Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોનાં મોત, 40 કરતા વધારે લોકો ગુમ, Airforceની મદદ મંગાઈ

|

Jul 28, 2021 | 10:14 AM

અકસ્માતની જાણકારી મળતાની સાથે જ એસડીઆરએફ (SDRF) અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ

Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોનાં મોત, 40 કરતા વધારે લોકો ગુમ, Airforceની મદદ મંગાઈ
4 killed, more than 40 missing in Kishtwar cloudburst, Air Force help sought

Follow us on

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટવા (Cloud Burst)ના કારણે અનેક લોકો ગુમ થયા છે. પાંચથી આઠ મકાનો અને એક રેશન ડેપોને નુકસાન થયું છે. અકસ્માતની જાણકારી મળતાની સાથે જ એસડીઆરએફ (SDRF) અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે નેટવર્કના અભાવે લોકો સંપર્ક કરી શકતા નથી.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ ઘટનામાં 40 લોકો ગુમ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 4 લોકોની લાશ મળી આવી છે. મળતી માહિતિ પ્રમાણે પાંચથી આઠ જેટલા ઘર તેમજ દુકાનને નુક્શાન પહોચ્યું છે. ભારે વરસાદનાં કારણે નેટવર્કનાં ઈશ્યુ પણ આવી રહ્યા છે. ઘટનામા રાજ્ય સરકાર દ્વારા Airforceની મદદ માગવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં લગાતાર થઈ રહેલા વરસાદનાં કારણે ઘણુ નુક્શાન થઈ ચુક્યું છે. કિશ્તવાડનાં જિલ્લા અધિકારીનાં જમાવ્યા પ્રમાણે સેના અને પોલીસની એક ટીમને મોકલી આપવામાં આવી છે.

જણાવી દઈએ કે ઘણા રાજ્યમાં વરસાદને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનનાં કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના બતાવવામાં આવી છે. કિશ્તવાડ શહેર જમ્મૂથી લગભગ 200 કિમિ દુર છે.

 

Published On - 9:56 am, Wed, 28 July 21

Next Article