AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કમલનાથે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું, પાર્ટીએ તરત જ સ્વીકારી લેતા, દિગ્વિજય સિંહના નજીકના ગોવિંદ સિંહને મળી જવાબદારી

મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે (Kamalnath) વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ ડો.ગોવિંદ સિંહ વિપક્ષના નેતાનું પદ સંભાળશે. પૂર્વ સીએમ કમલનાથ હવે માત્ર પીસીસી ચીફનું પદ સંભાળશે.

કમલનાથે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું, પાર્ટીએ તરત જ સ્વીકારી લેતા, દિગ્વિજય સિંહના નજીકના ગોવિંદ સિંહને મળી જવાબદારી
Kamal Nath resigns as Leader of Opposition
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 5:13 PM
Share

 મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે (Former CM Kamal Nath) વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ ડો.ગોવિંદ સિંહ (Dr. Govind Singh)વિપક્ષના નેતાનું પદ સંભાળશે. પૂર્વ સીએમ કમલનાથ હવે માત્ર પીસીસી ચીફનું પદ સંભાળશે. તે જ સમયે, કોંગ્રેસ (Congress Party) પાર્ટીએ વિલંબ કર્યા વિના તરત જ કમલનાથનું રાજીનામું સ્વીકારી લીધું છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ વાતની પુષ્ટિ કરી છે. મીડિયા સાથેની ચર્ચા દરમિયાન ડો.ગોવિંદ સિંહે કહ્યું કે તેઓ પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવશે. કોંગ્રેસ પહેલા પણ મજબુત હતી અને આજે પણ મજબૂત છે, પાર્ટી વિરુદ્ધ જે પણ ષડયંત્ર કરવામાં આવ્યું છે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ સરકાર જે અત્યાચાર કરી રહી છે તેની સામે કોંગ્રેસ લડશે. સચિવાલયમાં કોંગ્રેસનો ધ્વજ ફરકાવવામાં આવશે.

બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કમલનાથને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પાર્ટી અધ્યક્ષે વિપક્ષના નેતા પદ પરથી તમારું રાજીનામું તરત જ સ્વીકારી લીધું છે. તેમણે વધુમાં કહ્યું કે પક્ષ વિપક્ષના નેતા તરીકે તમારા યોગદાનની પ્રશંસા કરે છે. આ સાથે કોંગ્રેસ અધ્યક્ષે ડૉ.ગોવિંદ સિંહને વિપક્ષના નેતા બનાવવાના પ્રસ્તાવને પણ સ્વીકારી લીધો છે. તમને જણાવી દઈએ કે, ડૉ.ગોવિંદ સિંહ 7 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ પણ વાંચો

‘કોંગ્રેસનું જાતિવાદી રાજકારણ’

ભાજપના રાજ્ય મંત્રી રજનીશ અગ્રવાલનું કહેવું છે કે કોંગ્રેસે ફરી એકવાર એસસી, એસટી અને ઓબીસીને છેતરવાનું કામ કર્યું છે. તેઓ આ વર્ગોના નામે ઘણું રાજકારણ કરે છે, પરંતુ જ્યારે પદ આપવાની વાત આવે છે ત્યારે તેઓ છેતરપિંડી કરે છે. આમાંથી કોઈપણ વર્ગને વિપક્ષના નેતાના પદ પર ન બનાવવાનો સીધો અર્થ એ છે કે કોંગ્રેસ તેમના નામે જ શુદ્ધ રાજકારણ કરે છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">