેમના પુત્ર અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.
આ તસવીરો શેર કરતા તેજસ્વી યાદવે કેપ્શનમાં લખ્યું છે કે, ‘બિહારની માટીના લાલ, હિન્દી સિનેમાના જાણીતા અને ગંભીર અભિનેતા, પદ્મશ્રી @BajpayeeManoj જીના ઘરે પહોંચ્યા અને પિતા શ્રી @laluprasadrjdના સ્વાસ્થ્ય લાભ વિશે માહિતી મેળવી. તેણે પોતાની મહેનત અને ક્ષમતાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવીને બિહારને ગૌરવ અપાવ્યું છે.
એક તસવીરમાં મનોજ બાજપેયી આરજેડી ચીફ અને બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને હાથ જોડીને અભિવાદન કરતા જોઈ શકાય છે. બાકીની ત્રણ તસવીરોમાં લાલુ પ્રસાદ યાદવ અને મનોજ બાજપેયી સિવાય ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ સાથે બેસીને વાત કરતા જોવા મળે છે.
बिहार की माटी के लाल,हिंदी सिनेमा के सुप्रसिद्ध एवं संजीदा अभिनेता पद्मश्री @BajpayeeManoj जी आवास पर मिलने पहुँचे और पिता श्री @laluprasadrjd जी के स्वास्थ्य लाभ की जानकारी प्राप्त की।
इन्होंने मेहनत व काबिलियत के बदौलत फिल्म इंडस्ट्री में पहचान बना बिहार को गौरवान्वित किया है। pic.twitter.com/CMPwwJ624t
— Tejashwi Yadav (@yadavtejashwi) September 17, 2022
રાંચીની વિશેષ સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદ યાદવનો પાસપોર્ટ જાહેર કરવાની મંજૂરી આપ્યા બાદ આરજેડી વડા આવતા અઠવાડિયે તબીબી સારવાર માટે સિંગાપોર જવા માટે તૈયાર છે. લાલુ યાદવના વકીલ પ્રભાત કુમારે કહ્યું કે, અમને એફિડેવિટ દાખલ કરવા કહેવામાં આવ્યું છે કે, સારવાર બાદ દેશમાં પરત ફરવા પર પાસપોર્ટ કોર્ટમાં પરત કરવામાં આવશે. સોમવારે એફિડેવિટ દાખલ કરવામાં આવશે.”
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ઘાસચારા કૌભાંડના ઘણા મામલામાં સજા ભોગવી ચૂકેલા લાલુ પ્રસાદ યાદવ જેલવાસ ભોગવીને જામીન પર બહાર છે. બહુવિધ બિમારીઓથી પીડિત લાલુ પ્રસાદ યાદવ નવી દિલ્હીથી પરત આવ્યા બાદ છેલ્લા એક મહિનાથી પટનામાં રહે છે, જ્યાં આ વર્ષની શરૂઆતમાં તેમના જમણા ખભામાં ફ્રેક્ચરની સારવાર કરાવી હતી.