જમ્મુ -કાશ્મીરમાં નાગરિકોની હત્યાના કેસની તપાસ હવે NIA કરશે, તૈયાર કરવામાં આવી રણનીતિ

|

Oct 19, 2021 | 5:21 PM

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆઈએને આ હત્યાઓ પાછળના મોટા ષડયંત્રનો ભેદ ઉકેલવાનો આદેશ આપ્યો છે અને હવે એનઆઈએ જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી તેના સંબંધિત તમામ ચાર કેસ હાથમાં લેશે.

જમ્મુ -કાશ્મીરમાં નાગરિકોની હત્યાના કેસની તપાસ હવે NIA કરશે, તૈયાર કરવામાં આવી રણનીતિ
NIA

Follow us on

જમ્મુ -કાશ્મીરમાં બે નાગરિક હત્યાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપવાના સમાચાર છે. આ અંગે હજુ સુધી કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી. બીજી બાજુ, ટાર્ગેટ કિલિંગના કારણે ખીણમાં ફેલાયેલી ગભરાટને જોતા સરકારે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત નવા કાવતરાને કચડી નાખવા માટે બહુપક્ષીય વ્યૂહરચના તૈયાર કરી છે.

સરહદ પારના હેન્ડલરોના નેટવર્કને તોડવા માટે, સુરક્ષા દળો સમગ્ર ઘાટીમાં આતંકવાદીઓ અને તેમના સહયોગીઓ પર હુમલો કરશે. આ મહિના દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 11 નાગરિકો માર્યા ગયા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆઈએને આ હત્યાઓ પાછળના મોટા ષડયંત્રનો ભેદ ઉકેલવાનો આદેશ આપ્યો છે અને હવે એનઆઈએ જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી તેના સંબંધિત તમામ ચાર કેસ હાથમાં લેશે. સુરક્ષા એજન્સીઓની તાજેતરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રણનીતિ તૈયાર કરવામાં આવી છે જેથી આ પ્રકારની ઘટનાઓને રોકી શકાય.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લોકોમાં ગભરાટનું વાતાવરણ ઘટાડવું એ પ્રાથમિકતા
આ અંતર્ગત પોલીસે વ્યાપક દરોડા પાડતા દક્ષિણ અને મધ્ય કાશ્મીરમાંથી એક હજારથી વધુ લોકોને ઝડપી લીધા છે. તેમાંથી ઘણા પર PSA લાદવામાં આવ્યો છે. એક ડઝનથી વધુ પથ્થરબાજોને રવિવારે રાજ્ય બહારની જેલમાં મોકલવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિકતા ટાર્ગેટ કિલિંગને રોકવાનું અને લોકોમાં ગભરાટનું વાતાવરણ ઘટાડવાનું છે.

હત્યાની તાજેતરની ઘટના રવિવારે બની હતી, જ્યારે કુલગામ જિલ્લાના વાનપોહ વિસ્તારમાં બિહારના બે કામદારોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રીજો કામદાર ઘાયલ થયો હતો. તેના એક દિવસ પહેલા બિહારના એક ગોલગપ્પા વિક્રેતા અને ઉત્તર પ્રદેશના એક સુથારનું મોત થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર ગોલગપ્પા વિક્રેતા અરવિંદ કુમારને શ્રીનગરમાં નજીકથી ગોળી વાગી હતી, જ્યારે સુથાર સગીર અહમદ પુલવામામાં માર્યો ગયો હતો. તાજેતરમાં માર્યા ગયેલા 11 નાગરિકોમાંથી પાંચ અન્ય રાજ્યોમાંથી જમ્મુ -કાશ્મીર આવ્યા હતા.

એક અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટનાઓ દર્શાવે છે કે આતંકવાદીઓ અન્ય રાજ્યોના લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ ઘટનાઓના પીડિતોમાં શ્રીનગરમાં જાણીતા કાશ્મીરી પંડિત અને દવાની દુકાનના માલિક માખન લાલ બિંદુ, ટેક્સી ડ્રાઈવર મોહમ્મદ શફી, શિક્ષકો દીપક ચંદ અને સુપિન્દર કૌર અને સ્ટ્રીટ ફૂડ વેચનાર વિરેન્દ્ર પાસવાનનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો : UP Assembly Election 2022: કોંગ્રેસની મોટી જાહેરાત, પાર્ટી યુપીમાં 40% ટિકિટ મહિલાઓને આપશે

આ પણ વાંચો : Jammu-Kashmir: ભારતીય સેનાએ રાજૌરીના જંગલમાં લશ્કરના છ આતંકીઓને ઠાર માર્યા, ઘૂસણખોરીના પ્રયાસ કર્યા નિષ્ફળ

Next Article