Artificial leg for Animals: માનવોની જેમ પશુઓને પણ લગાડવામાં આવશે કૃત્રિમ પગ, આ રાજ્યએ કરી શરૂઆત

Artificial leg for Animals: મધ્ય પ્રદેશના જબલપુરમાં દેશનું પહેલુ એવું સેંટર બની રહ્યું છે, જ્યાં પશુઓના કૃત્રિમ પગ બનાવવામાં આવશે. જે પશુઓના કલ્યાણ માટે એક સારી પહેલ માનવામાં આવી રહી છે

Artificial leg for Animals: માનવોની જેમ પશુઓને પણ લગાડવામાં આવશે કૃત્રિમ પગ, આ રાજ્યએ કરી શરૂઆત
Animals will be fitted with artificial legs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 6:49 PM

Artificial leg for Animals: માનવોની જેમ હવે પશુઓને પણ કૃત્રિમ પગ લગાવામાં આવશે. જેની શરૂઆત મધ્ય પ્રદેશએ (Madhya Pradesh)કરી છે. જબલપુરના નાનાજી દેશમુખ વૈટનરી યુનિવર્સિટીમાં પશુઓને આર્ટિફિશિયલ પગ લગાવા માટે બજાર માર્કેટિંગએ 2 કરોડ 17 લાખ રૂપિયા મંજુર કર્યા છે.

જણાવામાં આવી રહ્યું છે કે, મધ્ય પ્રદેશના જબલપુરમાં દેશનું પહેલુ એવું સેંટર બની રહ્યું છે, જ્યાં પશુઓના કૃત્રિમ પગ બનાવવામાં આવશે. જે પશુઓના કલ્યાણ માટે એક સારી પહેલ માનવામાં આવી રહી છે. નાનાજી દેશમુખ વૈટનરી યુનિવર્સિટીમાં કાર્યરત ડો. શોભા જાવરેએ જણાવ્યું કે, પશુઓ માટે કૃત્રિમ પગ (Artificial leg for Animals)બનાવાને લઈ 2016-17 થી વિચાર કરવામાં આવી રહ્યો છે.

તેઓએ આગળ જણાવ્યું કે, 3-4 વર્ષ પહેલા એક ગાયના વાછરડાને પગમાં ટ્યૂમર થયું હતું. ત્યાર બાદ તેના પગને કાપવામાં આવ્યો હતો. પગ કપાઈ જતાં વાછરડાને ચાલવામાં મુશ્કેલી આવવા લાગી, તેને જોતા નાનાજી દેશમુખ યુનિવર્સિટીના ડોક્ટરોએ વાછરડાને કૃત્રિમ પગ લગાડવાનું વિચાર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

અહીંથી થઈ શરૂઆત ત્યાર બાદ ડોક્ટરોએ રાજેશ અહિરવાર સાથે મુલાકાત કરી જે માનવો માટે નકલી પગ બનાવતા હતા. તેઓએ વાછરડા માટે કૃત્રિમ પગ બનાવ્યો જે ઘણા અંશે સફળ રહ્યો હતો. વાઈલ્ડ લાઈફ ડાયરેક્ટર ડો. શોભા જાવરેના મતે વર્તમાનમાં ચાર ગાયો (Cow)ના કૃત્રિમ પગ હાલ રાકેશ અહરિવાર પાસેથી બનાવામાં આવી રહ્યા છે. જેને તૈયાર કરીને જલ્દી જ એ ગાયોમાં લગાવામાં આવશે. જેમના પગ કપાઈ ગયા છે.

પશુઓને મળશે રાહત આ સાથે જ નાનાજી દેશમુખ યુનિવર્સિટી એ પણ પ્રયત્ન્ન કરશે કે ગાય-બળદ સિવાય અન્ય નાના મોટા પશુઓને પણ કૃત્રિમ પગ લગાવામાં આવે. દેશમાં પહેલીવાર આવું સેંટર જબલપુરમાં હશે. જ્યાં ગાય-બળદ અને અન્ય પશુઓ માટે કૃત્રિમ પગ લગાવામાં આવશે. તેના માટે બજાર માર્કેટિંગએ નાનાજી દેશમુખ યુનિવર્સિટીને 2 કરોડ 17 લાખ રૂપિયા મંજુર કર્યા છે. આ બજેટમાં લગભગ 75 લાખ રૂપિયામાં બિલ્ડિંગ બનાવામાં આવશે. જ્યારે કૃત્રિમ પગ બનાવાનું સેંટર બની જશે ત્યારે એવા પશુઓને રાહત મળશે જેમના પગમાં કોઈને કોઈ મુશ્કેલી છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">