AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોહાલી ગ્રેનેડ હુમલા સાથે જોડાયેલ આતંકવાદી મહારાષ્ટ્ર ATSની પકડમાં, અનેક આતંકી રહસ્યો ખુલવાની સંભાવના

ચરત સિંહ ઉર્ફે ઈન્દ્રજીત સિંહ કારી સિંહ ઉર્ફે કરજ સિંહ વિરુદ્ધ 8 કેસ નોંધાયેલા છે. માર્ચ 2022થી તે પંજાબની કપૂરથલા જેલમાંથી 2 મહિના માટે પેરોલ પર બહાર આવ્યો હતો.

મોહાલી ગ્રેનેડ હુમલા સાથે જોડાયેલ આતંકવાદી મહારાષ્ટ્ર ATSની પકડમાં, અનેક આતંકી રહસ્યો ખુલવાની સંભાવના
Terrorist arrested by Maharashtra ATS linked to Mohali grenade attack
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 8:28 AM
Share

મહારાષ્ટ્રની (Maharashtra ) એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી કાર્યવાહી કરતા મુંબઈમાંથી એક આતંકવાદી (Terrorist ) ની  ધરપકડ કરી છે. આ આતંકવાદી કેનેડા સ્થિત વોન્ટેડ ગુનેગાર લખબીર સિંહના સંપર્કમાં હતો અને 9 મેના રોજ પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર ગ્રેનેડ હુમલામાં સામેલ હતો. પકડાયેલા આતંકીનું નામ ચરત સિંહ ઉર્ફે ઈન્દ્રજીત સિંહ કારી સિંહ છે. 30 વર્ષનો આ આતંકવાદી મૂળ પંજાબનો છે. આ મહારાષ્ટ્ર એટીએસે બુધવારે મુંબઈમાંથી ધરપકડ કરી હતી. આગળની કાર્યવાહી માટે તેને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચરત સિંહ નામના આ આતંકીના વાયર ઈન્ટરનેશનલ ક્રિમિનલ નેટવર્ક સાથે જોડાયેલા છે. તે કેનેડાના વોન્ટેડ આતંકવાદી લખબીર સિંહના સતત સંપર્કમાં હતો. તેણે રાજ્યભરમાં એક મજબૂત ગુનાખોરીનું નેટવર્ક બનાવ્યું હતું અને તે RPG હુમલાને અંજામ આપનારા સૈનિકોને લોજિસ્ટિક સપોર્ટ અને આશ્રય પૂરો પાડતો હતો. તેણે પાકિસ્તાન ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના સક્રિય સમર્થન સાથે સરહદ પારથી RPG, એક AK-47 અને અન્ય હથિયારો પણ મેળવ્યા હતા.

પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી, હેડક્વાર્ટર) સુખચૈન સિંહ ગિલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે ચરત સિંહની ધરપકડ સાથે, પંજાબ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી, જે કિશોર છે અને હુમલાને અંજામ આપ્યો હતો, જેની દિલ્હી પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી, જેની સાથે ધરપકડની કુલ સંખ્યા નવ પર પહોંચી ગઈ છે.

મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર ગ્રેનેડ હુમલો

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચરત સિંહ ઉર્ફે ઈન્દ્રજીત સિંહ કારી સિંહ ઉર્ફે કરજ સિંહ વિરુદ્ધ 8 કેસ નોંધાયેલા છે. માર્ચ 2022થી તે પંજાબની કપૂરથલા જેલમાંથી 2 મહિના માટે પેરોલ પર બહાર આવ્યો હતો. તેના પેરોલના સમયગાળા દરમિયાન, તેણે તેના સહયોગીઓ સાથે 9 મે 2022 ના રોજ રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ વડે પંજાબ પોલીસ, ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર, મોહાલી પર હુમલો કર્યો.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">