ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક કેન્દ્ર , WHO અને ભારત સરકાર વચ્ચે કરાર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે આ નવું વૈશ્વિક કેન્દ્ર ટ્રેડીશનલ મેડિસીન અને તબીબી પદ્ધતિઓના આધુનિક સંશોધન અને પ્રમાણીકરણમાં મદદ કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે વિશ્વના લાખો લોકો માટે પરંપરાગત દવા એ રોગોની સારવારનું પ્રથમ પગલું છે.

ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક કેન્દ્ર , WHO અને ભારત સરકાર વચ્ચે કરાર
Jamnagar to become global hub of traditional medicine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 9:52 PM

ગુજરાતને(Gujarat)  વૈશ્વિક નકશા પર આગળ લઇ જવા સરકાર વધુ એક ભેટ આપવા જઈ રહી છે. જેમા ટ્રેડીશનલ મેડિસીન(Traditional Medicine)  પર WHO નું વૈશ્વિક કેન્દ્ર જામનગર(Jamnagar)  ખાતે સ્થાપવામાં આવશે. આ માટે જીનીવામાં 25 માર્ચે ભારતના આયુષ વિભાગ અને WHO વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 21 એપ્રિલ 2022 ના રોજ તેનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. ભારત આ કેન્દ્ર માટે $250 મિલિયન ખર્ચ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ WHO અને ભારત સરકાર વચ્ચેના કરારનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે એવી આશા છે કે WHOનું નવું વૈશ્વિક કેન્દ્ર ગુજરાતમાં બની રહ્યું છે જે વિશ્વને વધુ સારા અને સસ્તા મેડિકલ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં મદદરૂપ થશે.

કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકારનો આભાર – WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે આ નવું વૈશ્વિક કેન્દ્ર ટ્રેડીશનલ મેડિસીન અને તબીબી પદ્ધતિઓના આધુનિક સંશોધન અને પ્રમાણીકરણમાં મદદ કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે વિશ્વના લાખો લોકો માટે પરંપરાગત દવા એ રોગોની સારવારનું પ્રથમ પગલું છે. આવી સ્થિતિમાં પરંપરાગત દવાઓને વૈજ્ઞાનિક આધાર સાથે વધુ અસરકારક બનાવવાનો અમારો પ્રયાસ રહેશે. તેમણે આ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકારનો આભાર માન્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

વિશ્વની 80 ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે વિશ્વની 80 ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે. યુએનના 194 માંથી 170 દેશોએ તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી પરંપરાગત દવાઓ અને તબીબી પ્રણાલીઓને વધુ અસરકારક બનાવવા માટે WHOની મદદ માંગી હતી. આધુનિક દવાઓમાં વપરાતી 40 ટકા દવાઓ એવી છે કે તે કુદરતી ઉત્પાદનોમાંથી મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એસ્પ્રિન નામની દવા અંગ્રેજી વિલો વૃક્ષની છાલનો ઉપયોગ કરીને પરંપરાગત રીતે લેવામાં આવી છે. આ ઉપરાંત બાળકોમાં કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા સામાન્ય રીતે ઘરોમાં ઉગાડવામાં આવતા સદાબહારના છોડમાંથી બનાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબેરેયસસે ભારતના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 13મી નવેમ્બર, 2020ના રોજ 5મા આયુર્વેદ દિવસના અવસરે ભારતમાં WHO GCTMની સ્થાપનાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને WHOની આ પહેલની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે, પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો :  Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બોપલ-ઘુમામાં ઇકોલોજી પાર્કનું લોકાર્પણ કર્યું

આ પણ વાંચો : Kheda : નડિયાદ લવ જેહાદના કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો, આરોપી યાસરે હોસ્પિટલમાં યુવતીના ગર્ભાશયની તપાસ કરાવી હતી

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">