AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Kheri incident: યુપી સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ નથી સુપ્રીમ કોર્ટ, વધુ સુનાવણી 20 ઓક્ટોબરે

ઉત્તર પ્રદેશ સરકાર તરફે હરીશ સાલ્વે રજૂઆત કરતા કહ્યુ કે, અજય મિશ્રાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે આવતીકાલે સવારે કોર્ટમાં હાજર થશે. તેમને નોટિસ મોકલવામાં આવી છે.

Lakhimpur Kheri incident: યુપી સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ નથી સુપ્રીમ કોર્ટ, વધુ સુનાવણી 20 ઓક્ટોબરે
Supreme Court (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 2:44 PM
Share

સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે લખીમપુર ખીરી કેસની (Lakhimpur Kheri incident) સુનાવણી કરી હતી. દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ઉત્તરપ્રદેશ સરકારે લખીમપુર ખીરી કેસની તપાસમાં લીધેલા પગલાંથી સંતુષ્ટ નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, જો આરોપી સામાન્ય માણસ હોત તો તેને આવી મુક્તિ મળી હોત. SIT માં માત્ર સ્થાનિક અધિકારીઓને રાખવામાં આવ્યા છે. આ કેસ એવો નથી કે તેને સીબીઆઈને સોંપવો યોગ્ય ન ગણાય. આપણે બીજી રીતે જોવું પડશે. ડીજીપી પુરાવા સુરક્ષિત રાખો. હવે આ કેસની વધુ સુનાવણી આગામી 20 ઓક્ટોબરે હાથ ધરાશે.

કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને (Government of Uttar Pradesh) પૂછ્યું કે જ્યારે મૃત્યુ કે ગોળીબારની ઇજા જેવા ગંભીર આરોપો આ કેસમાં સામેલ હોય ત્યારે પણ શું આરોપીઓ સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં આઠ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે અને કાયદાએ તમામ આરોપીઓ સામે પોતાનો માર્ગ અપનાવવો જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે, મામલાની ગંભીરતાને સમજીને અમને આશા છે કે યુપી સરકાર આ મામલે જરૂરી પગલાં લેશે.

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે (Harish Salve) સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે કોર્ટમાં કહ્યું કે અજય મિશ્રાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે આવતીકાલે સવારે કોર્ટમાં હાજર થશે. તેમને નોટિસ મોકલવામાં આવી છે.

આ પહેલા ગુરુવારે કોર્ટે યુપી સરકારને આ મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને પૂછ્યું છે કે કેટલા લોકો સામે ગુનો નોંધાયો છે અને કોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad : અસાધ્ય રોગથી પીડિતા દર્દી માટે આશિર્વાદરુપ પેલિએટીવ કેર, દર્દી અંતિમ ક્ષણ સુધીનું જીવન શક્ય તેટલું સક્રિય અને ઉત્સાહથી જીવી શકે છે

આ પણ વાંચોઃ Surat : નહીં રહે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા : ઉકાઈ ડેમના 49 વર્ષના ઇતિહાસમાં 11 વખત ડેમ સંપૂર્ણ છલકાઈ ઉઠ્યો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">