AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ludhiana Court Blast update : બ્લાસ્ટ કેસમાં પોલીસને લાગી મહત્વની કડી હાથ , SFJ આતંકવાદીની જર્મનીથી કરી ધરપકડ

લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસમાં જર્મનીમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે દિલ્હી અને મુંબઈને પણ નિશાન બનાવવાની યોજના હતી.

Ludhiana Court Blast update : બ્લાસ્ટ કેસમાં પોલીસને લાગી મહત્વની કડી હાથ , SFJ આતંકવાદીની જર્મનીથી કરી ધરપકડ
Jaswinder Singh Multani ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 8:35 AM
Share

Ludhiana Court Blast :  ગત અઠવાડિયે લુધિયાણા કોર્ટમાં (Ludhiana Court) બ્લાસ્ટ થયો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.  પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. જર્મની પોલીસે ગયા અઠવાડિયે લુધિયાણા કોર્ટ બ્લાસ્ટમાં સંડોવણી અને દિલ્હી અને મુંબઈને નિશાન બનાવવાનું કાવતરું ઘડવાના આરોપમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સભ્ય જસવિંદર સિંહ મુલતાનીની (Jaswinder Singh Multani) ધરપકડ કરી છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ આ માહિતી આપી છે. મધ્ય જર્મનીના એર્ફર્ટથી સંઘીય પોલીસે મુલતાનીની ધરપકડ કરી હતી.

તમને જણાવી દઈએ કે બોન (જર્મની શહેર) અને નવી દિલ્હી સ્થિત રાજદ્વારીઓનું કહેવું છે કે, નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે જર્મન સત્તાવાળાઓને પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા અને સરહદ પાર કરનારા ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓની ધરપકડ કરવા વિનંતી કરી હતી. પંજાબમાં હથિયારો અને દારૂગોળો તસ્કરીમાં સામેલ  હોય. એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે આ પહેલા પંજાબના હોશિયારપુરના રહેવાસી 45 વર્ષીય મુલતાની SFJના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુના નજીકના સહયોગી રહી ચૂક્યા છે અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે.

પંજાબમાં વધુ વિસ્ફોટોની યોજના હતી

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મુલતાની પંજાબમાં આવો જ બીજો બ્લાસ્ટ અને અન્ય આતંકી ગતિવિધિઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. આ રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. બીજી તરફ લુધિયાણા કોર્ટ બ્લાસ્ટની વાત કરવામાં આવે તો તે ગુરુવારે થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા.

પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલો પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો દ્વારા સ્થાનિક બદમાશો દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કોર્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. તેમનો હેતુ શક્ય તેટલું વધુ નુકસાન પહોંચાડવાનો હતો. જોકે હુમલાખોર બોમ્બને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે વિસ્ફોટ થઇ ગયો હતો.

પાકિસ્તાન સાથે જોડાયેલ છે તાર  

એક અધિકારીએ જણાવ્યું હતું કે મુલતાની તાજેતરમાં પાકિસ્તાની ઓપરેટિવ્સની મદદથી સરહદ પારથી વિસ્ફોટક, ગ્રેનેડ અને પિસ્તોલના હથિયારોના કન્સાઇનમેન્ટની વ્યવસ્થા કરવા માટે સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. અગાઉ 7 ફેબ્રુઆરીએ પંજાબ પોલીસે ત અમૃતસર અને ફિરોઝપુરમાંથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

તેમની પાસેથી આઠ પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો. ધરપકડ કરાયેલા લોકોએ પંજાબમાં કટ્ટરપંથી પ્રવૃત્તિઓ કરવા માટે ગેરકાયદેસર હથિયારો ખરીદ્યા હતા. પોલીસે પાછળથી અન્ય એક વ્યક્તિ, જીવન સિંઘની ધરપકડ કરી હતી, જેને સોશિયલ મીડિયા પર અગ્રણી ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલને નિશાન બનાવવા માટે જર્મન પ્રો-ખાલિસ્તાન નેતા મુલતાની દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Happy birthday Cezanne Khan : વિવાદોમાં રહ્યો હતો સીઝેન ખાન, એક પાકિસ્તાની મહિલાએ કર્યો હતો લગ્નનો દાવો

આ પણ વાંચો : PM Svanidhi Yojana: આ યોજન હેઠળ કેન્દ્ર સરકાર આપી રહી છે 10,000 રૂપિયા, આ રીતે ચેક કરો યોગ્યતા અને જાણો લાભ લેવાની રીત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">