દેવામાં ડુબેલા રીક્ષા ડ્રાઈવરનું ખુલી ગયુ નસીબ, એક ઝટકામાં બની ગયો અધધધ 12 કરોડ રૂપિયાનો માલિક
જયપાલન (ઓટો ડ્રાઇવર)એ જણાવ્યું કે તેણે મીનાક્ષી લકી સેન્ટરથી લોટરીની ટિકિટ ખરીદી હતી. ટિકિટની કિંમત 300 રૂપિયા હતી. તેણે કહ્યું કે તે નિયમિતપણે લોટરીની ટિકિટ ખરીદે છે અને આ પહેલા પણ તે 5,000 રૂપિયા જીતી ચૂક્યો છે.
કેરળ (Kerala)ના એર્નાકુલમ જિલ્લાના 58 વર્ષીય ઓટો-રિક્ષા ચાલકનું ભાગ્ય એવું ચમક્યું કે તે એક જ ઝટકામાં કરોડપતિ બની ગયો. વાસ્તવમાં આ ઓટો-રિક્ષા ચાલકને રાજ્ય સરકારે 12 કરોડ રૂપિયાની થિરુવોનમ બમ્પર લોટરી વિજેતા જાહેર કર્યો છે. કોચીમાં મરાડુના રહેવાસી જયપાલન પીઆર લોટરીના પ્રથમ ઈનામ વિજેતા બન્યા છે. ટેક્સ અને એજન્સી કમિશન કાપ્યા બાદ તેમને લગભગ 7.4 કરોડ રૂપિયાની રકમ મળશે.
જયપાલન (ઓટો ડ્રાઇવર)એ જણાવ્યું કે તેણે મીનાક્ષી લકી સેન્ટરથી લોટરીની ટિકિટ ખરીદી હતી. ટિકિટની કિંમત 300 રૂપિયા હતી. તેણે કહ્યું કે તે નિયમિતપણે લોટરીની ટિકિટ ખરીદે છે અને આ પહેલા પણ તે 5,000 રૂપિયા જીતી ચૂક્યો છે. રવિવારે બપોરે તેને પોતાની ટિકિટ વિજેતા થઈ છે તેવી જાણ ત્યારે થઈ જ્યારે રાજ્ય સરકારના બે મંત્રીની દેખરેખ હેઠળ તિરુંવનંતપુરમમાં ડ્રો દરમિયાન ટીવી સ્ક્રીન પર ટિકિટ નંબર ફ્લેશ થયો. તેણે કથિત રીતે તેના પુત્રને ટિકિટ વિશે જણાવ્યું હતું, પરંતુ તેના મિત્રો અથવા પરિવારને આ સમાચાર આપ્યા ન હતા.
અખબારમાં પ્રકાશિત થયેલા સમાચારને ક્રોસ ચેક કર્યા
સોમવારે તેણે અખબારમાં પ્રકાશિત થયેલા સમાચારને ક્રોસ ચેક કર્યા અને ત્યારબાદ સીધા બેંકમાં જઈને ટિકિટ જમા કરાવી. જ્યારે પુછવામાં આવ્યું કે તે ઈનામની રકમનું શું કરશે તો જયપાલે એક ચેનલને કહ્યું, “મારી ઉપર થોડું દેવું છે જે હું ચૂકવવા માંગુ છું. મારી ઉપર કોર્ટમાં બે સિવિલ કેસ પણ છે જે હું પુરા કરવા માંગુ છું. હું મારા બાળકોને સારું શિક્ષણ આપવા અને મારી બહેનોને આર્થિક મદદ કરવા માંગુ છું. ”
તેની માતાએ ચેનલને કહ્યું, ‘અમે દેવામાં ડૂબી રહ્યા હતા. જો તે લોટરી ન હોત તો મારો પુત્ર તેને ચૂકવી શક્યો ન હોત. મને લાગે છે કે ભગવાને મારા આંસુ જોયા અને અમને મદદ કરી. ” તે જ સમયે, કેરળના વાયનાડ જિલ્લાના અને દુબઈની એક હોટલના રસોઈયા સૈયદ અલાવીએ દાવો કર્યો હતો કે તે પણ લોટરી વિજેતા છે. તેમના દાવા પછી વિજેતા વિશે મૂંઝવણ હતી.
વિજેતા ટિકિટની તસવીર મોકલવામાં આવી
જયપાલને કહ્યું કે કેરળમાં તેના મિત્ર, જેણે તેના માટે ટિકિટ ખરીદી હતી, તેણે તેને વિજેતા ટિકિટની તસવીર મોકલી હતી. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે અલાવીના મિત્રએ તેને છેતર્યો હતો. લોટરી ડ્રો થયા પછી ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર હજારો લોકોએ એવી માહિતી ફેલાવી કે જેનાથી રાજ્યની સૌથી મોટી લોટરીના વિજેતાની જાણ થઈ.
લોટરીમાં 12 કરોડના જેકપોટ સિવાય છ વિજેતાઓ માટે 1 કરોડ રૂપિયા, 12 વિજેતાઓ માટે 10 લાખ રૂપિયા, 12 વિજેતાઓ માટે 5 લાખ રૂપિયા અને 108 વિજેતાઓ માટે 1 લાખ રૂપિયાના ઈનામો પણ હતા. ઈનામની રકમની ગણતરી એજન્સી અને ટિકિટ વેચનાર માટે ટેક્સ અને કમિશનને કાપ્યા બાદ કરવામાં આવે છે.
આ પણ વાંચો : સરકારે એમોનિયમ નાઈટ્રેટની ચોરી રોકવા માટે નિયમોમાં કર્યો ફેરફાર, સ્ટોરેજ માટે આ બાબતોનું રાખવું પડશે ધ્યાન