BJP નેતાની જાહેરાત, જીતનરામ માંઝીની જીભ કાપનારને 11 લાખનું ઈનામ આપીશ, 2 FIR નોંધાઈ

જ્યારે બીજેપી નેતા તરફથી જીતન રામ માંઝીની જીભ કાપવાની વાત બહાર આવી ત્યારે માંઝીની પાર્ટી Hindustani Awam Morchaએ પણ વળતો જવાબ આપ્યો. પાર્ટીએ કહ્યું- ગજેન્દ્ર ઝાએ જીતન માંઝીની જીભ કાપવાની વાત કરી છે. શું આ દલિતોના અપમાનની વાત નથી?

BJP નેતાની જાહેરાત, જીતનરામ માંઝીની જીભ કાપનારને 11 લાખનું ઈનામ આપીશ, 2 FIR નોંધાઈ
jitan ram manjhi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 10:37 AM

BJP : ભલે પૂર્વ મુખ્યમંત્રી અને Hindustani Awam Morchaના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતનરામ માંઝી (Jitan Ram Manjhi)એ બ્રાહ્મણો સાથે દુર્વ્યવહાર કરવા બદલ માફી માંગી લીધી હોય, પરંતુ હાલ મામલો શાંત થતો જણાયો નથી. સોમવારે જીતનરામ માંઝી વિરુદ્ધ બિહારની કોર્ટ (Bihar Court) અને પોલીસ સ્ટેશન (Police station)માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. આ મામલે બિહાર બીજેપી નેતા ગજેન્દ્ર ઝાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. માંઝી પર પ્રહાર કરતા તેણે કહ્યું કે, જે પણ બ્રાહ્મણનો પુત્ર માંઝી (Jitan Ram Manjhi)ની જીભ કાપી નાંખે છે, તેને 11 લાખ રૂપિયા આપશે.

જ્યારે બીજેપી (BJP) નેતા તરફથી જીતનરામ માંઝીની જીભ કાપવાની વાત બહાર આવી ત્યારે માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચાએ પણ વળતો જવાબ આપ્યો. હિન્દુસ્તાની અવમ મોરચાના પ્રવક્તા દાનિશ રિઝવાને કહ્યું કે, જીતનરામ માંઝી માટે ભાજપના નેતાઓ દ્વારા સતત અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. ગજેન્દ્ર ઝાએ જીતન માંઝી (Jitan Ram Manjhi)ની જીભ કાપવાની વાત કરી છે. શું આ દલિતોના અપમાનની વાત નથી? દાનિશ રિઝવાને કહ્યું કે હું બિહાર ભાજપના ટોચના નેતાઓને કહેવા માંગુ છું કે તેઓ પોતાના લોકોને સમજાવે કે આ બધું યોગ્ય નથી.

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતનરામ માંઝી વિરુદ્ધ સોમવારે પટના અને પૂર્ણિયામાં બ્રાહ્મણ સમુદાય સાથે દુર્વ્યવહાર કરવા બદલ બે FIR નોંધવામાં આવી હતી. પટનામાં વિશાલ કુમાર સિંહના નેતૃત્વમાં બ્રાહ્મણ સમુદાયના લોકોએ રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

માંઝી પર અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ

સત્યનારાયણ પૂજા વિરુદ્ધ જીતન રામ માંઝીના નિવેદનનો હેતુ હિંદુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હતો. આ ઉપરાંત તેણે બ્રાહ્મણ સમાજ માટે પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. સિંહે કહ્યું, “માંઝીના નિવેદનથી સમાજમાં મતભેદો સર્જાય છે. આવા નિવેદનો જાતિવાદને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં ઉત્તેજના ફેલાવે છે. તેમનું અપમાનજનક નિવેદન બે જ્ઞાતિઓ વચ્ચે રમખાણો સર્જવાની સંભાવના ધરાવે છે.

મુખ્યમંત્રી-ડીજીપીને પત્ર લખ્યો

તેમણે કહ્યું, ‘અમે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, બિહારના મુખ્ય પ્રધાન અને ડીજીપીને માંઝીના અપમાનજનક નિવેદનની નોંધ લેવા અને તેમની સામે પગલાં લેવા માટે પત્ર પણ લખ્યો છે. એક જૂથે કે હાટ પોલીસ સ્ટેશનમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમણે કહ્યું કે માંઝીએ દેશભરના બ્રાહ્મણોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સરકારે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

ભાજપે પણ નારાજગી વ્યક્ત કરી

રાજ્યસભાના સભ્ય સુશીલ કુમાર મોદીએ નારાજગી વ્યક્ત કરી છે. રવિવારે તેમણે ટ્વીટ કર્યું હતું કે બ્રાહ્મણ સમાજ માટે જીતન રામ માંઝીની કથિત ટિપ્પણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમના જેવા વરિષ્ઠ વ્યક્તિ, જેમણે બંધારણીય હોદ્દો સંભાળ્યા છે, તેમણે તેમના શબ્દોની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ અને સમાજની સંવાદિતાને ખલેલ પહોંચાડે તેવું કંઈપણ બોલવું જોઈએ નહીં.

સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, અટલ બિહારી વાજપેયીથી લઈને નરેન્દ્ર મોદી સુધીની NDA સરકારોમાં મંત્રી રહેલા સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાને લાંબા સમય સુધી દલિતોની સેવા કરી, પરંતુ તેમણે ક્યારેય ઉચ્ચ જાતિઓ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા નહીં. કોઈ ચોક્કસ સમુદાયના ફાયદા માટે બીજાને નુકસાન પહોંચાડવું એ લોકશાહી પ્રથા નથી.

શું બાબત છે?

જીતન રામ માંઝીએ 19 ડિસેમ્બરે પટનામાં એક જાહેર સભા દરમિયાન બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘જ્યારે હું નાનો હતો, ત્યારે સત્યનારાયણ પૂજાની પ્રથા અમારા સમુદાયમાં બહુ લોકપ્રિય નહોતી. આજકાલ લગભગ દરેક ઘરમાં સત્યનારાયણ પૂજાની પ્રથા છે. એનાથી પણ વધુ ચિંતાની વાત એ છે કે અમારા ઘરે બ્રાહ્મણો (પંડિતો) આવે છે. પૂજા કરે છે, પરંતુ તેઓ અમારા ઘરમાં ખોરાક લેતા નથી. તેઓ નિર્લજ્જતાથી અમારા ઘરમાં ભોજન ખાવાને બદલે અમારી પાસે પૈસા (દક્ષિણા) માંગે છે.

આ પણ વાંચો : Gandhinahar: AAP અને ભાજપ વચ્ચે ઘર્ષણનો મુદ્દો, આજે ઈસુદાન સહિત AAPના આ 6 નેતાઓને કોર્ટમાં રજૂ કરાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">