‘રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા જોઈએ’, અશોક ગેહલોતે CWC બેઠકમાં ભલામણ કરી, સભ્યો પણ થયા સંમત

અગાઉ, ગયા વર્ષે જૂનમાં યોજાયેલી CWC બેઠકમાં ગેહલોતે રાહુલને પ્રમુખ બનાવવાની માગ કરી હતી. ગેહલોતે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે રાહુલ ફરી એક વખત સંગઠનની કમાન સંભાળી લે.

'રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા જોઈએ', અશોક ગેહલોતે CWC બેઠકમાં ભલામણ કરી, સભ્યો પણ થયા સંમત
Ashok Gehlot-Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 4:48 PM

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીને (Rahul Gandhi) કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અશોક ગેહલોતે CWC બેઠકમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે રાહુલ ગાંધીએ કોંગ્રેસનું નેતૃત્વ કરવું જોઈએ, જેને CWC ના તમામ સભ્યોનું સમર્થન પણ મળ્યું હતું. અત્યારે સોનિયા ગાંધી દેશની સૌથી જૂની પાર્ટીના વચગાળાના અધ્યક્ષ છે.

2017 માં રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યું. પરંતુ 2019 માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ તેમણે આ પદ છોડ્યું હતું. વાયનાડના સાંસદ રાહુલના રાજીનામા બાદ કોંગ્રેસમાં હંગામો થયો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ રાહુલને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા. આ પછી, 19 વર્ષ સુધી કોંગ્રેસનું નેતૃત્વ કરનાર સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ તરીકે પાછા ફરવા સંમત થયા.

ગેહલોતે ગયા વર્ષે પણ રાહુલને પ્રમુખ બનાવવાની માગ કરી હતી આ પહેલી વાર નથી, જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માગ કરી હોય. અગાઉ, ગયા વર્ષે જૂનમાં યોજાયેલી CWC બેઠકમાં ગેહલોતે રાહુલને પ્રમુખ બનાવવાની માગ કરી હતી. ગેહલોતે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે રાહુલ ફરી એક વખત સંગઠનની કમાન સંભાળી લે. તેમને આ સમયગાળા દરમિયાન ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતનું સમર્થન પણ મળ્યું. જોકે, અન્ય વરિષ્ઠ નેતાઓએ તેના પર કોઈ ટિપ્પણી કરી નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હું પાર્ટીની કાયમી અધ્યક્ષ છું: સોનિયા ગાંધી બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે ભૂતકાળમાં જાહેર નિવેદનોની પૃષ્ઠભૂમિમાં કપિલ સિબ્બલ સહિત ‘G23’ જૂથના કેટલાક નેતાઓને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન, તેમને સલાહ આપતી વખતે, સોનિયાએ કહ્યું કે તે પાર્ટીના કાયમી અધ્યક્ષ છે અને તેમની સાથે વાત કરવા માટે મીડિયાનો આશરો લેવાની જરૂર નથી. તેમણે CWC ની બેઠકમાં જણાવ્યું હતું કે અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા 30 જૂન સુધીમાં પૂર્ણ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે તેને સ્થગિત કરવી પડી હતી અને હવે તેની રૂપરેખા રજૂ કરવામાં આવશે.

કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધીએ ખેડૂતોના આંદોલન, લખીમપુર હિંસા, મોંઘવારી, વિદેશ નીતિ અને ચીનની આક્રમકતાના મુદ્દાઓ પર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને નિશાન બનાવી હતી.

આ પણ વાંચો : સોનિયા ગાંધીએ લખીમપુરથી લઈ મોંઘવારી અંગેના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા, કહ્યું- સરકારનો એજન્ડા, ‘વેચો, વેચો અને વેચો’

આ પણ વાંચો : Supreme Court : સિંઘુ બોર્ડર પર હત્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ, પ્રદર્શન સ્થળ પરથી ખેડૂતોને દુર થવાની અપીલ

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">