AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: હિંસાનાં 50 દિવસ બાદ પણ નથી સુધરી સ્થિતિ, સ્કોર્પિયોમાં બ્લાસ્ટ થતા 3 લોકો ઘાયલ

મણિપુરમાં મે મહિનાની શરૂઆતમાં હિંસા ફાટી નીકળ્યાને 50 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાંથી હિંસાના સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ હજુ પણ બંધ છે. અમિત શાહ 24 જૂને નવી દિલ્હીમાં રાજ્યની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક યોજવાના છે.

Manipur Violence: હિંસાનાં 50 દિવસ બાદ પણ નથી સુધરી સ્થિતિ, સ્કોર્પિયોમાં બ્લાસ્ટ થતા 3 લોકો ઘાયલ
Manipur-Violence
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 1:33 PM
Share

Manipur Violence: મણિપુરમાં હિંસક ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કેટલીક જગ્યાએ ગોળીબાર અને કેટલીક જગ્યાએ વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. તમામ કાર્યવાહી છતાં બદમાશો તેમની હરકતો કરી રહ્યા છે. જોકે રાજ્યમાં સુરક્ષા દળો સતત એક્શન મોડમાં જોવા મળે છે. આ દરમિયાન ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં IED બ્લાસ્ટના (Blast) સમાચાર સામે આવ્યા છે, જેમાં 3 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે બની હતી જ્યાં બિષ્ણુપુર જિલ્લાના કવાક્ટામાં પાર્ક કરેલી સ્કોર્પિયોમાં IED બ્લાસ્ટ થયો હતો.

કેટલાક વિસ્તારોમાં ફાયરિંગના સમાચાર

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ પહેલા એક વ્યક્તિ કારમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો, જે કારને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. તે પછી અન્ય કોઈ તેની આસપાસ આવતા-જતા જોવા મળ્યું ન હતું. વિસ્ફોટમાં ઘાયલ ત્રણેય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક વિસ્તારોમાં ફાયરિંગના સમાચાર પણ સામે આવ્યા છે.

આસામ રાઈફલ્સ અને હુમલાખોરો વચ્ચે ગોળીબાર

ગુરુવારે સવારે પશ્ચિમ ઇમ્ફાલના બોલઝાંગમાં આસામ રાઇફલ્સ અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં બે જવાન ઘાયલ થયા હતા. હાલ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. સર્ચ ઓપરેશન દરમિયાન એક ઇન્સાસ લાઇટ મશીનગન પણ મળી આવી છે.

આ પણ વાંચો : Assam Flood : ભારે વરસાદ-800 ગામો ડૂબી ગયા, ઉભો પાક બરબાદ, આસામમાં પૂરથી 1.2 લાખ લોકો પ્રભાવિત

આ પહેલા બુધવારે સાંજે પણ ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. આ દરમિયાન હુમલાખોરોએ ઉરંગપત પાસે બે દિશામાંથી ગોળીબાર કર્યો હતો. આ સિવાય મંગળવારે મોડી રાત્રે સુગાનુ અને બુધવારે સાંજે કાંગપોકપી જિલ્લામાં પણ ગોળીબાર થયો હતો.

અમિત શાહ 24 જૂને સર્વપક્ષીય બેઠક યોજશે

તમને જણાવી દઈએ કે, મણિપુરમાં મે મહિનાની શરૂઆતમાં હિંસા ફાટી નીકળ્યાને 50 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાંથી હિંસાના સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ હજુ પણ બંધ છે. હિંસાના આ અહેવાલો એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહ 24 જૂને નવી દિલ્હીમાં રાજ્યની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક યોજવાના છે. હિંસામાં 110 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે સેંકડો ઘાયલ થયા. હિંસાને કારણે હજારો લોકોને વિસ્થાપિત થવું પડ્યું હતું. આમાંથી ઘણા લોકો હાલમાં મિઝોરમમાં આશ્રય લઈ રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી
મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી
લૂંટારૂઓને બેંકના એલાર્મના વાયર કાપ્યા ન હતા, જુઓ CCTV વીડિયો
લૂંટારૂઓને બેંકના એલાર્મના વાયર કાપ્યા ન હતા, જુઓ CCTV વીડિયો
g clip-path="url(#clip0_868_265)">