AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exclusive: કર્ણાટકમાં બનશે ડબલ એન્જિન સરકાર, અંતે ભાજપની જ જીત થશે: અમિત શાહ

કોંગ્રેસ પર નિશાન સાધતા શાહે કહ્યું કે કોંગ્રેસની નીતિ હંમેશા તુષ્ટિકરણની રહી છે. પરંતુ ભાજપ માટે સૌથી મહત્વની બાબત રાષ્ટ્રીય સુરક્ષા છે. તેને મજબૂત કરવા માટે ભાજપ સતત કામ કરી રહ્યું છે. એટલા માટે કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)પર પ્રતિબંધ મૂક્યો છે અને કાર્યવાહી કરી છે.

Exclusive: કર્ણાટકમાં બનશે ડબલ એન્જિન સરકાર, અંતે ભાજપની જ જીત થશે: અમિત શાહ
Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 6:25 PM
Share

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ મંગળવારે કર્ણાટકના યાદગીર શહેર પહોંચ્યા છે. અહીં તેમણે રોડ શો કર્યો હતો. દરમિયાન, ટીવી 9 સાથે Exclusive વાત કરતી વખતે, શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર બનવા જઈ રહી છે. જો કે આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે. શાહે કહ્યું કે દરેક વખતે ચૂંટણી પહેલા ચર્ચા થાય છે કે કોંગ્રેસ જીતી રહી છે, પરંતુ અંતે ભાજપની જીત થાય છે.

આ પણ વાંચો: Gujarati Video: પાલીતાણામાં વિદ્યાર્થિનીનો શંકાસ્પદ મૃતદેહ મળવાના કેસમાં કોળી સમાજના દેખાવો, ધરણા કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી

જ્યારે અમિત શાહને રાજ્યની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે નિશ્ચિતપણે રાજ્યમાં સંપૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકાર એટલે કે ડબલ એન્જિનની સરકાર બનવા જઈ રહી છે. આ દરમિયાન શાહને પૂછવામાં આવ્યું કે ઘણા સર્વે રાજ્યમાં કોંગ્રેસની જીત જણાવી રહ્યા છે. પછી શાહે કહ્યું કે દરેક વખતે આવા લોકો કોંગ્રેસને ચૂંટણી પહેલા જીતી રહ્યુ હોવાનું કહે છે, બાદમાં બંને પક્ષો વચ્ચે ગાઢ લડાઈ કહે છે, પરંતુ અંતે ભાજપની જીત થાય છે.

અમિત શાહને ઈમરાન પ્રતાગઢીના નિવેદનો પર પણ સવાલ કરવામાં આવ્યો. તેના પર શાહે જવાબ આપ્યો કે, મુસ્લિમ આરક્ષણના નામે પછાત, દલિત, આદિવાસીઓ, લિંગાયત અને વોક્કાલિગાના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેથી જ તેમણે રાજ્યમાં ગેરબંધારણીય મુસ્લિમ અનામત પણ નાબૂદ કરી છે.

કોંગ્રેસ પર નિશાન સાધતા શાહે કહ્યું કે કોંગ્રેસની નીતિ હંમેશા તુષ્ટિકરણની રહી છે. પરંતુ ભાજપ માટે સૌથી મહત્વની બાબત રાષ્ટ્રીય સુરક્ષા છે. તેને મજબૂત કરવા માટે ભાજપ સતત કામ કરી રહ્યું છે. એટલા માટે કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)પર પ્રતિબંધ મૂક્યો છે અને કાર્યવાહી કરી છે. શાહને પૂછવામાં આવ્યું કે શું ચૂંટણી પહેલા અનામતમાં કરવામાં આવેલા ફેરફારોથી પાર્ટી અને સામાન્ય જનતા બંનેને ફાયદો થશે. આના પર શાહે જવાબ આપ્યો કે તે ચોક્કસપણે મળશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">