ભારતીય વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છેલ્લી 20 કલાકથી લાપતા, અગાઉ પણ આ વિમાન બંગાળની ખાડી પરથી ગાયબ થયું હતું
ભારતીય વાયુસેનાનું વિમાન એન 32 અસમે એયરબેસ પરથી ઉડ્યા પછીથી લાપતા છે. વાયુસેનાના પરિવહન વિમાન એનટોનોવ એન32 સાથે છેલ્લો સંપર્ક સોમવારના રોજ 1 વાગ્યે થયો હતો. જે પછી વિમાન સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક થયો નથી. આ વિમાનમાં 13 લોકો સવાર છે. જેમા ક્રૂ મેમ્બર અને 5 લોકો હાજર છે. વિમાનની જાણ કરવા માટે વાયુસેનાએ તમામ […]
ભારતીય વાયુસેનાનું વિમાન એન 32 અસમે એયરબેસ પરથી ઉડ્યા પછીથી લાપતા છે. વાયુસેનાના પરિવહન વિમાન એનટોનોવ એન32 સાથે છેલ્લો સંપર્ક સોમવારના રોજ 1 વાગ્યે થયો હતો. જે પછી વિમાન સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક થયો નથી. આ વિમાનમાં 13 લોકો સવાર છે. જેમા ક્રૂ મેમ્બર અને 5 લોકો હાજર છે. વિમાનની જાણ કરવા માટે વાયુસેનાએ તમામ મહેનત કામે લગાવી દીધી છે. તો અન્ય ફાયટર જેટ પણ શોધખોળનું ઓપરેશન ચલાવી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વિમાનની જાણ કરવા માટે વાયુસેના સાથે અન્ય એજન્સી પણ કાર્યરત છે. વાયુસેનાના રિપોર્ટ મુજબ સંભવિત સ્થળની જાણકારી મળી છે. આ વિમાન અસમ જોરહાટથી અરૂણાચલ પ્રદેશના મેચુકા ઘાટીમાં મેચુકા એડવાંસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ પર જઈ રહ્યું હતું. રનવે પરથી ઉડ્યા બાદની 35 મિનિટમાં જ સંપર્ક વિહોણુ થઈ ગયું હતું. મેચુકા એડવાંસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ ચીનની સીમા પાસે છે. અગાઉ જુલાઈ 2016માં પણ ભારતના વાયુસેનાનું વિમાન એન32 ટ્રાન્સપોર્ટ બંગાળની ખાડી ઉપરથી લાપતા થઈ ગયું હતું. જે વિમાનમાં 29 લોકો સવાર હતા
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]