Jammu Kashmir: અનંતનાગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો, સર્ચ ઓપરેશન ચાલુ

રવિવારે શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો. જે તાજેતરમાં બાંદીપોરામાં માર્યા ગયેલા બે પોલીસકર્મીઓની હત્યા સહિત અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો.

Jammu Kashmir: અનંતનાગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો, સર્ચ ઓપરેશન ચાલુ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 8:40 AM

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદી(Terrorist)ઓ વચ્ચે અથડામણ (Encounter) શરૂ થઈ હતી. કાશ્મીર ઝોન પોલીસે (Kashmir Police) ટ્વિટ કર્યું કે આ એન્કાઉન્ટર અરવાની વિસ્તારમાં શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો સ્થળ પર તૈનાત છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. 

રવિવારે શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો. જે તાજેતરમાં બાંદીપોરામાં માર્યા ગયેલા બે પોલીસકર્મીઓની હત્યા સહિત અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો. પોલીસે કહ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ હરવનમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. 

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

બુધવારે જ, કાશ્મીર ખીણમાં થોડી જ મિનિટોમાં બનેલી બે અલગ-અલગ આતંકવાદી ઘટનાઓમાં એક નાગરિક અને એક પોલીસકર્મી માર્યા ગયા હતા. એક તરફ, શ્રીનગરના નવાકદલમાં આતંકવાદીઓ દ્વારા એક નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં હુમલામાં પોલીસના એક સહાયક સબ-ઇન્સ્પેક્ટરનું મૃત્યુ થયું હતું. 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ બુધવારે સાંજે લગભગ 5:55 વાગ્યે શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં રઉફ અહેમદ નામના વ્યક્તિને તેના ઘર પાસે ગોળી મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને અહીંની SMHS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. 

આ ઘટનાના થોડા સમય બાદ બનેલી ઘટનામાં આતંકવાદીઓએ બિજબેહરા હોસ્પિટલની બહાર પોલીસ એએસઆઈ મોહમ્મદ અશરફને ગોળી મારી હતી, જેમાં તે ઘાયલ થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. એએસઆઈને તે જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને શ્રીનગરના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અશરફનું મોત થયું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">