ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક કેન્દ્ર , WHO અને ભારત સરકાર વચ્ચે કરાર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે આ નવું વૈશ્વિક કેન્દ્ર ટ્રેડીશનલ મેડિસીન અને તબીબી પદ્ધતિઓના આધુનિક સંશોધન અને પ્રમાણીકરણમાં મદદ કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે વિશ્વના લાખો લોકો માટે પરંપરાગત દવા એ રોગોની સારવારનું પ્રથમ પગલું છે.

ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક કેન્દ્ર , WHO અને ભારત સરકાર વચ્ચે કરાર
Jamnagar to become global hub of traditional medicine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 9:52 PM

ગુજરાતને(Gujarat)  વૈશ્વિક નકશા પર આગળ લઇ જવા સરકાર વધુ એક ભેટ આપવા જઈ રહી છે. જેમા ટ્રેડીશનલ મેડિસીન(Traditional Medicine)  પર WHO નું વૈશ્વિક કેન્દ્ર જામનગર(Jamnagar)  ખાતે સ્થાપવામાં આવશે. આ માટે જીનીવામાં 25 માર્ચે ભારતના આયુષ વિભાગ અને WHO વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 21 એપ્રિલ 2022 ના રોજ તેનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. ભારત આ કેન્દ્ર માટે $250 મિલિયન ખર્ચ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ WHO અને ભારત સરકાર વચ્ચેના કરારનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે એવી આશા છે કે WHOનું નવું વૈશ્વિક કેન્દ્ર ગુજરાતમાં બની રહ્યું છે જે વિશ્વને વધુ સારા અને સસ્તા મેડિકલ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં મદદરૂપ થશે.

કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકારનો આભાર – WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે આ નવું વૈશ્વિક કેન્દ્ર ટ્રેડીશનલ મેડિસીન અને તબીબી પદ્ધતિઓના આધુનિક સંશોધન અને પ્રમાણીકરણમાં મદદ કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે વિશ્વના લાખો લોકો માટે પરંપરાગત દવા એ રોગોની સારવારનું પ્રથમ પગલું છે. આવી સ્થિતિમાં પરંપરાગત દવાઓને વૈજ્ઞાનિક આધાર સાથે વધુ અસરકારક બનાવવાનો અમારો પ્રયાસ રહેશે. તેમણે આ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકારનો આભાર માન્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિશ્વની 80 ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે વિશ્વની 80 ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે. યુએનના 194 માંથી 170 દેશોએ તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી પરંપરાગત દવાઓ અને તબીબી પ્રણાલીઓને વધુ અસરકારક બનાવવા માટે WHOની મદદ માંગી હતી. આધુનિક દવાઓમાં વપરાતી 40 ટકા દવાઓ એવી છે કે તે કુદરતી ઉત્પાદનોમાંથી મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એસ્પ્રિન નામની દવા અંગ્રેજી વિલો વૃક્ષની છાલનો ઉપયોગ કરીને પરંપરાગત રીતે લેવામાં આવી છે. આ ઉપરાંત બાળકોમાં કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા સામાન્ય રીતે ઘરોમાં ઉગાડવામાં આવતા સદાબહારના છોડમાંથી બનાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબેરેયસસે ભારતના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 13મી નવેમ્બર, 2020ના રોજ 5મા આયુર્વેદ દિવસના અવસરે ભારતમાં WHO GCTMની સ્થાપનાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને WHOની આ પહેલની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે, પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો :  Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બોપલ-ઘુમામાં ઇકોલોજી પાર્કનું લોકાર્પણ કર્યું

આ પણ વાંચો : Kheda : નડિયાદ લવ જેહાદના કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો, આરોપી યાસરે હોસ્પિટલમાં યુવતીના ગર્ભાશયની તપાસ કરાવી હતી

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">