AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: આતંકવાદીઓએ ફરી કર્યું ટાર્ગેટ કિલિંગ, શોપિયાંમાં કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા

ફરી એકવાર આતંકવાદીઓએ (Terrorist) કાશ્મીરી પંડિત પર હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોપિયાંમાં એક કાશ્મીરી પંડિતની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આતંકવાદીઓના ષડયંત્રના નિશાના પર બનેલા કાશ્મીરી પંડિતનું નામ પુરણ કૃષ્ણ ભટ જણાવવામાં આવી રહ્યું છે.

Jammu Kashmir: આતંકવાદીઓએ ફરી કર્યું ટાર્ગેટ કિલિંગ, શોપિયાંમાં કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા
Jammu Kashmir
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 3:06 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) કાશ્મીરી પંડિતો પર આતંકવાદીઓના હુમલા (Terrorist Attack) અટકવાનું નામ નથી લઈ રહ્યા. ફરી એકવાર આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પર હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોપિયાંમાં એક કાશ્મીરી પંડિતની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આતંકવાદીઓના ષડયંત્રના નિશાના પર બનેલા કાશ્મીરી પંડિતનું નામ પુરણ કૃષ્ણ ભટ જણાવવામાં આવી રહ્યું છે, જે શોપિયાંના ચૌધરી ગુંડનો રહેવાસી હતો. આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો ત્યારે તેઓ તેમના ઘરના લોનમાં હાજર હતા.

શનિવારે આતંકવાદીઓના ગોળીબારમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. પોલીસે જણાવ્યું કે પુરણ કૃષ્ણની હત્યા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ કાશ્મીરી પંડિત સુનિલ કુમાર ભટની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે લઘુમતી કાશ્મીરી પંડિત સમુદાયના ચોથા સભ્ય હતા અને 1 મેથી આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલા અને માર્યા ગયેલા પ્રદેશના સાતમા નાગરિક હતા. આ પહેલા 31 મેના રોજ કુલગામ જિલ્લામાં એક સરકારી મહિલા કર્મચારી રજનીને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. 12 મેના રોજ કાશ્મીરના બડગામ જિલ્લામાં રાહુલ ભટ્ટની પણ આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

બાંદીપોરા જિલ્લામાં IED ઝડપાયું

જમ્મુ અને કાશ્મીરમાં અન્ય એક ઘટનામાં, શનિવારે બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એક IED મળી આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ અત્યાધુનિક વિસ્ફોટક ઉપકરણ (IED) લગભગ 16 કિલોગ્રામનું હતું. તેમણે કહ્યું કે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે ઉત્તર કાશ્મીર જિલ્લાના અસ્તાન્ગો વિસ્તારમાં IED રિકવર કર્યો છે. તેમણે કહ્યું કે વિસ્ફોટક ઉપકરણને નષ્ટ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">