AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પઠાણ ફિલ્મને લઈ મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન, હવે પઠાણ ફિલ્મના વિરોધનો કોઈ અર્થ નથી કારણ કે…

પઠાણ (Pathaan) તાજેતરમાં ભારત સહિત વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને લગભગ 100 કરોડ રૂપિયાની ઓપનિંગ હાંસલ કરી છે.

પઠાણ ફિલ્મને લઈ મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન, હવે પઠાણ ફિલ્મના વિરોધનો કોઈ અર્થ નથી કારણ કે...
Pathaan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 12:57 PM
Share

ફિલ્મ પઠાણનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું ત્યારે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સૌથી પહેલો વિરોધ કર્યો હતો. ત્યારે તેમણે ગીતમાં કેસરી બિકીનીના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ તેણે કહ્યું છે કે હવે ફિલ્મનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી.

નરોત્તમ મિશ્રાએ બુધવારે કહ્યું હતું કે હવે પઠાણનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે સેન્સર બોર્ડ પહેલેથી જ વિવાદાસ્પદ મુદ્દાઓ પર ધ્યાન આપી ચૂક્યું છે. ગયા મહિને તેમણે કહ્યું હતું કે જો વિવાદાસ્પદ બાબતોને દૂર કરવામાં નહીં આવે તો ફિલ્મ મધ્યપ્રદેશમાં રિલીઝ થશે કે નહીં તે અંગે વિચારવું પડશે.

મને હવે વિરોધ કરવાનો કોઈ અર્થ દેખાતો નથી: નરોત્તમ મિશ્રા

કેટલાક સંગઠનોએ બુધવારે પણ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ફિલ્મનો વિરોધ કર્યો, ઇન્દોર અને ભોપાલમાં કેટલાક સિનેમા હોલને સવારના શો રદ કરવાની ફરજ પડી. મધ્યપ્રદેશમાં ફિલ્મ પઠાણના વિરોધ અંગે પૂછવામાં આવ્યું ત્યારે નરોત્તમ મિશ્રાએ કહ્યું, હું માનું છું કે તેમાં (ફિલ્મ) તમામ સુધારા કરવામાં આવ્યા છે. સેન્સર બોર્ડે સુધારા કર્યા છે. વિવાદાસ્પદ શબ્દો દૂર કરવામાં આવ્યા છે, તેથી મને હવે વિરોધ કરવાનો કોઈ અર્થ દેખાતો નથી.

આ પણ વાંચો : Pathaan Movie security : પઠાણની રિલીઝ પર બબાલ થવાનો ‘ડર’, મુંબઈના તમામ થિયેટરોની બહાર પોલીસવાન હાજર

આ ફિલ્મે પહેલા દિવસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા

આ દરમિયાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે જે લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. પઠાણ તાજેતરમાં ભારત સહિત વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને લગભગ 100 કરોડ રૂપિયાની ઓપનિંગ હાંસલ કરી છે.

પીએમ મોદીએ આપ્યું હતું આ નિવેદન

આ મહિનાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બીજેપી સંમેલનને સંબોધિત કરતી વખતે, પાર્ટી કાર્યકર્તાઓને સલાહ આપી હતી કે તેઓ ફિલ્મો જેવા બિનજરૂરી મુદ્દાઓ પર બિનજરૂરી ટિપ્પણીઓ કરવાથી દૂર રહે. થોડા દિવસો પહેલા, જ્યારે વડાપ્રધાનની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, કોઈનું નામ લેવામાં આવ્યું ન હતું, પરંતુ તેમનો (વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો) દરેક શબ્દ, વાક્ય અમારા માટે મુખ્ય છે અને તેથી જ બધા કાર્યકરોએ ત્યાંથી પ્રેરણા લીધી.

ઈનપુટ – PTI

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">