AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી AIIMSમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં 200 મેડિકલ સ્ટાફ સંક્રમિત, 1 અઠવાડિયામાં 400 આરોગ્ય કર્મચારી કોરોનાની ઝપેટમાં

છેલ્લા 24 કલાકમાં દિલ્હીની AIIMS હોસ્પિટલમાં 200 આરોગ્ય કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. તે જ સમયે, ઘણા આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

દિલ્હી AIIMSમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં 200 મેડિકલ સ્ટાફ સંક્રમિત, 1 અઠવાડિયામાં 400 આરોગ્ય કર્મચારી કોરોનાની ઝપેટમાં
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 8:19 AM
Share

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં (Omicron) ઝડપથી વધારો થતાં હવે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ (health worker) પણ તેનો શિકાર બની રહ્યા છે, જેના કારણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓની અછત પડી શકે છે.

આવી સ્થિતિમાં દિલ્હીની AIIMS હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ થયો છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 200 આરોગ્ય કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 1 અઠવાડિયામાં જ અહીં લગભગ 400 સ્વાસ્થ્ય કર્મચારીઓમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. હાલ આ તમામને હોસ્પિટલ કેમ્પસના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 1 અઠવાડિયામાં રાજધાનીની અન્ય હોસ્પિટલોમાં 1,200થી વધુ આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે. આવી સ્થિતિમાં ઘણા વિભાગોમાં 70 ટકા જેટલા ડોકટરો પોઝિટીવ આવ્યા છે.

જો કે, આને જોતા લેડી હાર્ડિંજ હોસ્પિટલે કોરોના સંક્રમિત આરોગ્ય કર્મચારીઓને 5 દિવસના આઈસોલેશન પછી તપાસ કર્યા વિના હોસ્પિટલનું કામ શરૂ કરવા સૂચના આપી છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં તબીબો કોરોના સંક્રમિત થતા આરોગ્ય કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. જ્યાં બાકીની હોસ્પિટલો પણ આ મામલે એલર્ટ મોડમાં આવી ગઈ છે. તેઓ કોરોના સંબંધિત દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.

AIIMSમાં કામ કરતા 400થી વધુ આરોગ્ય કર્મચારીઓ પોઝિટીવ

જણાવી દઈએ કે AIIMSમાં કામ કરતા લગભગ 100 ડોક્ટરો સહિત 400થી વધુ આરોગ્ય કર્મચારીઓ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી રેસિડેન્ટ ડોકટરોની સંખ્યા વધુ છે. જો કે, કેટલાક વિભાગોમાં અડધાથી વધુ ડોકટરો કોરોનાથી સંક્રમિત છે. હાલમાં AIIMSના ન્યુરો સર્જરી, ન્યુરોલોજી વિભાગના અડધાથી વધુ ડોકટરો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

એ જ રીતે એનેસ્થેસિયા વિભાગના 2 ડઝનથી વધુ ડોકટરોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તે જ સમયે, ઘણા નર્સિંગ વર્કરો પણ કોરોના સંક્ર્મણને કારણે હોમ આઈસોલેશનમાં છે. આવી સ્થિતિમાં AIIMSમાં ડાયરેક્ટરની ઓફિસમાં કામ કરતા ઘણા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ આઈસોલેશનમાં છે, જ્યારે શુક્રવાર સુધી ઘણા કર્મચારીઓ એવા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સફદરજંગમાં 60 ડોક્ટર સહિત 165 આરોગ્ય કર્મચારી કોરોના પોઝિટીવ

તે જ સમયે સફદરજંગ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવાર સાંજ સુધીમાં 70 ડૉક્ટર સહિત કુલ 165 આરોગ્ય કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે, પ્રસૂતિ વિભાગના ઘણા રેસિડન્ટ ડૉક્ટરો પણ કોરોનાની ઝપેટમાં છે.

આવી સ્થિતિમાં વિભાગના વડા સહિત કુલ 26 ડોક્ટર કોરોનાને કારણે આઈસોલેશનમાં છે. તે જ સમયે, એનેસ્થેસિયા, દવા, ગેસ્ટ્રો અને રેડિયોલોજીના ઘણા ડોકટરો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 70 ડોકટર અને કુલ 165 આરોગ્ય કર્મચારીઓ સંક્રમિત જોવા મળ્યા છે.

લેડી હાર્ડિંગમાંના દવા વિભાગના અડધા ડોકટરો હોમ આઈસોલેશનમાં

નોંધપાત્ર વાત એ છે કે રાજધાનીની લેડી હાર્ડિંગ હોસ્પિટલના 100થી વધુ આરોગ્ય કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તે જ સમયે, મેડિસિન વિભાગના અડધાથી વધુ ડોકટરો કોરોના સંક્ર્મણને કારણે આઈસોલેશન પર છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંભાળમાં સમસ્યાઓ છે. જ્યાં સ્ટાફ ઓછો હોવાને કારણે દર્દીઓના ટેસ્ટ મોકલવાથી લઈને રિપોર્ટ મેળવવા અને પછી સારવાર સુધી ઘણો સમય લાગી રહ્યો છે.

આ સિવાય રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં છેલ્લા 1 સપ્તાહમાં 110 આરોગ્ય કર્મચારીઓને કોરોના સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે, જેમાંથી 65 ડૉક્ટર સામેલ છે. આ સાથે લોકનાયક હોસ્પિટલમાં 30 અને જીટીબીમાં 50 લોકો પણ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. દિલ્હીની આંબેડકર હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 21 આરોગ્ય કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ મળ્યા છે.

આ પણ વાંચો : Aadhaar Card: mAadhaar એપના ફીચર્સ જાણીને લાગશે નવાઈ, ગમે ત્યાં ગમે ત્યારે આધારકાર્ડના મહત્વપૂર્ણ કામ કરી શકો છો પુરા

આ પણ વાંચો : Happy birthday Farah Khan: સરોજ ખાનની ફિલ્મે બદલી દીધું ફરાહ ખાનનું નસીબ, 5 વખત બેસ્ટ કોરિયોગ્રાફરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">