AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala: કેરળમાં ભારે વરસાદે તોડ્યો રેકોર્ડ, 2015 થી અત્યાર સુધીમાં ભારે વરસાદની ઘટનાઓ ત્રણ ગણી વધી ગઈ

સત્તાવાર માહિતી અનુસાર, દરિયાકાંઠાના રાજ્ય કેરળમાં 2015 દરમિયાન ભારે વરસાદની 43 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે 2021માં આ સંખ્યા વધીને 115 થઈ ગઈ હતી.

Kerala: કેરળમાં ભારે વરસાદે તોડ્યો રેકોર્ડ, 2015 થી અત્યાર સુધીમાં ભારે વરસાદની ઘટનાઓ ત્રણ ગણી વધી ગઈ
Broken rain records in Kerala (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 8:14 AM
Share

Kerala: કેરળ(Kerala)માં છેલ્લા છ વર્ષમાં ભારે વરસાદના કારણે તમામ રેકોર્ડ નાશ પામ્યા છે. ભારતીય હવામાન વિભાગ(India Meteorological Department)ના ડેટા અનુસાર, 2015 થી કેરળમાં અતિ ભારે વરસાદ(Heavy Rain)ની ઘટનાઓમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે.સત્તાવાર માહિતી અનુસાર, વર્ષ 2015 દરમિયાન આ દરિયાકાંઠાના રાજ્યમાં અતિ ભારે વરસાદની 43 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે વર્ષ 2021માં આ સંખ્યા વધીને 115 થઈ ગઈ હતી.

ભારે વરસાદની ઘટનાને એક દિવસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જેમાં 115.6 અને 204.4 મીમી વચ્ચે વરસાદ પડે છે.2015માં અતિ ભારે વરસાદની 43 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી 19 જૂનમાં નોંધાઈ હતી. 2016માં આ સંખ્યા 23 હતી જેમાંથી માત્ર જૂન મહિનામાં 16 ઘટનાઓ નોંધાઈ હતી. વર્ષ 2017માં અતિ ભારે વરસાદની 38 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી 14 સપ્ટેમ્બરની છે.

વર્ષ 2018માં અતિ ભારે વરસાદની 163 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી 74 ઘટનાઓ ઓગસ્ટમાં નોંધાઈ હતી. વર્ષ 2019માં અતિ ભારે વરસાદની 117 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી ઓગસ્ટમાં 71 અને જુલાઈમાં 22 ઘટનાઓ નોંધાઈ હતી. વર્ષ 2020માં અતિ ભારે વરસાદની 110 ઘટનાઓ બની હતી. વર્ષ 2021માં અતિ ભારે વરસાદની 115 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી 51 ઘટનાઓ માત્ર મે મહિનામાં જ નોંધાઈ હતી.

વરસાદનાં આંકડા

2015 43
2016 23
2017 38
2018 163
2019 117
2020 110
2021 115
પૃથ્વી વિજ્ઞાન પ્રધાન જિતેન્દ્ર સિંહે લોકસભામાં કોંગ્રેસના સભ્ય શશિ થરૂરના પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, “વધતી ગરમી સાથે, સમગ્ર ભારતમાં, ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની ઘટનાઓની આવર્તન વધી શકે છે.”કેરળમાં 2015માં ભારે વરસાદની કુલ ઘટનાઓ (64.5-115.5 મિમી પ્રતિદિન) 10 મહિનામાં 360 હતી, જ્યારે 2016માં આ સંખ્યા 225 હતી, 2017માં 360, 2018માં 607 અને 2019માં 528 નોંધાઈ હતી. કેરળમાં 2020 માં 484 ભારે વરસાદની ઘટનાઓ જોવા મળી હતી, જેમાં સૌથી વધુ (132) ઓગસ્ટમાં નોંધાયા હતા.

ભારે વરસાદનાં આંકડા

2015 360
2016 225
2017 360
2018 607
2019 528
2020 484
2021 574

વર્ષ 2021માં 574 ભારે વરસાદની ઘટનાઓ જોવા મળી હતી, જેમાંથી મોટા ભાગના મે મહિનામાં (130) નોંધાયા હતા, ત્યારબાદ ઓક્ટોબર (112 દિવસ) અને જુલાઈમાં 107 દિવસ નોંધાયા હતા. રાજ્યમાં 2015 અને 2016માં પ્રત્યેક એક દિવસ અત્યંત ભારે વરસાદ (દિવસ 204.4 મીમીથી વધુ) થયો હતો, જ્યારે 2017માં તે બે દિવસ હતો. વર્ષ 2018માં અતિવૃષ્ટિની 32 ઘટનાઓ નોંધાઈ હતી. વર્ષ 2019માં ભારે વરસાદની ઘટનાઓ, વર્ષ 2020માં 33, વર્ષ 2020માં આઠ અને વર્ષ 2021માં 11 ઘટનાઓ નોંધાઈ હતી.

આ પણ વાંચો-બે વર્ષ બાદ આજથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન ચાલશે, વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે

આ પણ વાંચો-યુદ્ધ ટાળવાના પ્રયાસો વધુ તીવ્ર બન્યા, પૂર્વી યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને વ્લાદિમીર પુટિન વચ્ચે કરાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">