janta curfew: કોરોનાનો એ કપરો કાળ અને જનતા કરફ્યુની કડવી યાદો, 1 વર્ષમાં જાણો ક્યાં પહોચ્યાં કોરોના સામેનાં જંગમાં?

છેલ્લા બે અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે જાહેર થયેલા આંકડામાં એક જ દિવસમાં 46 હજારથી વધુ કેસ નોંધાયા હતા. 2020માં આ દિવસે એટલે કે 22 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા જનતા કર્ફ્યુનું આહવાન કર્યું હતું.

janta curfew: કોરોનાનો એ કપરો કાળ અને જનતા કરફ્યુની કડવી યાદો, 1 વર્ષમાં જાણો ક્યાં પહોચ્યાં કોરોના સામેનાં જંગમાં?
જનતા કર્ફ્યુ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 22, 2021 | 4:32 PM

janta curfew:  છેલ્લા બે અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે જાહેર થયેલા આંકડામાં એક જ દિવસમાં 46 હજારથી વધુ કેસ નોંધાયા હતા. 2020માં આ દિવસે એટલે કે 22 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા જનતા કર્ફ્યુનું આહવાન કર્યું હતું. આ જનતા કર્ફ્યુ મહિનાઓના લોકડાઉનનું (Lockdown) ટ્રેલર હતું. આ તે સમયની વાત છે જયારે 21 માર્ચ 2020ના રોજ 360 કોરોનાના કેસ હતા જે પૈકી 41 વિદેશીઓ હતા. આ દરમિયાન વડાપ્રધાને જનતા કર્ફ્યુની અપીલ કરી હતી અને જનતાએ સહયોગ પણ આપ્યો હતો. આહ દેશમાં રસ્તા સુમસામ થઇ ગયા હતા અને લોકો ઘરમાં હતું. પરંતુ કોરોનાની નવી લહેર વધુ ખતરનાક છે. જે 2020માં લાગેલા લોકડાઉનની યાદ આપી રહી છે. જનતા કર્ફયુના એક વર્ષ પુરા થવા પર એ જાણવું જરૂરી છે કે આખરે 1 વર્ષમાં આપણે કોરોનાના જંગમાં ક્યાં પહોંચ્યા છે.

ગત વર્ષે જનતા કર્ફ્યુ લાદતા પહેલા દેશમાં ફક્ત 360 કેસ હતા, જે હવે વધીને 1,16,46,081 પર પહોંચી ગયા છે. આ સિવાય એકલા મહારાષ્ટ્રમાં આ આંકડો 2 લાખથી વધુ છે અને દેશમાં હાલમાં 3,34,646 લાખ એક્ટિવ કેસ છે. આરોગ્ય મંત્રાલય અનુસાર મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોની પરિસ્થિતિ ચિંતાજનક છે અને કોરોના ફરી એકવાર વિસ્ફોટક હોવાનું જોવા મળી રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કુલ કેસના 86 ટકા કેસ છે. દેશભરમાં અત્યાર સુધીમાં 1 કરોડ 16 લાખથી વધુ કેસ નોંધાયા છે

ખાસ કરીને મહારાષ્ટ્રમાં કુલ કેસ પૈકીના 60% કેસ નોંધાય છે. મુંબઈ, પુના અને નાગપુર જેવા શહેરો કોરોનાના હોટસ્પોટ્સ તરીકે ઉભરી આવ્યા છે. ગત વર્ષની એજમ કર્ફ્યુ અથવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું નથી આમ છતાં પણ આ દિવસ પરત ફરતા હોય તેવું જરૂર લાગી રહ્યું છે. એક તરફ પંજાબના 11 શહેરોમાં નાઇટ કર્ફ્યુ સહિતના ઘણા પ્રતિબંધો છે, તો રાજસ્થાનમાં કોઈ પણ બહારના વ્યક્તિને ત્યારે જ પ્રવેશ મળશે જયારે તેને કોરોના રિપોર્ટ નેગેટિવ હશે. આટલું જ નહીં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ઉપરાંત ઈન્દોરમાં નાઇટ કર્ફ્યુ પણ લગાવી દીધો છે. ઘણા રાજ્યોની પ્રાથમિક શાળાઓ આગામી આદેશો સુધી બંધ કરી દેવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોરોનાનું સંક્ર્મણ વધતા નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લગાડી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ એ પણ ટકોર કરી છે કે હાલત નહીં સુધરે તો લોકડાઉનનો વિકલ્પ છે. ગુજરાતના પણ અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરમાં નાઈટકર્ફ્યુનો સમય વધારી દીધો છે. આ સાથે જરાત્રી દરમિયાન બસોનું સંચાલન પણ બંધ કરી દીધું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">