AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Singh Last Tribute: અમે એક સક્ષમ નેતા ગુમાવ્યો છે, તેમના સપના સાકાર કરવા પડશે: PM નરેન્દ્ર મોદી

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ ગત 4 જુલાઈએ કોરોનાના સંક્રમણ અને અન્ય કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફને લઈને SGPGI ના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના શરીરના કેટલાક ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને શનિવાર 21 ઓગસ્ટના રોજ તેમનું મૃત્યુ થયું હતું.

Kalyan Singh Last Tribute: અમે એક સક્ષમ નેતા ગુમાવ્યો છે, તેમના સપના સાકાર કરવા પડશે: PM નરેન્દ્ર મોદી
Prime Minister Narendra Modi pays tribute to Kalyan Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 1:03 PM
Share

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ ગત 4 જુલાઈએ કોરોનાના સંક્રમણ અને અન્ય કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફને લઈને SGPGI ના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના શરીરના કેટલાક ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને શનિવાર 21 ઓગસ્ટના રોજ તેમનું મૃત્યુ થયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે લખનૌ પહોંચીને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને રામ મંદિર આંદોલનના અગ્રણી નેતાઓમાંના એક કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી રવિવાર 23 ઓગસ્ટના રોજ સવારે લખનૌના મોલ એવન્યુ ખાતે આવેલા કલ્યાણસિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમનો પાર્થિવદેહ રાખવામાં આવ્યો છે.

વડાપ્રધાને કલ્યાણસિંહના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે વડાપ્રધાનની સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, ઉતર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉતરપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ પણ હાજર રહ્યા હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનું શનિવાર 21 ઓગસ્ટની રાત્રે 9:15 કલાકે લખનૌમાં સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ- SGPGI ( Sanjay Gandhi Post Graduate Institute of Medical Sciences ) માં અંતિમ શ્વાસ લીધા હતા.

કલ્યાણસિંહ 89 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું હતુ, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજકારણી કલ્યાણ સિંહ જીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા લખનૌ પહોંચ્યા.’ તેઓ વંચિત વર્ગોના કરોડો લોકોના અવાજ હતા. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે અગણિત પ્રયાસો કર્યા. તેમનું સમર્પણ અને સેવા ભાવના લોકોને પ્રેરણા આપતી રહેશે.

કલ્યાણસિંહના નિધન અંગેના સમાચાર મળ્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ ટ્વિટમાં જણાવ્યુ હતુ કે આ દુખની ઘડીએ મારી પાસે શબ્દો નથી. કલ્યાણસિહ જમીન સાથે જોડાયેલા રાજનેતા હતા. ઉતરપ્રદેશના વિકાસમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે.

આ પણ વાંચોઃ Kalyan Singh Passes Away: સોમવાર 23 ઓગસ્ટે અલીગઢના નરોરા ઘાટ પર કલ્યાણસિંહના કરાશે અંતિમ સંસ્કાર

આ પણ વાંચોઃ History of England : ઇંગ્લેન્ડ ક્રિકેટના ઇતિહાસમાં 22 ઓગસ્ટની તારીખ ખરાબ છે ! જો તમને વિશ્વાસ ન હોય તો વાંચો આ સમાચાર

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">