કમલનાથે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું, પાર્ટીએ તરત જ સ્વીકારી લેતા, દિગ્વિજય સિંહના નજીકના ગોવિંદ સિંહને મળી જવાબદારી

મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે (Kamalnath) વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ ડો.ગોવિંદ સિંહ વિપક્ષના નેતાનું પદ સંભાળશે. પૂર્વ સીએમ કમલનાથ હવે માત્ર પીસીસી ચીફનું પદ સંભાળશે.

કમલનાથે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું, પાર્ટીએ તરત જ સ્વીકારી લેતા, દિગ્વિજય સિંહના નજીકના ગોવિંદ સિંહને મળી જવાબદારી
Kamal Nath resigns as Leader of Opposition
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 5:13 PM

 મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે (Former CM Kamal Nath) વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ ડો.ગોવિંદ સિંહ (Dr. Govind Singh)વિપક્ષના નેતાનું પદ સંભાળશે. પૂર્વ સીએમ કમલનાથ હવે માત્ર પીસીસી ચીફનું પદ સંભાળશે. તે જ સમયે, કોંગ્રેસ (Congress Party) પાર્ટીએ વિલંબ કર્યા વિના તરત જ કમલનાથનું રાજીનામું સ્વીકારી લીધું છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ વાતની પુષ્ટિ કરી છે. મીડિયા સાથેની ચર્ચા દરમિયાન ડો.ગોવિંદ સિંહે કહ્યું કે તેઓ પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવશે. કોંગ્રેસ પહેલા પણ મજબુત હતી અને આજે પણ મજબૂત છે, પાર્ટી વિરુદ્ધ જે પણ ષડયંત્ર કરવામાં આવ્યું છે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ સરકાર જે અત્યાચાર કરી રહી છે તેની સામે કોંગ્રેસ લડશે. સચિવાલયમાં કોંગ્રેસનો ધ્વજ ફરકાવવામાં આવશે.

બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કમલનાથને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પાર્ટી અધ્યક્ષે વિપક્ષના નેતા પદ પરથી તમારું રાજીનામું તરત જ સ્વીકારી લીધું છે. તેમણે વધુમાં કહ્યું કે પક્ષ વિપક્ષના નેતા તરીકે તમારા યોગદાનની પ્રશંસા કરે છે. આ સાથે કોંગ્રેસ અધ્યક્ષે ડૉ.ગોવિંદ સિંહને વિપક્ષના નેતા બનાવવાના પ્રસ્તાવને પણ સ્વીકારી લીધો છે. તમને જણાવી દઈએ કે, ડૉ.ગોવિંદ સિંહ 7 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ પણ વાંચો

‘કોંગ્રેસનું જાતિવાદી રાજકારણ’

ભાજપના રાજ્ય મંત્રી રજનીશ અગ્રવાલનું કહેવું છે કે કોંગ્રેસે ફરી એકવાર એસસી, એસટી અને ઓબીસીને છેતરવાનું કામ કર્યું છે. તેઓ આ વર્ગોના નામે ઘણું રાજકારણ કરે છે, પરંતુ જ્યારે પદ આપવાની વાત આવે છે ત્યારે તેઓ છેતરપિંડી કરે છે. આમાંથી કોઈપણ વર્ગને વિપક્ષના નેતાના પદ પર ન બનાવવાનો સીધો અર્થ એ છે કે કોંગ્રેસ તેમના નામે જ શુદ્ધ રાજકારણ કરે છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">