AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jharkhand Latest Update: રોપ-વેના 2000 ફૂટ ઉપરથી 32 લોકોને બચાવાયા, 15 લોકો હજુ પણ ટ્રોલીમાં ફસાયા, CM સોરેને કહ્યું બધાને બચાવીશું

ભારતીય વાયુસેના(Indian Air Force) અનુસાર, ઝારખંડના દેવઘર જિલ્લામાં બે Mi-17 હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં સામેલ છે, જ્યાં અકસ્માતને કારણે રોપ-વે ટ્રોલીમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે.

Jharkhand Latest Update: રોપ-વેના 2000 ફૂટ ઉપરથી 32 લોકોને બચાવાયા, 15 લોકો હજુ પણ ટ્રોલીમાં ફસાયા, CM સોરેને કહ્યું બધાને બચાવીશું
Two Mi-17 helicopters of the army are engaged in the rescue operation. (ANI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 6:52 AM
Share

Jharkhand Latest Update: ઝારખંડ(Jharkhand)ના દેવઘરમાં સ્થિત ત્રિકુટ પર્વત પર રવિવારે રોપ-વે (Rope way)અચાનક તૂટી જવાને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે રેસ્ક્યુ દ્વારા અત્યાર સુધીમાં 32 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઝારખંડના સીએમ હેમંત સોરેને (CM of Jharkhand Hemant Soren) પુષ્ટિ કરી છે કે 4 ટ્રોલીઓમાં બાળકો સહિત લગભગ 14-15 લોકો ફસાયા છે. તેમણે કહ્યું કે ભારતીય સેના બચાવ કાર્ય પર સક્રિયપણે કામ કરી રહી છે, સીએમએ કહ્યું કે આવતીકાલે અમે ચોક્કસપણે દરેકને બચાવીશું. બચાવ કામગીરી દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. આ માહિતી ડેપ્યુટી કમિશનર મંજુનાથ ભજંત્રીએ આપી છે. તેમણે કહ્યું કે મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી. આ ઘટના બાદ કુલ મૃત્યુઆંક 2 પર પહોંચી ગયો છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે હજુ પણ ત્રણ ટ્રોલીઓમાં 15 લોકો ફસાયા હોવાની આશંકા છે.

ડેપ્યુટી કમિશનર મંજુનાથે જણાવ્યું કે અત્યાર સુધીમાં 32 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને 15 લોકો ફસાયા હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે એનડીઆરએફ, એરફોર્સ અને ભારતીય સેના બચાવ કામગીરી કરી રહી છે. મંત્રીએ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે જાળવણીના અભાવે અકસ્માતો થઈ શકે છે. ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવશે, તેમણે કહ્યું હતું કે જીવન બચાવવા એ અમારી પ્રાથમિકતા છે.

રોપ-વેમાં હજુ પણ 15 લોકો ફસાયેલા છે

સમાચાર અનુસાર, 15 લોકો હજુ પણ 2000 ફૂટની ઊંચાઈએ હવામાં લટકેલા હોવાની આશંકા છે. સોમવારે સવારે ફરી એકવાર રાહત કાર્ય શરૂ થયું. ત્રિકુટ રોપવે દુર્ઘટનામાં ફસાયેલા તમામ લોકોને બચાવવા માટે ભારતીય સેનાના જવાનો હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરીમાં લાગેલા છે. લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રશાસન ડ્રોનની મદદથી રોપ-વેમાં ફસાયેલા લોકોને ભોજન અને પાણી પહોંચાડી રહ્યું છે. એરફોર્સની ટીમ ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવા માટે કામમાં વ્યસ્ત છે. જો કે રાહત અને બચાવ કાર્યમાં સેનાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સેનાના બે Mi-17 હેલિકોપ્ટર બચાવ કાર્ય કરી રહ્યા છે

ભારતીય વાયુસેના અનુસાર, ઝારખંડના દેવઘર જિલ્લામાં બે Mi-17 હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં સામેલ છે, જ્યાં અકસ્માતને કારણે રોપ-વે ટ્રોલીમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે.

રોપ-વે વાયર રેસ્ક્યુમાં અવરોધ ઉભો કરી રહ્યો છે

તમને જણાવી દઈએ કે સૈનિકો હેલિકોપ્ટરમાંથી દોરડાની મદદથી રોપ-વે ટ્રોલી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ રોપ-વેના વાયરને કારણે હેલિકોપ્ટરને મુશ્કેલી પડી રહી છે. ભારતીય વાયુસેનાની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. હવે લગભગ 2000 ફૂટની ઊંચાઈએ થ્રીજી ટ્રોલીમાં માત્ર 15 લોકો જ ફસાયેલા છે. આ અકસ્માત રવિવારે સાંજે થયો હતો. ત્યારથી આ લોકો સતત ફસાયેલા છે. આ લોકોને ખાલી ટ્રોલી દ્વારા બિસ્કિટ અને પાણીના પેકેટ પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ લોકો ખૂબ જ ડરી ગયા છે. 

32 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા 

સમાચાર અનુસાર, અત્યાર સુધીમાં 32 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 15 લોકો હજુ પણ હવામાં લટકેલા છે. તેમને પણ બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે. ITBP પીઆરઓ વિવેક પાંડેએ જણાવ્યું કે 12 ટ્રોલીઓમાં 48 લોકો ફસાયા હોવાની માહિતી મળી છે. આપને જણાવી દઈએ કે રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે દેવઘરના ત્રિકૂટ પર્વત પર રોપ-વેનો વાયર તૂટવાને કારણે આ દુર્ઘટના બની હતી. હવે ડ્રોનની મદદથી ફસાયેલા લોકોને લાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો-Jharkhand: 2000 ફૂટની ઊંચાઈએ હવામાં ફસાયા 29 લોકો, હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચાલું, અત્યાર સુધીમાં 2ના મોત

Follow Us
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
g clip-path="url(#clip0_868_265)">