Lakhimpur Kheri incident: યુપી સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ નથી સુપ્રીમ કોર્ટ, વધુ સુનાવણી 20 ઓક્ટોબરે

ઉત્તર પ્રદેશ સરકાર તરફે હરીશ સાલ્વે રજૂઆત કરતા કહ્યુ કે, અજય મિશ્રાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે આવતીકાલે સવારે કોર્ટમાં હાજર થશે. તેમને નોટિસ મોકલવામાં આવી છે.

Lakhimpur Kheri incident: યુપી સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ નથી સુપ્રીમ કોર્ટ, વધુ સુનાવણી 20 ઓક્ટોબરે
Supreme Court (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 2:44 PM

સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે લખીમપુર ખીરી કેસની (Lakhimpur Kheri incident) સુનાવણી કરી હતી. દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ઉત્તરપ્રદેશ સરકારે લખીમપુર ખીરી કેસની તપાસમાં લીધેલા પગલાંથી સંતુષ્ટ નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, જો આરોપી સામાન્ય માણસ હોત તો તેને આવી મુક્તિ મળી હોત. SIT માં માત્ર સ્થાનિક અધિકારીઓને રાખવામાં આવ્યા છે. આ કેસ એવો નથી કે તેને સીબીઆઈને સોંપવો યોગ્ય ન ગણાય. આપણે બીજી રીતે જોવું પડશે. ડીજીપી પુરાવા સુરક્ષિત રાખો. હવે આ કેસની વધુ સુનાવણી આગામી 20 ઓક્ટોબરે હાથ ધરાશે.

કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને (Government of Uttar Pradesh) પૂછ્યું કે જ્યારે મૃત્યુ કે ગોળીબારની ઇજા જેવા ગંભીર આરોપો આ કેસમાં સામેલ હોય ત્યારે પણ શું આરોપીઓ સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં આઠ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે અને કાયદાએ તમામ આરોપીઓ સામે પોતાનો માર્ગ અપનાવવો જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે, મામલાની ગંભીરતાને સમજીને અમને આશા છે કે યુપી સરકાર આ મામલે જરૂરી પગલાં લેશે.

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે (Harish Salve) સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે કોર્ટમાં કહ્યું કે અજય મિશ્રાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે આવતીકાલે સવારે કોર્ટમાં હાજર થશે. તેમને નોટિસ મોકલવામાં આવી છે.

આ પહેલા ગુરુવારે કોર્ટે યુપી સરકારને આ મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને પૂછ્યું છે કે કેટલા લોકો સામે ગુનો નોંધાયો છે અને કોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad : અસાધ્ય રોગથી પીડિતા દર્દી માટે આશિર્વાદરુપ પેલિએટીવ કેર, દર્દી અંતિમ ક્ષણ સુધીનું જીવન શક્ય તેટલું સક્રિય અને ઉત્સાહથી જીવી શકે છે

આ પણ વાંચોઃ Surat : નહીં રહે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા : ઉકાઈ ડેમના 49 વર્ષના ઇતિહાસમાં 11 વખત ડેમ સંપૂર્ણ છલકાઈ ઉઠ્યો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">