AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાની ત્રીજી લહેરમાં મજૂરોનું શહેરોમાંથી ગામડા તરફ પલાયન શરૂ થયું ? વાંચો સરકારે આ અંગે શું આપ્યો જવાબ

સરકારે આવા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે હાલમાં આવી કોઈ ઘટના જોવા મળી રહી નથી. સરકારના મતે આવા મીડિયા અહેવાલો ખોટા અને બનાવટી છે.

કોરોનાની ત્રીજી લહેરમાં મજૂરોનું શહેરોમાંથી ગામડા તરફ પલાયન શરૂ થયું ? વાંચો સરકારે આ અંગે શું આપ્યો જવાબ
Migrant Labour (Photo - PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 9:25 PM
Share

મીડિયામાં એવા સમાચાર છે કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કારણે ત્રીજી લહેરે કામદારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે મજૂરોએ (Migrant Labour) શહેરોમાંથી પોતપોતાના ગામ તરફ જવાની શરૂઆત કરી દીધી છે. જો કે, સરકારે આવા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે હાલમાં આવી કોઈ ઘટના જોવા મળી રહી નથી. સરકારના મતે આવા મીડિયા અહેવાલો ખોટા અને બનાવટી છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કોરોનાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, કેટલાક મીડિયા અહેવાલોમાં, કોરોનાને કારણે, પ્રવાસી મજૂરોને શહેરોથી ગામડાઓમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. આ ખોટું હોવાનું જાણવા મળ્યું છે અને જોવામાં આવ્યું છે કે આવા સમાચારોમાં જૂના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2020ની પ્રથમ લહેરમાં, મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો શહેરોથી ગામડાઓમાં જઈ રહ્યા હતા. લોકડાઉનને કારણે ઘણા મજૂરો પગપાળા પોતાના ઘરે જવા રવાના થયા છે. આ દરમિયાન કેટલાક અકસ્માતો પણ થયા, ઘણી દર્દનાક ઘટનાઓ સામે આવી. જેના કારણે કેન્દ્ર સરકાર અને ઘણી રાજ્ય સરકારોને ભારે નુકસાન થયું હતું.

કેન્દ્ર સરકારની તૈયારી

શ્રમ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રમ સચિવે 12 જાન્યુઆરીના રોજ રાજ્યો સાથે ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે બેઠક યોજી છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ હતી. મીટીંગમાં કામદારોની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો અને ભવિષ્યની તૈયારીઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી.

આ બેઠકમાં અધિક મુખ્ય સચિવો, મુખ્ય સચિવો, રાજ્યોના શ્રમ સચિવો, તમામ રાજ્યોના શ્રમ કમિશનરો, રેલ્વે મંત્રાલયના અધિકારીઓ અને ખાદ્ય અને પીડીએસ અધિકારીઓએ હાજરી આપી હતી.

ફેક્ટરી અને બાંધકામનું કામ અટક્યું નથી

રાજ્ય સરકારોએ જણાવ્યું છે કે નાઈટ કર્ફ્યુ અને વીકએન્ડ કર્ફ્યુ સિવાય કોઈપણ રાજ્યમાં કોઈ પ્રતિબંધ નથી. આવા પગલા એટલા માટે પણ લેવા પડ્યા કારણ કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બાંધકામના કામો પર કોઈ પ્રતિબંધ નથી, ધંધાકીય પ્રવૃત્તિઓ પહેલાની જેમ ચાલુ છે, દુકાનો ખુલી રહી છે અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પણ રાબેતા મુજબ ચાલુ છે.

આ સ્થિતિમાં કામદારોના ગામમાં પાછા ફરવાનો પ્રશ્ન જ નથી. હાલમાં મર્યાદિત સ્તરે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેથી કામદારો તેમના ઘરે પાછા ફરશે નહીં. દેશના કેટલાક ભાગોમાં, ઓફિસો 50 ટકા ક્ષમતા સાથે કાર્યરત છે, આ સિવાય કોઈપણ પ્રકારના વ્યવસાય પર કોઈ પ્રતિબંધ નથી.

આ પણ વાંચો : Delhi Corona Update : માત્ર 13 દિવસમાં કોરોનાના દોઢ લાખથી વધુ કેસ, 79 ટકા સેમ્પલમાં ઓમિક્રોનની પુષ્ટિ

આ પણ વાંચો : West Bengal Corona Update: કોલકાતાથી દુબઇની ફ્લાઇટમાં 8 કોરોના પોઝિટીવ યાત્રીઓ મળી આવતા પ્રશાસનની ચિંતામાં વધારો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">