AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનપુર: ઘાટમપુરમાં 90% વસ્તીનું થયું ધર્માંતરણ, પોલીસે શરૂ કરી તપાસ

મળતી માહિતી મુજબ, ઈસાઈ મિશનરીઓ સાથે જોડાયેલા લોકો ઘાટમપુર વિસ્તારમાં તેઓ ગરીબોને આર્થિક પ્રલોભન આપીને માઇન્ડ વોશ કરે છે અને પછી તેમનું ધર્મ પરિવર્તન (religious conversion ) કરે છે.

કાનપુર: ઘાટમપુરમાં 90% વસ્તીનું થયું ધર્માંતરણ, પોલીસે શરૂ કરી તપાસ
Religion conversion
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 11:28 AM
Share

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ધર્મ પરિવર્તનનો મોટો ખેલ ચાલી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જિલ્લાના ઘાટમપુર વિસ્તારના ઘણા વિસ્તારોમાં 90 ટકા વસ્તીનું ધર્માંતરણ થઈ ગયું છે. ધર્મ પરિવર્તન અંગે મળતી માહિતી મુજબ ઈસાઈ મિશનરીઓ સાથે જોડાયેલા લોકો બહારના પ્રદેશની વસાહતોને નિશાન બનાવે છે અને અહીં તેઓ ગરીબોને આર્થિક પ્રલોભન આપીને માઇન્ડ વોશ કરે છે અને પછી તેમનું ધર્મ પરિવર્તન કરે છે.

જ્યારે બાકીની વસ્તી પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે, પરંતુ હવે એક વ્યક્તિએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે. બીજી તરફ આ મામલો પોલીસ સુધી પહોંચતા જ આ ધર્મ પરિવર્તનમાં લાગેલા લોકો ઘરને તાળા મારીને ભાગી ગયા હતા. હાલ પોલીસ પોતાના સ્તરે મામલાની તપાસ કરી રહી છે. એડિશનલ એસપી વિજેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે તાજેતરમાં આવી ફરિયાદ આવી છે. આ ફરિયાદના આધારે ઘાટમપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે ઘાટમપુરમાં રહેતા ઇશુ અવસ્થી નામના યુવકને ખ્રિસ્તી મિશનરીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવવાની લાલચ આપી હતી. પરંતુ તેણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના શુભમ સૌર્ય વગેરેનો સંપર્ક કર્યો અને પછી તેમની સાથે ઘાટમપુર પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપી. આ ફરિયાદ પર પોલીસ તપાસ શરૂ થતાં જ આરોપીઓ ઘરને તાળા મારીને ભાગી ગયા હતા. પોલીસ આ તમામ લોકોને શોધી રહી છે.

મિશનરીઓ ગરીબોને નિશાન બનાવે છે

ધર્મ પરિવર્તન અંગે મળતી માહિતી મુજબ ઈસાઈ મિશનરીઓ સાથે જોડાયેલા લોકો બહારના પ્રદેશની વસાહતોને નિશાન બનાવે છે અને અહીં તેઓ ગરીબોને આર્થિક પ્રલોભન આપીને માઇન્ડ વોશ કરે છે અને પછી તેમનું ધર્મ પરિવર્તન કરે છે. અહીં ગરીબોને આર્થિક પ્રલોભન આપીને તેઓનું મન જીતી લે છે અને પછી તેમનું  ધર્મ પરિવર્તન કરવામાં  આવી રહ્યું છે કે આવી ઘટના ઘણા વર્ષોથી ચાલી રહી છે. જેના કારણે આ વિસ્તારની ઘણી કોલોનીઓમાં લગભગ 90 ટકા વસ્તીએ ધર્મ પરિવર્તન કર્યું છે.

ઘણા લોકો ઘરે પાછા ફર્યા

વિશ્વ હિંદુ પરિષદના અધિકારીઓના જણાવ્યા અનુસાર કાનપુરના ઘાટમપુર માં રહેતી 90 ટકા વસ્તીનું ધર્માંતરણ થયું છે. તેમને સમજાવીને ઘરે  પરત લાવવાની તૈયારી પણ કરવામાં આવી છે. આ અંગે પોલીસને સતત ફરિયાદો કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસના ઉદાસીન વલણને કારણે આવા લોકોનું મનોબળ વધી રહ્યું છે.

ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
g clip-path="url(#clip0_868_265)">