AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-પાક 75 વર્ષમાં શાંતિ અને એકતા સ્થાપિત કરી શક્યા નથી, તુર્કીએ ફરીથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો

પાકિસ્તાનના (Pakistan) નજીકના એર્દોઆને મહાસભા ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન 75 વર્ષ પહેલાં તેમની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાની સ્થાપના કર્યા પછી પણ એકબીજા વચ્ચે શાંતિ અને એકતા સ્થાપિત કરી શક્યા નથી.

ભારત-પાક 75 વર્ષમાં શાંતિ અને એકતા સ્થાપિત કરી શક્યા નથી, તુર્કીએ ફરીથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો
પીએમ નરેન્દ્ર મોદી - તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆન
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 12:56 PM
Share

તુર્કીના (Turkey) રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆને ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. મંગળવારે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં (United Nations General Assembly) તેમના સંબોધન દરમિયાન, તેમણે ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. પાકિસ્તાનના નજીકના એર્દોઆને મહાસભા ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન 75 વર્ષ પહેલાં તેમની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાની સ્થાપના કર્યા પછી પણ એકબીજા વચ્ચે શાંતિ અને એકતા સ્થાપિત કરી શક્યા નથી.

રાષ્ટ્રપતિ એર્દોઆને કાશ્મીર વિશે ઘણી વખત નિવેદન આપ્યું છે. ભારત વતી મજબૂત રીતે તેનો વિરોધ કરતાં, તે સ્પષ્ટ હતું કે આ ભારતની આંતરિક બાબત છે. કોઈ પણ દેશને દખલ કરવાનો અધિકાર નથી. એર્દોઆને કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે કાશ્મીરમાં કાયમી શાંતિ અને સમૃદ્ધિ જાળવવાની કામના કરીએ છીએ.

સમરકંદમાં પીએમ મોદી સાથે મુલાકાત થઈ હતી

શુક્રવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ સહકાર સંગથન (SCO) સમિટના પ્રસંગે એર્દોઆને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા, ત્યારબાદ તેમણે આ ટિપ્પણી કરી. સમરકંદની બેઠક દરમિયાન, તેમણે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગને તીવ્ર બનાવવાની રીતોની ચર્ચા કરી.

ભારત-તુર્કી સંબંધોમાં તણાવ

તાજેતરના વર્ષોમાં, એર્દોઆને યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઉચ્ચ -સ્તરના સત્રોમાં તેમના સંબોધન દરમિયાન કાશ્મીરના મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે, જેના કારણે ભારત અને તુર્કી વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા થયો છે. ભારતે ભૂતકાળમાં પોતાની ટિપ્પણી સંપૂર્ણપણે અસ્વીકાર્ય તરીકે જાહેર કરી છે. ભારત કહે છે કે તુર્કીએ અન્ય દેશોની સાર્વભૌમત્વનો આદર કરવાનું શીખવું જોઈએ અને તેની નીતિઓમાં તેને વધુ ઉંડાણપૂર્વક પ્રતિબિંબિત કરવું જોઈએ.

તુર્કી સહમત નથી

તુર્કી કાશ્મીર અંગે વારંવાર નિવેદન આપી રહ્યુ છે. તેનાથી ભારત અને તુર્કી વચ્ચેના સંબંધોમાં તણાવ સર્જાયો છે. ભૂતકાળમાં ભારતે એર્દોઆનના નિવેદનો સામે વાંધો વ્યક્ત કર્યો છે અને તેને સંપૂર્ણપણે અસ્વીકાર્ય જાહેર કર્યું છે. ભારત કહે છે કે તુર્કીએ અન્ય દેશોની સાર્વભૌમત્વનો આદર કરવાનું શીખવું જોઈએ અને તેની નીતિઓમાં તેને વધુ ઉંડાણપૂર્વક પ્રતિબિંબિત કરવું જોઈએ. પીએમ મોદી આજ સુધી તુર્કીની યાત્રા કરી નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે અહીંની સરકાર વારંવાર ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહી છે.

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">