Diwali 2021: દેશના આ શહેરમાં દિવાળીના બીજા દિવસે ફટાકડા ફોડવાની બદલે પતંગ ઉડાડવામાં આવે છે, જાણો કારણ

આજે દેશભરમાં દિવાળીનો (Diwali) તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, જ્યારે આવતીકાલે એટલે કે શુક્રવારે દેશના ઘણા ભાગોમાં ગોવર્ધન પૂજા એટલે કે નવા વર્ષનની ઉજવણી કરવામાં આવશે. પરંતુ લખનૌમાં પતંગો ઉડાડવામાં આવશે.

Diwali 2021: દેશના આ શહેરમાં દિવાળીના બીજા દિવસે ફટાકડા ફોડવાની બદલે પતંગ ઉડાડવામાં આવે છે, જાણો કારણ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 12:56 PM

દિવાળીનો તહેવાર(Diwali Festival) માત્ર એક દિવસનો નથી. પરંતુ તે લગભગ પાંચ દિવસ સુધી ચાલે છે. ધન તેરસના દિવસથી શરૂ કરીને આ તહેવાર ભાઈ બીજ સુધી ઉજવવામાં આવે છે. ધનતેરસ અને નાની દિવાળી પછી આજે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હવે બીજા દિવસે એટલે કે આવતીકાલે લોકો આ તહેવારને ગોવર્ધન પૂજા એટલે કે નવા વર્ષ તરીકે ઉજવવાના છે અને બીજા દિવસે ભાઈ બીજ તરીકે ઉજવવામાં આવશે.

પરંતુ ભારતમાં એક એવું શહેર છે જ્યાં ગોવર્ધન પૂજાના દિવસે પતંગ ઉડાડવામાં આવે છે. તમે પણ વિચારતા હશો કે આવું કેવી રીતે થઈ શકે, પરંતુ આ શહેરમાં પતંગ મકરસંક્રાંતિના દિવસે નહીં પરંતુ દિવાળીના બીજા દિવસે ઉડાડવામાં આવે છે. આ સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે દિવાળીના બીજા દિવસે કયા શહેરમાં પતંગ ઉડાવવામાં આવે છે અને આ દિવસે અહીં કયો તહેવાર ઉજવવામાં આવે છે.

પતંગ કેમ ઉડાડવામાં આવે છે? તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં દિવાળીના બીજા દિવસે એટલે કે ગોવર્ધન પૂજાના દિવસે પતંગ ઉડાડવામાં આવે છે. જો કે, દેશના અન્ય ભાગોમાં મકરસંક્રાંતિ પર પતંગ ઉડાડવામાં આવે છે. જો કે ઘણા શહેરોમાં અક્ષય તૃતીયા, 15 ઓગસ્ટના રોજ પતંગ ઉડાવવાનો રિવાજ છે. પરંતુ માત્ર લખનૌ અને તેની આસપાસના વિસ્તારમાં જ દિવાળીના દિવસે પતંગ ઉડાડે છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

કેમ ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દિવાળીના બીજા દિવસે લખનૌમાં જામઘાટ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસને મેળાવડાના રૂપમાં માણવામાં આવે છે અને પતંગ ઉડાડવામાં આવે છે. એવું નથી કે લોકો અહીં સાદી પતંગ ઉડાવે છે. પરંતુ શહેરમાં અનેક પ્રકારની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. અલગ-અલગ જગ્યાએથી લોકો અહીં પતંગ ઉડાવે છે અને પેચ લડવાની ઘણી હરીફાઈ થાય છે.

કહેવાય છે કે પતંગ ઉડાવવી એ નવાબોનો શોખ હતો. એવું કહેવાય છે કે નવાબોના સમયમાં પતંગોને દુલ્હનની જેમ શણગારવામાં આવતા હતા, ઘણીવાર સોના અને ચાંદીના તારથી બાંધવામાં આવતા હતા. આ પતંગ જેની અગાસી પર પડતી હતી. તે દિવસે તેમના ઘરે પુલાવ બનાવવામાં આવ્યો હતો. લખનૌમાં પણ પતંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો હોંશે-હોંશે ભાગ લઈ રહ્યા છે.

આ સ્થિતિમાં લખનૌના લોકોનું કહેવું છે કે તેઓ આ દિવસની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. જે લોકો ઘરની બહાર રહે છે, તેઓ પણ આ દિવસે ચોક્કસપણે આવે છે અને પતંગ ઉડાવવાનો આનંદ માણે છે.

આ પણ વાંચો : Petrol-diesel : પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલને ક્યાં સ્ટોર કરવામાં આવે છે ? શું ઘર જેવી જ હોય છે ફ્યુલ ટેન્ક ? આવો જાણીએ

આ પણ વાંચો : Birthday Special : અજય દેવગનના કારણે હજી પણ સિંગલ છે તબુ, જાણો શું છે તેની પાછળનું કારણ

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">