Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Effect: ICUમાં દાખલ થવાની સંભાવનાને ઘટાડે છે કોરોના વેક્સિન, જાણો આ બાબતે શું કહેવું છે વિશેષજ્ઞોનું

નિષ્ણાતો સહમત છે કે જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી છે તેઓને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઘણી ઓછી છે અને જો તેઓને હોસ્પિટલમાં જવાની જરૂર હોય તો પણ તેઓ ગંભીર સ્થિતિમાં ન હોય.

Omicron Effect: ICUમાં દાખલ થવાની સંભાવનાને ઘટાડે છે કોરોના વેક્સિન, જાણો આ બાબતે શું કહેવું છે વિશેષજ્ઞોનું
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 11:02 PM

11 જાન્યુઆરીએ દિલ્હી સરકાર (Delhi Government)ના હેલ્થ બુલેટિનમાં બહાર આવ્યું હતું કે 5થી 9 જાન્યુઆરી વચ્ચે શહેરમાં કોવિડ (Covid)ને કારણે થયેલા 46 મૃત્યુમાંથી 35 (એટલે ​​​​કે 76 ટકા) એવા હતા જેમણે રસી લીધી હતી. મૃત્યુ પામેલા 21 દર્દીઓને અન્ય કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેઓ કોરોના વાયરસથી સંક્રમિત જણાયા હતા. 6 જાન્યુઆરી 2022ના રોજ મુંબઈ (Mumbai) ની હોસ્પિટલોમાં ઓક્સિજન સપોર્ટ પર 96 ટકા દર્દીઓ તેવા હતા, જેમણે રસી લીધી ન હતી.

ચંદીગઢ, જયપુર અને બેંગ્લોર શહેરોના ડોકટરોએ પણ કહ્યું કે આ ટ્રેન્ડ તેમની હોસ્પિટલોમાં પણ દેખાઈ રહ્યું છે. 50 વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેમને રસી આપવામાં આવી ન હતી તેમને વધારાની કાળજીની જરૂર હતી. તાજેતરના આંકડાઓ અનુસાર ભારતમાં 91 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ અત્યાર સુધીમાં આંશિક રીતે રસી લગાવી છે (એટલે ​​કે તેઓએ ઓછામાં ઓછો તેમનો પ્રથમ ડોઝ મેળવ્યો છે),

જ્યારે માત્ર 66 ટકા લોકોએ અત્યાર સુધીમાં બંને ડોઝ લીધા છે. આનો અર્થ એ થયો કે હજુ પણ 34 ટકા વસ્તીએ સંપૂર્ણ રસીકરણ કર્યું નથી. જો કે આમાંના ઘણાને તેમની પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ છે જેના કારણે તેઓએ બીજો ડોઝ લીધો નથી.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

TV9એ નિષ્ણાતો સાથે રસી લેતા અચકાતા કારણો વિશે વાત કરી. સાથે સાથે તે પણ જાણવાની કોશિશ કરવામાં આવી છે કે શું માત્ર વેક્સિન જ ઘાતક કોરોના સામે એક માત્ર આશા છે ? ચાલો જાણીએ શું કહે છે તજજ્ઞો…

2021ના ​​સર્વેમાં 12 કરોડ એવા લોકો સામે આવ્યા છે જેઓ રસી લેવા માંગતા ન હતા. લોકલ સર્કલે રસી લેવામાં ખચકાટના સંદર્ભમાં ઓક્ટોબર 2021ની શરૂઆતમાં એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે અનુસાર લગભગ 11.59 કરોડ લોકો રસીનો કોઈપણ ડોઝ લેવાથી ખચકાતા હતા. ડિસેમ્બર 2021 સુધીમાં જેમને રસીની એક પણ માત્રા મળી ન હતી, તેમાંથી 23 ટકા લોકોએ કહ્યું કે તેઓ વહેલા જ ડોઝ લેવા પર વિચાર કરી રહ્યા છે.

જ્યારે અન્ય 16 ટકા લોકોએ કહ્યું કે તેઓ વિવિધ વેરિએન્ટ પર રસીની અસરથી સંબંધિત ડેટા આવ્યા પછી ભવિષ્યમાં રસી લેશે. સર્વેમાં ભાગ લેનારા 15 ટકા નાગરિકોએ કહ્યું કે તેમની રસી લેવાની કોઈ યોજના નથી. 23 ટકા લોકોએ કહ્યું કે તેઓ રસી લેતા નથી કારણ કે તેની આડ અસરો અંગે હજુ પણ અનિશ્ચિતતા છે.

રસી અંગે આ સંકોચ શા માટે?

નિષ્ણાતોના મતે આ માટે રસી વિરોધી ગ્રૂપ જવાબદાર છે. સીએમસી વેલ્લોરના જાણીતા વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જ્હોને TV9 ને જણાવ્યું-

“રસી અંગેની ખચકાટ શરૂઆતમાં જોવા મળી હતી અને તે એટલા માટે કારણ કે કેટલાક ખરાબ નિર્ણયો પછી લોકોનો વિશ્વાસ થોડો ડગ્યો હતો. આ પરિસ્થિતિ માટે સરકારને સંપૂર્ણપણે દોષી ઠેરવી શકાય નહીં, કારણ કે તે માત્ર અરાજકતામાં લેવામાં આવેલા પગલાં હતા. ડેલ્ટા સંક્રમણ દરમિયાન અમે ઘણા લોકોને રસી મેળવવા માટે આગળ આવતા જોયા, કારણ કે તેઓને ખાતરી હતી કે તે સાચો નિર્ણય હતો. પરંતુ ડેલ્ટા ખૂબ જ ઝડપથી અદૃશ્ય થઈ ગયું હતું, તેથી રોગચાળાનો કોઈ ભય નહોતો. જેઓ રસી મેળવ્યા વિના ડેલ્ટામાં બચી ગયા હતા તેઓને લાગ્યું કે રસી ન લેવી તે વધુ સારું છે.”

તેમણે વધુમાં કહ્યું કે રસી સામે ગેરમાર્ગે દોરવામાં આવેલા મોટાભાગના લોકો 2020-21માં વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મેસેજના રૂપમાં મોકલવામાં આવતી અવૈજ્ઞાનિક માહિતીનો ભોગ બન્યા હતા.

ICMRના એડિશનલ ડાયરેક્ટર સમીરન પાંડાના જણાવ્યા અનુસાર રસી અંગેની ખચકાટ માત્ર COVID-19 રસી સાથે સંબંધિત નથી. તેણે કહ્યું, “અમે આ પ્રકારની ભાવનાથી પરિચિત છીએ. આ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ જોવા મળ્યું છે. ભૂતકાળમાં, આપણે જોયું છે કે પોલિયોની રસી વિશે પણ લોકોમાં કેટલી ખચકાટ રહેતી હતી. આના ઘણા કારણો છે. પ્રથમ, તે દ્વીધાને કારણે છે કે રસી લેવી કે નહીં. અલબત્ત ત્યાં રસી વિરોધી જૂથો છે જે તમામ પ્રકારની રસીઓ વિરુદ્ધ છે.

તેઓ તેમના નિવેદનોથી લોકોને પ્રભાવિત કરે છે અને રસી સામે લોકોમાં ડર પેદા કરે છે. આ જૂથો દરેક જગ્યાએ છે – ઈન્સ્ટાગ્રામથી ટેલિગ્રામ સુધી. બીજું, એવું પણ બની શકે છે કે જ્યારે બીજો ડોઝ આવી રહ્યો હતો ત્યારે વ્યક્તિની તબિયત સારી ન હોય અને તેથી તેને સાવ ટાળી દીધી હોય.”

શું ડેલ્ટા અને ઓમિક્રોનના ખતરાથી બચવાની એકમાત્ર આશા રસી છે?

નિષ્ણાતો સહમત છે કે જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી છે તેઓને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઘણી ઓછી છે અને જો તેઓને હોસ્પિટલમાં જવાની જરૂર હોય તો પણ તેઓ ગંભીર સ્થિતિમાં ન હોય. ડો. પાંડાના જણાવ્યા મુજબ-

“અમને ભારતમાં હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોને વેન્ટિલેટરની એટલી જરૂર નથી લાગતી. આ એક સારો સંકેત છે. આ સાબિત કરે છે કે ભલે કોરોનાની રસી ચેપને રોકવામાં અસમર્થ હોય, પરંતુ તે રોગની ગંભીરતાને ઓછી કરે છે. રસીકરણનો ઉદ્દેશ્ય રોગને અટકાવવાનો નથી, પરંતુ વ્યક્તિમાં ચેપની શક્યતા ઘટાડવા અને તેને રોગનો સામનો કરવા સક્ષમ બનાવવાનો છે.

ગુરુગ્રામની મણિપાલ હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિનનાં નિષ્ણાત ડૉ. અમિતાભ ઘોષે આ અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે રસીકરણનો ઉદ્દેશ્ય દેશમાં મૃત્યુદર અથવા CFR ઘટાડવાનો છે. તેમણે કહ્યું, “ભવિષ્યમાં ચોક્કસપણે રસીકરણ એકમાત્ર વિકલ્પ છે. અમારો હેતુ હોસ્પિટલમાં દાખલ થવાનો અને મૃત્યુ દર ઘટાડવાનો છે.

કોવિડ પ્રોટોકોલમાં રસીકરણનો સમાવેશ થવો જોઈએ. માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને સામાજિક અંતર જાળવવાની સાથે, આનું પણ પાલન કરવું જોઈએ. છેલ્લા 10 દિવસ દરમિયાન, મેં જોયું છે કે મારા કોવિડ દર્દીઓ કે જેમણે રસીના બંને ડોઝ લીધા છે તેઓ ખૂબ ગંભીર નથી.

નવી દિલ્હીની PSRI હોસ્પિટલના વરિષ્ઠ પલ્મોનોલોજિસ્ટ ડૉ. નીતુ જૈન આ વાત સાથે સહમત છે-

“દિલ્હીમાં રસીકરણ વિનાના દર્દીઓના મૃત્યુ અમારી માન્યતાને યોગ્ય ઠેરવે છે કે રસીકરણ એ અમારી એકમાત્ર આશા છે. અન્ય દેશોના આંકડા પણ દર્શાવે છે કે હોસ્પિટલમાં દાખલ થયેલા મોટાભાગના દર્દીઓને રસી આપવામાં આવી નથી.”

શું આરોગ્યસંભાળ કામદારો માટે રસી ફરજિયાત બનાવવી જોઈએ જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી નથી?

રસીકરણના મુદ્દે ભારતની નીતિ સ્વૈચ્છિક રહી છે. આનો અર્થ એ છે કે લોકોને રસી લેવાની ફરજ પાડી શકાય નહીં. ડૉ. પાંડા કહે છે, “આ અભિગમ એકદમ સાચો છે. જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓને ફાયદો થાય છે, પરંતુ અમે લોકોને રસી લેવા દબાણ કરી શકતા નથી.

સરકાર લોકો માટે આવો નિયમ ન બનાવી શકે, સરકારી સંસ્થાઓમાં કામ કરતા લોકો માટે પણ નહીં. છેવટે, તે એક સ્વૈચ્છિક કાર્યક્રમ છે અને તે જ રહેવાની જરૂર છે. વૈજ્ઞાનિક અભ્યાસો વિશે જાણવાની અને તેના આધારે પોતાના અને અન્ય લોકો માટે વ્યાજબી નિર્ણયો લેવાની જવાબદારી લોકોની છે.

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીની પૂર્વોત્તર રાજ્યોને અપીલ, ”દરેક વ્યક્તિએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવુ, શક્ય તેટલી વહેલી તકે 100 ટકા રસીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કરવું’

આ પણ વાંચો: અમદાવાદ : કોર્પોરેશનની 180 જેટલી ટીમ દ્વારા સઘન ચેકિંગ, 11 દિવસમાં 2449 લોકોને ₹ 25.75 લાખનો દંડ ફટકાર્યો

g clip-path="url(#clip0_868_265)">