AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army : ઉરી ઓપરેશન પર સેનાનું નિવેદન, સાત દિવસમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા સાત આતંકીઓને ઠાર કર્યા

પાકિસ્તાનના આતંકીઓએ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો છે અને એક આતંકવાદીને જીવતો પકડ્યો છે.

Indian Army : ઉરી ઓપરેશન પર સેનાનું નિવેદન, સાત દિવસમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા સાત આતંકીઓને ઠાર કર્યા
Indian Army - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 1:47 PM
Share

ભારતીય સેનાએ (Indian Army) મીડિયાને સંબોધન કરતા ઉરી ઓપરેશન અને પોકિસ્તાન દ્વારા કરવામાં આવતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી અને કહ્યુ કે લશ્કરનો આતંકવાદી ઝડપાયો છે જે હથિયારો સપ્લાય કરવા આવ્યો હતો.

જમ્મુ -કાશ્મીરમાં ભારતીય સેનાને જબરદસ્ત સફળતા મળી છે. સેનાએ અહીં ઘૂસણખોરી કરતા આતંકવાદીને પકડી લીધો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સૈનિકોએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.

ભારતીય સેનાએ ફરી એક વખત જમ્મુ -કાશ્મીરમાં સરહદ પર પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાનના આતંકીઓએ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો છે અને એક આતંકવાદીને જીવતો પકડ્યો છે. ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરીનો પ્રયાસ ચાલી રહ્યો હતો, ઘણા આતંકવાદીઓએ આવું કરવાનો પ્રયાસ કર્યો હતો તે સેના દ્વારા માર્યા ગયા હતા. ભારતીય સેનાએ છેલ્લા સાત દિવસમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા સાત આતંકીઓને ઠાર કર્યા છે.

મેજર જનરલ વીરેન્દ્ર વત્સે મંગળવારે ઉરીમાં ઓપરેશન અંગે પત્રકાર પરિષદ યોજી હતી. વીરેન્દ્ર વત્સના જણાવ્યા અનુસાર, 18 સપ્ટેમ્બરે પેટ્રોલિંગ દરમિયાન, ઘૂસણખોરીની માહિતી મળી હતી, ત્યારબાદ ત્યાં ગોળીબાર થયો હતો. વીરેન્દ્ર વત્સના જણાવ્યા મુજબ, 26 સપ્ટેમ્બરે એક આતંકવાદી માર્યો ગયો હતો. એકને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને તેની પૂછપરછ કરવામાં આવી. ઉરીમાં પકડાયેલા આતંકવાદીનું નામ અલી બાબર છે, જે પાકિસ્તાનના પંજાબનો રહેવાસી છે. આતંકીએ પોતાને લશ્કરનો હોવાનો દાવો કર્યો છે.

સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જીવતા પકડાયેલા આતંકવાદીએ તેની માતાનો નંબર આપ્યો હતો, તેને માત્ર હથિયારો સપ્લાય કરવા માટે અહીં આવવું પડ્યું હતું. આ ઘૂસણખોરી સલામાબાદમાંથી કરવામાં આવી હતી, જ્યાંથી આતંકીઓ 2016 ના ઉરી હુમલા માટે આવ્યા હતા. જે આતંકવાદી જીવતો પકડાયો છે તેને પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે.

સેનાના જણાવ્યા અનુસાર, 18 સપ્ટેમ્બરથી ઉરી સેક્ટરમાં સતત ઘૂસણખોરીનો પ્રયાસ ચાલી રહ્યો હતો. 23 સપ્ટેમ્બરે જ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, ત્યારબાદ તેમની સાથે રહેલા બે આતંકવાદીઓ અહીંથી ભાગી ગયા હતા. આ બંનેની શોધ લશ્કર દ્વારા ત્યારથી ચાલી રહી હતી, જેમાંથી એક હવે મરી ગયો છે અને એક જીવતો પકડાયો છે. અહીં લાંબા એન્કાઉન્ટરમાં સેનાના કેટલાક સૈનિકો ઘાયલ પણ થયા છે. ભારતીય સેનાના અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી છે કે પાકિસ્તાન દ્વારા જમ્મુ -કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માટે આ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની સેના છેલ્લા કેટલાક સમયથી સતત આવા પ્રયાસોમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : Delhi : મંડોલી જેલમાં 25 કેદીઓએ જેલની દિવાલ અને સળિયા પર માથું અથડાવી પોતાને ઘાયલ કર્યા

આ પણ વાંચો : Zojila Tunnel : એશિયાની સૌથી લાંબી ટર્નલની શું છે ખાસિયતો ? જાણો તસવીરો થકી

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">