Happy birthday Farah Khan: સરોજ ખાનની ફિલ્મે બદલી દીધું ફરાહ ખાનનું નસીબ, 5 વખત બેસ્ટ કોરિયોગ્રાફરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો

વર્ષ 2004માં ફરાહ ખાને (Farah Khan) શિરીષ કુંદર (Shirish Kunder) સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને ત્રણ બાળકો છે. તેમના પતિ શિરીષ કુન્દર પણ ફિલ્મ નિર્દેશક છે.

Happy birthday Farah Khan: સરોજ ખાનની ફિલ્મે બદલી દીધું ફરાહ ખાનનું નસીબ, 5 વખત બેસ્ટ કોરિયોગ્રાફરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો
Farah Khan (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 7:20 AM

ફરાહ ખાન (Farah Khan) આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી. ફરાહ ખાન આજે બોલીવુડમાં એક જાણીતું નામ છે. તે ભારતીય ફિલ્મ નિર્દેશક, નિર્માતા, એક્ટ્રેસ અને કોરિયોગ્રાફર છે. તેણે ઘણી હિરોઈનોને આંગળીઓ પર નચાવી છે. તેણે 100થી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી છે. આવો જાણીએ તેના બર્થડે પર તેમની ખાસ વાતો.

ફરાહ ખાનનો જન્મ મુંબઈમાં જ થયો હતો. તેની માતાનું નામ મેનકા છે, જે સ્ક્રીન રાઈટર હની ઈરાનીની બહેન છે. તેના ભાઈનું નામ સાજિદ ખાન છે, જે બોલિવૂડમાં ડાયરેકટર તરીકે કામ કરી રહ્યો છે. આ સિવાય તે કોમેડિયન અને એક્ટર પણ છે.

બહુ ઓછા લોકો જાણે છે કે ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર ફરાહ ખાનના કઝીન છે. ફરાહ ખાને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સોશિયોલોજીમાં અભ્યાસ પૂરો કર્યો. તે માઈકલ જેક્સનથી એટલી પ્રભાવિત થઈ કે તેણે ડાન્સમાં પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું હતું.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

તેણે ડાન્સ માટે કોઈની પાસેથી ટ્રેનિંગ લીધી ન હતી, બધું જાતે જ શીખ્યું અને પછી એક ગ્રુપની સ્થાપના કરી હતી. 2004માં ફરાહે શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને ત્રણ બાળકો છે. તેમના પતિ શિરીષ કુન્દર પણ ફિલ્મ નિર્દેશક છે. તેઓ ફિલ્મ ‘મેં હું ના’ફિલ્મના એડિટર અને ‘જોકર’ના ડાયરેક્ટર હતા.

સરોજ ખાને ફિલ્મ છોડી દેતા ફરાહના કરિયર શરૂ થઈ

ફરાહનું કરિયર કોઈએ ફિલ્મ છોડ્યા પછી શરૂ થયું. મતલબ કે જ્યારે કોરિયોગ્રાફર સરોજ ખાને ફિલ્મ ‘જો જીતા વોહી સિકંદર’ છોડી દીધી હતી, ત્યારે તે જગ્યા ફરી ફરાહ ખાને લીધી હતી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ફરાહ શાહરુખ ખાનને ફિલ્મ ‘કભી હા કભી ના’ના સેટ પર મળી હતી અને ત્યારથી બંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા અને બંનેએ સાથે ઘણી ફિલ્મો પણ કરી છે.

ફરાહ ખાને મોનસૂન વેડિંગ, બોમ્બે ડ્રીમ્સ, વેનિટી ફેર જેવી ફિલ્મો કરી, જેમાં તેણીના કામને જોતા તેને વર્ષ 2004માં શ્રેષ્ઠ કોરિયોગ્રાફર માટે ટોની એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ એ સાચું છે કે તેને 5 વખત ફિલ્મફેર બેસ્ટ કોરિયોગ્રાફરનો એવોર્ડ પણ મળ્યો છે. ફરાહનની ડાયરેકટર તરીકે પહેલી ફિલ્મ ‘મેં હું ના’ હતી. જેમાં શાહરૂખ ખાન હીરો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

આ પછી ફરાહે ‘ઓમ શાંતિ ઓમ’નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મે રિલીઝ દરમિયાન સૌથી વધુ કમાણી કરી. આ ફિલ્મને ઘણી પ્રશંસા મળી. પરંતુ તેની ત્રીજી ફિલ્મ ‘તીસ માર ખાન’ ફ્લોપ ગઈ હતી. ફરાહ ખાને એમટીવી વીડિયો મ્યુઝિક એવોર્ડ્સ માટે કોલંબિયન પોપ સ્ટાર શકીરાના ગીત ‘હિપ્સ ડોન્ટ લાઈ’ના બોલિવૂડ વર્ઝન માટે તેને તાલીમ આપી હતી.

ફરાહે ઘણા શોને જજ કર્યા

ફરાહ ખાન પણ સારી હોસ્ટ છે. તેણે સેલિબ્રિટી ચેટ શો ‘તેરે મેરે બીચ મેં’ હોસ્ટ કર્યો હતો. આ સિવાય તેણીએ ઈન્ડિયન આઈડલની સીઝન 1 અને સીઝન 2, જો જીતા વોહી સુપરસ્ટાર, એન્ટરટેઈનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા અને ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ જેવા શો પણ જજ કર્યા હતા. ફરાહ ખાનની કારકિર્દી લાંબી રહી છે. આજે તે 56 વર્ષની થઈ ગઈ છે.

આ પણ વાંચો : Photos : રાની ચેટર્જીએ વગર મેકઅપ શેર કરી સેલ્ફી, ફેન્સ બોલ્યા – Wahh…

આ પણ વાંચો : સુપરસ્ટાર યશે જન્મદિવસે ખોલ્યું રહસ્ય, એક્ટર બનવા માટે માત્ર આટલા પૈસા લઈને ઘરેથી ભાગ્યો હતો

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">