AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Kheri incident: યુપી સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ નથી સુપ્રીમ કોર્ટ, વધુ સુનાવણી 20 ઓક્ટોબરે

ઉત્તર પ્રદેશ સરકાર તરફે હરીશ સાલ્વે રજૂઆત કરતા કહ્યુ કે, અજય મિશ્રાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે આવતીકાલે સવારે કોર્ટમાં હાજર થશે. તેમને નોટિસ મોકલવામાં આવી છે.

Lakhimpur Kheri incident: યુપી સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ નથી સુપ્રીમ કોર્ટ, વધુ સુનાવણી 20 ઓક્ટોબરે
Supreme Court (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 2:44 PM
Share

સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે લખીમપુર ખીરી કેસની (Lakhimpur Kheri incident) સુનાવણી કરી હતી. દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ઉત્તરપ્રદેશ સરકારે લખીમપુર ખીરી કેસની તપાસમાં લીધેલા પગલાંથી સંતુષ્ટ નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, જો આરોપી સામાન્ય માણસ હોત તો તેને આવી મુક્તિ મળી હોત. SIT માં માત્ર સ્થાનિક અધિકારીઓને રાખવામાં આવ્યા છે. આ કેસ એવો નથી કે તેને સીબીઆઈને સોંપવો યોગ્ય ન ગણાય. આપણે બીજી રીતે જોવું પડશે. ડીજીપી પુરાવા સુરક્ષિત રાખો. હવે આ કેસની વધુ સુનાવણી આગામી 20 ઓક્ટોબરે હાથ ધરાશે.

કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને (Government of Uttar Pradesh) પૂછ્યું કે જ્યારે મૃત્યુ કે ગોળીબારની ઇજા જેવા ગંભીર આરોપો આ કેસમાં સામેલ હોય ત્યારે પણ શું આરોપીઓ સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં આઠ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે અને કાયદાએ તમામ આરોપીઓ સામે પોતાનો માર્ગ અપનાવવો જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે, મામલાની ગંભીરતાને સમજીને અમને આશા છે કે યુપી સરકાર આ મામલે જરૂરી પગલાં લેશે.

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે (Harish Salve) સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે કોર્ટમાં કહ્યું કે અજય મિશ્રાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે આવતીકાલે સવારે કોર્ટમાં હાજર થશે. તેમને નોટિસ મોકલવામાં આવી છે.

આ પહેલા ગુરુવારે કોર્ટે યુપી સરકારને આ મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને પૂછ્યું છે કે કેટલા લોકો સામે ગુનો નોંધાયો છે અને કોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad : અસાધ્ય રોગથી પીડિતા દર્દી માટે આશિર્વાદરુપ પેલિએટીવ કેર, દર્દી અંતિમ ક્ષણ સુધીનું જીવન શક્ય તેટલું સક્રિય અને ઉત્સાહથી જીવી શકે છે

આ પણ વાંચોઃ Surat : નહીં રહે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા : ઉકાઈ ડેમના 49 વર્ષના ઇતિહાસમાં 11 વખત ડેમ સંપૂર્ણ છલકાઈ ઉઠ્યો

Follow Us
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
g clip-path="url(#clip0_868_265)">