Madhya pradesh: રાજ્યમાં ધોધમાર વરસાદનો કહેર, 1200થી વધુ ગામો પૂરની ચપેટમાં, 5,950 લોકોનું કરાયું રેસ્ક્યૂ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યના ઉત્તરીય ભાગમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વણસી છે.

Madhya pradesh: રાજ્યમાં ધોધમાર વરસાદનો કહેર, 1200થી વધુ ગામો પૂરની ચપેટમાં, 5,950 લોકોનું કરાયું રેસ્ક્યૂ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 10:07 PM

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે જણાવ્યું હતું કે, રાજ્યના ઉત્તરીય ભાગમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વણસી છે અને SDRFની મદદથી 5,950 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 1950 લોકો હજુ પણ ફસાયેલા છે. પૂર પ્રભાવિત વિસ્તારો અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, શિવપુરી અને ગ્વાલિયર વચ્ચેની રેલ સેવા અને મોરેનામાં ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. બુધવારે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જ્યારે મંગળવારે ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી પ્રભાવિત થઈ હતી.

તેમણે બુધવારે બપોરે પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો. આ પછી CMએ કહ્યું કે, ‘રાજ્યના ઉત્તરીય ભાગમાં પૂરની સ્થિતિ ગંભીર છે. શિવપુરી, શેઓપુર, દાતિયા, ગ્વાલિયર, ગુના, ભીંડ અને મોરેના જિલ્લાના 1125 ગામો પ્રભાવિત થયા છે.

IPL 2024: ડી વિલિયર્સ અને ગેલ આ ટીમમાં જોડાયા, કરોડો રૂપિયાની કરશે કમાણી
જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?

સાથે જ તેમણે કહ્યું કે, SDRF અને NDRF ભારતીય સેના અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ મળીને 240 ગામોમાંથી 5,950 લોકોને બહાર કાઢવામાં સફળ થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સેના, બીએસએફ, એનડીઆરએફની ચાર કોલમ અને એસડીઆરએફની 70 ટીમો બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. NDRFની વધુ ટીમો આવી રહી છે. IAF ના પાંચ હેલિકોપ્ટરમાંથી ચાર ગ્વાલિયરમાં અને એક શિવપુરીમાં બચાવ કાર્યમાં રોકાયેલા છે.

CM એ કહ્યું કે, રાહતની વાત છે કે કેટલીક જગ્યાએ પાણીનું સ્તર ઘટી રહ્યું છે. શિયોપુર જિલ્લાના કેટલાક ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે પરંતુ ત્યાં ફસાયેલા લોકો સુરક્ષિત છે અને સેના બચાવ માટે તે ગામો સુધી પહોંચી રહી છે. તેમણે જણાવ્યું કે, સેનાએ દાતીયાના 36 ગામોમાંથી 1100 લોકોને બચાવ્યા. દાતીયા જિલ્લામાં કેટલાક સ્થળોએ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા કારણ કે પૂરના કારણે તમામ મુખ્ય રસ્તાઓ બંધ છે.

આ પણ વાંચોઃ ભ્રષ્ટાચાર પર સખ્ત બની કેન્દ્ર સરકાર, ગૃહ મંત્રાલયે CBIના પૂર્વ ડિરેક્ટર આલોક વર્મા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની કરી ભલામણ

આ પણ વાંચોઃ Lovlina Borgohain: મોહમ્મદ અલીની ફૈન લવલીનાએ બ્રોન્ઝ મેડલ પર પંચ માર્યો, જાણો અનોખી સ્ટોરી

Latest News Updates

કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધવા મહેસાણામાં કરાઇ અરજી
કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધવા મહેસાણામાં કરાઇ અરજી
સાબરડેરીના ડિરેક્ટરે કર્યા ગંભીર આક્ષેપો, પગથિયાંમાં બેસી કર્યો વિરોધ
સાબરડેરીના ડિરેક્ટરે કર્યા ગંભીર આક્ષેપો, પગથિયાંમાં બેસી કર્યો વિરોધ
કનુ કલસરિયાએ તળાજામાં ભાજપમાં જોડાવાને લઈને આપ્યુ આ નિવેદન- વીડિયો
કનુ કલસરિયાએ તળાજામાં ભાજપમાં જોડાવાને લઈને આપ્યુ આ નિવેદન- વીડિયો
હિંમતનગરના કોલેજ રોડ પર દબાણો પર ફર્યુ બુલડોઝર, વિદ્યાર્થીઓને રાહત
હિંમતનગરના કોલેજ રોડ પર દબાણો પર ફર્યુ બુલડોઝર, વિદ્યાર્થીઓને રાહત
મોડાસામાં શ્વાને આતંક મચાવ્યો, 9 લોકોને બચકાં ભરતા સારવાર માટે ખસેડાયા
મોડાસામાં શ્વાને આતંક મચાવ્યો, 9 લોકોને બચકાં ભરતા સારવાર માટે ખસેડાયા
રા઼જકોટ ભાજપમાં જૂથવાદનો અંત, એક મંચ પર આવ્યા પરસ્પર વિરોધી જૂથો
રા઼જકોટ ભાજપમાં જૂથવાદનો અંત, એક મંચ પર આવ્યા પરસ્પર વિરોધી જૂથો
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
g clip-path="url(#clip0_868_265)">