AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટથી IRCTC દોડાવશે તીર્થયાત્રા વિશેષ ટ્રેનો

ભારતીય રેલ્વેની પેટા કંપની ઈન્ડિયન કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ફેબ્રુઆરી અને માર્ચમાં ગુજરાતના રાજકોટથી ચાર તીર્થયાત્રી વિશેષ ટ્રેનો ચલાવશે.

રાજકોટથી IRCTC દોડાવશે તીર્થયાત્રા વિશેષ ટ્રેનો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 06, 2021 | 5:29 PM

ભારતીય રેલ્વેની પેટા કંપની ઈન્ડિયન કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ફેબ્રુઆરી અને માર્ચમાં ગુજરાતના રાજકોટથી ચાર તીર્થયાત્રી વિશેષ ટ્રેનો ચલાવશે. આઈઆરસીટીસી વેસ્ટર્ન ઝોન ગ્રુપના જનરલ મેનેજર રાહુલ હિમાલયને કહ્યું કે, યાત્રાધામ માટેની ચારેય ટ્રેનો રાજકોટથી શરૂ થશે અને અંતિમ સ્ટોપ પણ રાજકોટ  હશે. ફેબ્રુઆરીથી બે તીર્થયાત્રા વિશેષ ટ્રેનો શરૂ થશે. જે નાસિક, ઔરંગાબાદ, પરલી, કુર્નૂલ, રામેશ્વરમ, મદુરાઈ અને કન્યાકુમારીને આવરી લેશે. જ્યારે દક્ષિણ દર્શન તીર્થ વિશેષ ટ્રેન 14 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. IRCTC  વેસ્ટર્ન ઝોન ગ્રુપના જનરલ મેનેજર રાહુલ હિમાલયને કહ્યું કે નમામી ગંગે તીર્થયાત્રા વિશેષ ટ્રેન, જે 27 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ચાલશે, તે વારાણસી, ગયા, કોલકત્તા,  ગંગા સાગર અને પુરીને આવરી લેશે.

ભારત દર્શન ટ્રેનો માર્ચથી શરૂ થશે

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

ભારત દર્શન ટ્રેનો પણ માર્ચ માસથી શરૂ થશે, જેમાં મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વૈષ્ણોદેવી, કુંભ હરિદ્વારને આવરી લેવામાં આવશે. ભારત દર્શન ટ્રેન 6 માર્ચથી 14 માર્ચ સુધી ચાલશે. તેમણે કહ્યું હતું કે, દક્ષિણ ભારતની મુસાફરી કરતી ભારત દર્શન ટ્રેન 20 માર્ચથી 31 માર્ચ દરમિયાન રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરૂપતિ અને મૈસૂરને આવરી લેશે.

આ ઉપરાંત આઈઆરસીટીસી તેની કોર્પોરેટ તેજસ એક્સપ્રેસ ટ્રેન 14 ફેબ્રુઆરીથી અમદાવાદ-મુંબઈ રૂટ પર ફરી શરૂ કરશે. આઈઆરસીટીસીના પર્યટન બાબતોના જોઈન્ટ જનરલ મેનેજર વાયુનંદન શુક્લાએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે ગયા વર્ષે માર્ચમાં તેજસ ટ્રેનની કામગીરી અટકી હતી.

તેજસ ટ્રેન ફરી શરૂ થશે 

ગયા વર્ષે ઓક્ટોબરમાં લોકડાઉન હળવું થતાં આઈઆરસીટીસીએ આ સેવાઓ ફરી એકવાર શરૂ કરી હતી, પરંતુ ઓછા મુસાફરોને કારણે બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે ફરી એકવાર અમે તેનું કાર્ય શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ ટ્રેન શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડશે. શુક્લાએ કહ્યું, “આ વિશેષ ટ્રેનોના ટિકિટના ભાવો મુસાફરી, ખાદ્ય પદાર્થ, સ્થાનિક બસ પરિવહન, ધર્મશાળા એકોમોડેશન , ટૂર ગાઈડ્સ અને ઘરના ખર્ચનો સમાવેશ કરે છે.”

આ પણ વાંચો: Farmer Protest: કયાં સુધી શરૂ રહેશે ખેડૂત આંદોલન? રાકેશ ટીકૈતે કરી મોટી જાહેરાત

અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન
અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન
ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ
ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ
બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી
બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">