AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેરળમાં ભારે વરસાદે મચાવી તબાહી, કોટ્ટયમમાં ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ગુમ, રાજ્ય સરકારે માંગી એરફોર્સની મદદ

Kerala: ભારે વરસાદને કારણે કોટ્ટયમ અને પથનમથિટ્ટા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ છે. કોટ્ટાયમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ વીડિયોમાં કેએસઆરટીસી બસ પુરના પાણીમાં ફસાઈ છે અને સ્થાનિક લોકો તેમાંથી મુસાફરોને બહાર કાઢી રહ્યા છે.

કેરળમાં ભારે વરસાદે મચાવી તબાહી, કોટ્ટયમમાં ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ગુમ, રાજ્ય સરકારે માંગી એરફોર્સની મદદ
કેરળમાં ભારે વરસાદ. (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 11:34 PM
Share

દક્ષિણ અને મધ્ય કેરળ (Kerala)ના અનેક વિસ્તારોમાં શનિવારે ભારે વરસાદે (Heavy Rain) તબાહી મચાવી આ સાથે જ કોટ્ટયમ અને ઈડુક્કી જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે કેટલાક લોકો ગુમ થયાની આશંકા છે. ભૂસ્ખલનને જોતા રાજ્ય સરકારે બચાવ કામગીરીમાં ભારતીય વાયુસેનાનો સહયોગ માંગ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયે જાણકારી આપી છે કે કોટ્ટયમ જિલ્લાના કોટ્ટીકલમાં એરફોર્સ પાસેથી કોટ્ટયમ અને ઈડુક્કીના ડુંગરાળ વિસ્તારોમાં મદદ માંગવામાં આવી છે, જ્યાં કેટલાક પરિવારો ભૂસ્ખલનને કારણે મુશ્કેલીમાં છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કોટ્ટીકલ અને પેરુવન્થાનમના નજીકના વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની સુચના છે અને આ બે વિસ્તારો અનુક્રમે કોટ્ટાયમ અને ઈડુક્કી જિલ્લામાં આવે છે. તેમણે કહ્યું કે આ ઘટનાઓમાં ઓછામાં ઓછા 10 લોકો ગુમ થયાની આશંકા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે કેરળમાં તૈનાત ભારતીય વાયુસેના અને સેના ત્યાં એલર્ટ પર છે.

નિવેદનમાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે એમઆઈ -17 અને સારંગ હેલિકોપ્ટર જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈનાત છે. કેરળમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વાયુ સેનાની દક્ષિણ કમાનના તમામ ઠેકાણાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ પહેલા સહકાર અને નોંધણી મંત્રી વી.એન. વાસવને કહ્યું કે કોટ્ટાયમ જિલ્લામાં ઓછામાં ઓછા ત્રણ મકાનો ધોવાઈ ગયા છે અને 10 લોકો ગુમ થયાની આશંકા છે.

તેમણે કહ્યું કે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે વાયુસેના અને સેનાના અધિકારીઓની બેઠક ચાલી રહી છે. કોટ્ટયમ જિલ્લાના જુદા જુદા ભાગોમાંથી ઓછામાં ઓછા ચાર ભૂસ્ખલન થયા હોવાના અહેવાલ છે. અમે એરફોર્સ પાસે સહકાર માંગ્યો છે, જેથી કોટ્ટીકલ વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવી શકાય. અમારી પાસે કેટલાક લોકો ગુમ થયાની માહિતી છે અને 60થી વધુ લોકો બચાવ કાર્યની રાહ જોઈ રહ્યા છે કારણ કે પાણી ઘરોમાં ઘૂસી ગયું છે.

એનડીઆરએફની 6 ટીમો પાંચ જિલ્લાઓમાં તૈનાત

રાજ્યમાં શુક્રવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે કોટ્ટયમ અને પથનમથિટ્ટા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ છે. કોટ્ટાયમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ વીડિયોમાં કેએસઆરટીસી બસ પુરના પાણીમાં ફસાઈ છે અને સ્થાનિક લોકો તેમાંથી મુસાફરોને બહાર કાઢી રહ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે NDRFની છ ટીમો પઠનમથિટ્ટા, ઈડુક્કી, અલપ્પુઝા, એર્નાકુલમ અને કોટ્ટયમમાં તૈનાત છે. તિરુવનંતપુરમ અને કોટ્ટયમ જિલ્લામાં સેનાની બે ટીમો તૈનાત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. કટોકટીની સ્થિતિમાં વાયુસેનાને તૈયાર રહેવાની વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો :  પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કર્યા ગંભીર આક્ષેપો, કહ્યું – જનતા સાથે છેતરપિંડી કરીને સત્તામાં આવી શિવસેના

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">