AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લખીમપુરમાં વિધાયક લખેલ સ્કોર્પિયોએ બે ભાઈઓને કચડી માર્યા, ડ્રાઈવરની ધરપકડ

લખીમપુરમાં વિધાયક (MLA) લખેલી સ્કોર્પિયોએ બે બાઇક સવારોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં બંને યુવકોના મોત નિપજ્યા હતા. અકસ્માત કર્યા પછી, ડ્રાઇવર સ્થળ પરથી ભાગી છુટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળાએ તેની યોજનાને નિષ્ફળ બનાવી હતી.

લખીમપુરમાં વિધાયક લખેલ સ્કોર્પિયોએ બે ભાઈઓને કચડી માર્યા, ડ્રાઈવરની ધરપકડ
accident in lakhimpur
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 9:12 AM
Share

લખીમપુરમાં (Lakhimpur)  પીલીભીત બસ્તી હાઈવે પર કોતવાલી સદર વિસ્તારમાં રવિવારે મોડી સાંજે એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. આ અકસ્માત વિધાયક (ધારાસભ્ય) લખેલી સ્કોર્પિયો કાર (Scorpio car) દ્વારા થયો હતો, જેમાં બાઇક પર સવાર બે લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી સ્કોર્પિયો ચાલકની ધરપકડ કરીને કાર કબજે કરી લીધી છે. પીલીભીત બસ્તી રોડ પર વિધાયક (MLA) લખેલી સ્કોર્પિયોએ બે બાઇક સવારોને કચડી નાખ્યા. અકસ્માતમાં બંને યુવાનોના ઘટના સ્થળે જ અકાળે મોત નિપજ્યા હતા.

અકસ્માતને પગલે વાહન ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અકસ્માતને પગલે એકત્ર થયેલા ટોળાએ વાહન ચાલકની ઘટનાસ્થળેથી ભાગી છુટવાની યોજનાને નિષ્ફળ બનાવી દીધી. અકસ્માતને જોતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

કહેવાય છે કે લખમીપુર ખીરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કિરાતપુર ગામમાં રહેતા રવિ અને વિક્રમ રવિવારે સાંજે કોઈ કામ માટે બાઇક પર રામાપુર આવ્યા હતા. મોડી સાંજે પીલીભીત બસ્તી રોડ પર સદર કોતવાલી વિસ્તારના પાંગી ખુર્દ ગામ પાસે બંને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાળા રંગની સ્કોર્પિયો કારે તેઓને કચડી માર્યા હતા. અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

અકસ્માત બાદ કારચાલક પોતાનું વાહન મુકીને સ્થળ પરથી નાસી ગયો હતો. કાર પર વિધાયક (MLA) લખેલું છે. અકસ્માતને જોતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતાં જ રામાપુર ચોકીની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કાર સદરના ધારાસભ્યની જણાવવામાં આવી રહી છે. જો કે, અધિકારીઓએ હજુ સુધી આની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચોઃ

WHOના વડા આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે, રાજકોટ, જામનગર, ગાંધીનગરમાં કાર્યક્રમમાં આપશે હાજરી

આ પણ વાંચોઃ

LICમાં 20 ટકા FDI માટે સરકારે નિયમોમાં કર્યો મોટો ફેરફાર, શું IPO માં દેખાશે કોઈ મોટો બદલાવ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">