Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char Dham Yatra 2021: ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે જાહેર કરી નવી SOP, જાણો શું છે નવા નિયમો

Char Dham Yatra 2021: અન્ય રાજ્યોમાંથી ઉત્તરાખંડ આવતા પ્રવાસીઓ માટે દેહરાદૂન સ્માર્ટ સિટી પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

Char Dham Yatra 2021: ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે જાહેર કરી નવી SOP, જાણો શું છે નવા નિયમો
Char Dham Yatra 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 6:55 PM

Char Dham Yatra: ચાર ધામ યાત્રા માટે નિયત મર્યાદિત સંખ્યાના પ્રતિબંધને દૂર કર્યા પછી, ઉત્તરાખંડ (Uttrakhand Government) સરકારે SOP જારી કરી છે. એસઓપી મુજબ, દર્શન માટે રજીસ્ટ્રેશન (Registration) અને ઈ-પાસ (E-Pass) જરૂરી રહેશે. આ સાથે બીજા ઘણા નિયમો હશે. જારી કરાયેલ નવી માર્ગદર્શિકા  મુજબ, અન્ય રાજ્યોમાંથી ઉત્તરાખંડ આવતા પ્રવાસીઓ માટે દેહરાદૂન સ્માર્ટ સિટી પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

તમામ યાત્રાળુઓએ કોવિડ રસીના બંને ડોઝ લાગુ કર્યાના 15 દિવસ પછી અથવા મુસાફરીની તારીખના મહત્તમ 72 કલાક પહેલા RTPCR/TrueNat/CBNAAT/RAT કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે. તે પછી જ ચારધામ યાત્રાની પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત, કોરોના સંક્રમણને રોકવા માટે અગાઉ જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવું પણ ફરજિયાત છે.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

મર્યાદિત સંખ્યાના નિયમને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. છેલ્લા 3 સપ્તાહમાં, હાઇકોર્ટે ચાર ધામ યાત્રાને શરતી મંજૂરી આપતા, કેદારનાથમાં માત્ર 800 યાત્રાળુઓ, બદ્રીનાથમાં 1000, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 યાત્રાળુઓને દર્શન માટે પરવાનગી આપવાની વ્યવસ્થા કરી હતી. ત્યારથી, ભક્તો ભેગા થઈ રહ્યા હતા અને ચારે ધામમાં પહોંચી રહ્યા હતા. આ કારણે ઘણી સમસ્યાઓ ઉભી થઈ રહી હતી. આ સ્થિતિમાં, જિલ્લા વહીવટીતંત્રે ઘણા ભક્તોને રોકવા અથવા પાછા મોકલવા પડતાં હતા.

કોર્ટે યાત્રાળુઓ માટે તબીબી વ્યવસ્થા માટે પણ નિર્દેશ આપ્યો છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે રાજ્ય સરકારે ગુરુવારે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને મુસાફરોની સંખ્યાની મર્યાદા વધારવાની માગ કરી હતી. જો કે, કોર્ટે ઉત્તરાખંડ સરકારને આદેશ આપ્યો છે કે તમામ યાત્રાળુઓ માટે તબીબી વ્યવસ્થા પૂરી કરવી જોઈએ. આ સાથે, ચારેય ધામમાં તબીબી સુવિધાઓ માટે હેલિકોપ્ટર તૈયાર રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Sabrimala Trith Yatra: નવેમ્બર મહિનાથી શરૂ થશે પ્રસિદ્ધ સબરીમાલા તીર્થયાત્રા, કેરળ સરકારે તૈયાર કર્યો વર્ક પ્લાન

આ પણ વાંચો: Navratri 2021 : નવરાત્રિમાં વ્રત પહેલા કરો આ કામ, દરેક મનોકામના પૂરી થશે

કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો
26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો
g clip-path="url(#clip0_868_265)">