Jammu and Kashmir: આતંકવાદીઓ પાસેથી સ્ટીલની ગોળીઓ મળતા સુરક્ષાબળ સાવચેત, બુલેટપ્રુફ શિલ્ડને બનાવ્યું મજબૂત
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોએ પોતાના વાહન અને બંકર પર ગોળીઓની અસરને નિષ્ક્રીય કરવા માટે બુલેટ પ્રુફ શિલ્ડને મજબુત બનાવ્યુ છે.
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોએ પોતાના વાહન અને બંકર પર ગોળીઓની અસરને નિષ્ક્રીય કરવા માટે બુલેટ પ્રુફ શિલ્ડને મજબુત બનાવ્યુ છે. હકીકતમાં દક્ષિણ કશ્મીરમાં એક મુઠભેડ દરમિયાન આતંકવાદીઓ પાસેથી સ્ટીલની ગોળી મળી છે. જે સામાન્ય સુરક્ષાત્મક આવરણને નષ્ટ કરી શકે છે.
થોડા દિવસ પહેલા શોપિયામાં મુઠભેડ દરમિયાન જૈશ-એ-મોહમ્મદના સ્થાનીય કમાંડર અને વિલાયત હુસેન સજ્જાદ અફગાનીને મારી નાખવામાં આવ્યો હતો. ત્યારે સેનાએ સ્ટીલવાળી 36 ગોળીઓ જપ્ત કરી હતી. આ ગોળીઓ જોતા સુરક્ષાબળ આશ્ચર્યમાં મુકાઈ ગયુ હતું. આ સ્ટીલની ગોળીઓ સામાન્ય સુરક્ષા આવરણનો ઉપયોગ કરવાવાળા સુરક્ષાકર્મીઓને પણ નુકસાન પહોંચાડી શકે છે.
જો કે સ્ટીલની ગોળીઓ મળતા સુરક્ષાબળે બુલેપ્રુફ શિલ્ડને વધુ મજબૂત બનાવ્યું છે. આ સંદર્ભમાં અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ કશ્મીરમાં આતંકવાદીઓ વિરોધી અભિયાનો પર જવાવાળા કર્મીઓને એવી શિલ્ડ આપવામાં આવી છે કે ગોળીઓથી બચવાની સાથે સાથે અન્ય સુરક્ષા પણ આપી શકે છે. અધિકારીઓએ કહ્યું કે સીમા પર એ.કે સીરીઝની રાઈફલમાં ઉપયોગમાં આવનારા હથિયારોમાં સ્ટીલ મુખ્ય હોય છે, તેવી ગોળીઓને બેઅસર કરવા માટે ચીની પ્રૌધોગિકીની મદદથી બદલાવ કરવામાં આવી રહ્યો છે. આ ગોળીઓને કઠોર ઈસ્પાત અથવા ટંગસ્ટન કાર્બાઈન બનાવવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે સ્ટીલની ગોળીના ઉપયોગની ઘટના પહેલીવાર વર્ષ 2017માં નવા વર્ષે સામે આવી હતી. જ્યારે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ દક્ષિણ કશ્મીરના લેથપુરામાં સીઆરપીએફ કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચ અર્ધસૈનિક દળના કર્મીઓએ જીવ ગુમાવ્યો હતો. જેમાંથી એકનું મૃત્યુ બુલેટપ્રુફ શિલ્ડ પહેરવા છતા થયું હતું
અધિકારીઓએ જણાવ્યું કે સામાન્ય રીતે આતંકવાદીઓ જે ગોળીઓ વાપરે છે, તેના કેન્દ્રમાં સીસુ અને હલકું સ્ટીલ હોય છે, તેમજ આ ગોળીઓ બુલેટપ્રુફ શિલ્ડમાં છેદ નથી કરી શકતી. પરંતુ 31 ડિસેમ્બર 2017ની ઘટના બાદ અને વિસ્તૃત વિશ્લેષણ બાદ સુરક્ષા બળે પોતાના બચાવ માટે પોતાની રીત બદલવી પડી છે અને સુરક્ષા કવચને મજબૂત બનાવ્યું છે.