AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Violence: સુપ્રીમ કોર્ટે કહ્યું- SIT તપાસની દેખરેખ માટે રાજ્ય બહારથી હાઈકોર્ટના પૂર્વ જજની નિમણૂક કરવામાં આવશે

સુપ્રીમ કોર્ટે SIT તપાસની દેખરેખ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજની (જસ્ટિસ રણજીત સિંહ અને રાકેશ કે. જૈન) નિમણૂક કરવાનું સૂચન કર્યું હતું.

Lakhimpur Violence: સુપ્રીમ કોર્ટે કહ્યું- SIT તપાસની દેખરેખ માટે રાજ્ય બહારથી હાઈકોર્ટના પૂર્વ જજની નિમણૂક કરવામાં આવશે
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 4:26 PM
Share

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખીમપુરમાં થયેલી હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. યુપી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું, ‘તમે જેને તપાસની દેખરેખ માટે નિયુક્ત કરવા માંગો છો, તમે તે કરો. અમે તૈયાર છીએ.’ સુનાવણી દરમિયાન CJI NV રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કહ્યું કે, અમે રાજ્યની બહાર હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસની નિમણૂક કરીશું. જેના પર સાલ્વેએ કહ્યું, ‘અમે સ્વીકારીશું’.

ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે કોર્ટ 3 ઓક્ટોબરે લખીમપુર હિંસાની (Lakhimpur Violence) SIT તપાસની દેખરેખ માટે નિવૃત્ત જજની નિમણૂક કરી શકે છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે SIT તપાસની દેખરેખ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજ (જસ્ટિસ રણજીત સિંહ અને રાકેશ કે. જૈન)ની નિમણૂક કરવાનું સૂચન કર્યું હતું.

તપાસની દેખરેખ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક CJI NV રમનાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, અમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રાકેશ કુમાર જૈન અથવા અન્ય પર વિચાર કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે બુધવારે તપાસની દેખરેખ માટે નિવૃત્ત હાઇકોર્ટ જજની નિમણૂક કરી શકે છે.

ઉત્તર પ્રદેશ સરકાર કોર્ટના નિર્ણય પર સહમત સુનાવણીની શરૂઆતમાં, ઉત્તર પ્રદેશ સરકાર સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસની દેખરેખ માટે ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવા સંમત થઈ હતી. ઉત્તર પ્રદેશ સરકાર વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે કોર્ટ તપાસની દેખરેખ માટે જેને પણ નિયુક્ત કરવા માંગે છે, અમે તૈયાર છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે રાજ્ય બહારથી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસની નિમણૂક કરીશું. ઉત્તર પ્રદેશ સરકારના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે અમે સ્વીકારીશું. કોર્ટે કહ્યું કે જજની નિમણૂક કરવા માટે અમે એક દિવસનો સમય લઈશું.

SITમાં સામેલ અધિકારીઓ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે SITમાં સામેલ અધિકારીઓને પણ સવાલ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લખીમપુરના અધિકારી હાલમાં SITમાં સામેલ છે. કોર્ટે કહ્યું કે ઉચ્ચ અધિકારીઓને SITમાં સામેલ કરવામાં આવે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને કહ્યું છે કે તેઓ આવતીકાલ સુધીમાં SITમાં સામેલ કરવા માટે એવા IPS અધિકારીઓના નામ આપે જેઓ ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યા છે, પરંતુ મૂળ ઉત્તર પ્રદેશના નથી.

આ પણ વાંચો : બાબાસાહેબ પુરંદરે : પોતાની લેખન શૈલી વડે છત્રપતિ શિવાજીના ચરિત્રને ઘરે ઘરે પહોચાડ્યુ હતુ, જાણો તેમના જીવન-કર્મ વિશે

આ પણ વાંચો : આખરે કેનેડાએ ભારતને સુપ્રત કરી 100 વર્ષ પહેલા ચોરાયેલી મા અન્નપૂર્ણાની પ્રતિમા, કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમાની જાણો વિશેષતા

Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
g clip-path="url(#clip0_868_265)">