
હાલમાં જ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું ફોરેક્સ રિઝર્વ બચાવવા માટે દેશવાસીઓને એક વર્ષ સુધી સોનુ ન ખરીદવાની અપીલ કરી છે. જો કે વડાપ્રધાન પહેલા એવા નથી, જેમણે સંકટની સ્થિતિમાં આવી અપીલ કરી હોય. જ્યારે જ્યારે દેશ પર આર્થિક સંકટ આવ્યુ છે, દેશના અનેક નેતાઓ આ પ્રકારની અપીલ કરી ચુક્યા છે. પહેલા તો આવા ચાર કિસ્સા વિશે જાણીએ જ્યારે આર્થિક સંકટની ઘડીમાં જનતા ક્યારે ક્યારે મદદે આવી. 1962માં ઈંદિરા ગાંધીએ મંગળસૂત્ર સહિત સોનાનુ દાન કર્યુ વર્ષ 1962માં ભારત- ચીન યુદ્ધ દરમિયાન તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ નાગરિકોને રાષ્ટ્રીય રક્ષા કોષમાં સોનુ અને પૈસા દાન કરવાની અપીલ કરી હતી. આ ફંડ તત્કાલિન વર્ષ સશસ્ત્ર દળોના જવાનો અને તેમના પરિવારોના કલ્યાણ અને સુરક્ષા પ્રયાસો માટે સ્થાપિત કરવામાં આવ્યા હતા. એ સમયે સરકારે દાન દેવા માટેના ત્રણ ખાસ કારણો પણ આપ્યા હતા. જેમા પહેલુ નાગરિકો અને બાળકોની ભવિષ્યનું રક્ષણ, ભારતની પ્રાદેષિક અખંડિતતાનું જતન અને શાંતિનું રક્ષણ સામેલ હતુ. આ સમયગાળા દરમિયાન...
Published On - 7:06 pm, Tue, 12 May 26