AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મનમોહન સિંહ સાથે આરોગ્ય મંત્રીએ ફોટો પડાવ્યા બાદ પુત્રી દમન સિંહ ભડકી, કહ્યું- મારા પિતા હોસ્પિટલમાં છે, પ્રાણી સંગ્રહાલયમાં નથી’

કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું, ભાજપ માટે બધું જ 'ફોટો ઓપ' છે. દેશના આરોગ્ય મંત્રીને શરમ આવવી જોઈએ, જેમણે ભૂતપૂર્વ વડાપ્રધાનની મુલાકાતને પીઆર સ્ટંટ બનાવ્યું હતું.

મનમોહન સિંહ સાથે આરોગ્ય મંત્રીએ ફોટો પડાવ્યા બાદ પુત્રી દમન સિંહ ભડકી, કહ્યું- મારા પિતા હોસ્પિટલમાં છે, પ્રાણી સંગ્રહાલયમાં નથી'
Mansukh Mandaviya
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 5:17 PM
Share

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની (Manmohan Singh) તબિયત બગડ્યા બાદ તેમને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) તેમની તબિયત પૂછવા માટે એઈમ્સ પહોંચ્યા.

આરોગ્ય મંત્રીએ આ દરમિયાન ભૂતપૂર્વ પીએમ સાથે એક તસવીર લીધી અને તેને શેર કરી. હવે આ અંગે વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ બાદ હવે પૂર્વ પીએમની પુત્રી દમણ સિંહે પણ આરોગ્ય મંત્રીની ટીકા કરી છે.

ભૂતપૂર્વ પીએમની પુત્રી દમન સિંહે (Daman Singh) આરોગ્ય મંત્રી પર ભડકી અને આરોપ લગાવ્યો છે કે માંડવિયાએ પરિવારની ઇચ્છા વિરુદ્ધ ફોટોગ્રાફરને લઈ પહોચ્યા હતા. બુધવારે, 89 વર્ષીય સિંહને AIIMS ના કાર્ડિયો-ન્યુરો સેન્ટરના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડો. નીતીશ નાઈકના નેતૃત્વમાં કાર્ડિયોલોજિસ્ટની ટીમની દેખરેખ હેઠળ છે. તેને સોમવારે તાવ આવ્યો હતો અને તે તેમાંથી સ્વસ્થ થઈ ગયા હતા પરંતુ તેને નબળાઈ લાગવા લાગી અને તે માત્ર પ્રવાહી ખોરાક જ લઈ રહ્યા છે.

મારા પિતા વૃદ્ધ છે, પ્રાણી સંગ્રહાલયના પ્રાણી નથી: દમન સિંહ ભૂતપૂર્વ વડાપ્રધાનની પુત્રી દમન સિંહે ન્યૂઝ પોર્ટલ ‘ધ પ્રિન્ટ’ સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની સાથે એક ફોટોગ્રાફર પણ વોર્ડમાં દાખલ થયા બાદ તેઓ પરેશાન હતા જેમાં મનમોહન સિંહ દાખલ છે. દમન સિંહે કહ્યું, મારી માતા ખૂબ પરેશાન હતી. મારા માતા-પિતા મુશ્કેલ પરિસ્થિતિને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વૃદ્ધ છે તેઓ પ્રાણી સંગ્રહાલયમાં હાજર પ્રાણીઓ નથી. માંડવિયાએ ગુરુવારે સિંઘને તેમની તબિયત પૂછવા મળ્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેમની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે.

આરોગ્ય મંત્રીએ મનમોહન સિંહની ગોપનીયતાનું ઉલ્લંઘન કર્યું, માફી માગે: કોંગ્રેસ અગાઉ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને એઈમ્સ ખાતે મળ્યા બાદ તેમની તસવીર શેર કરીને દેશના પૂર્વ વડાપ્રધાનના દરેક નૈતિક મૂલ્ય અને ગોપનીયતાનું ઉલ્લંઘન કર્યું છે.

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું, ભાજપ માટે બધું જ ‘ફોટો ઓપ’ છે. દેશના આરોગ્ય મંત્રીને શરમ આવવી જોઈએ, જેમણે ભૂતપૂર્વ વડાપ્રધાનની મુલાકાતને પીઆર સ્ટંટ બનાવ્યું હતું. આ દરેક નૈતિક મૂલ્યનું ઉલ્લંઘન છે, ભૂતપૂર્વ વડાપ્રધાનની ગોપનીયતાનું ઉલ્લંઘન છે, સ્થાપિત પરંપરાઓનું અપમાન છે. તેમને માફી માગવી જોઈએ.

આ પણ વાંચો : ‘રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા જોઈએ’, અશોક ગેહલોતે CWC બેઠકમાં ભલામણ કરી, સભ્યો પણ થયા સંમત

આ પણ વાંચો : સોનિયા ગાંધીએ લખીમપુરથી લઈ મોંઘવારી અંગેના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા, કહ્યું- સરકારનો એજન્ડા, ‘વેચો, વેચો અને વેચો’

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">