AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત 2 મહિનામાં 20 લાખ ટનથી વધુ ઘઉંની કરશે નિકાસ, છેલ્લા 7 વર્ષમાં સોથી વધુ નિકાસની આશા

આ વર્ષે ભારત છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ નિકાસ કરી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે ભારતીય ઘઉંની કિંમત અન્ય દેશોની સરખામણીમાં સ્પર્ધાત્મક રહે છે અને તેથી જ અહીં ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે.

ભારત 2 મહિનામાં 20 લાખ ટનથી વધુ ઘઉંની કરશે નિકાસ, છેલ્લા 7 વર્ષમાં સોથી વધુ નિકાસની આશા
Wheat Crop
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 6:29 PM
Share

આગામી બે મહિનામાં ભારત (India) 20 થી 25 લાખ ટન ઘઉં (Wheat)ની નિકાસ કરશે. આ વર્ષે ભારતમાંથી મોટા પ્રમાણમાં ઘઉંની નિકાસ થઈ રહી છે. એક અંદાજ મુજબ, આ વર્ષે ભારત છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ નિકાસ (Export) કરી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે ભારતીય ઘઉંની કિંમત અન્ય દેશોની સરખામણીમાં સ્પર્ધાત્મક રહે છે અને તેથી જ અહીં ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA)ની ફોરેન એગ્રીકલ્ચર સર્વિસ (FAS)એ તેના તાજેતરના અહેવાલમાં ભારતની ઘઉંની નિકાસનો અંદાજ 4.5 મિલિયન ટનથી વધારીને 5.25 મિલિયન ટન કર્યો છે. ભારતીય ઘઉંના ભાવ આસપાસના બજારો માટે વાજબી લાગે છે. ભારત વાજબી ભાવે સારી ગુણવત્તા અને પ્રમાણભૂત ઘઉં ઉપલબ્ધ કરે છે. આ કારણોસર નિકાસ માટે નવા સોદા મળી રહ્યા છે.

આ દેશોને કરવામાં આવે છે નિકાસ

યુએસડીએએ જણાવ્યું હતું કે ઓગસ્ટમાં ભારતના ઘઉંની નિકાસની કિંમત સરેરાશ 265 ડોલર હતી. ભારત હાલમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, મલેશિયા અને પશ્ચિમ એશિયાના દેશોમાં મોટા પાયે ઘઉં મોકલી રહ્યું છે. ભારત નેપાળ જેવા દેશમાં માત્ર રોડ માર્ગે જ ઘઉંની નિકાસ કરે છે.

બીજી બાજુ, જો આપણે અન્ય દેશોના ઘઉંના નિકાસ ભાવ વિશે વાત કરીએ, તો યુક્રેન અને અન્ય ભૂતપૂર્વ સોવિયત સંઘના સભ્ય દેશોમાં ઉત્પાદિત ઘઉંની કિંમત 358.5 ડોલર છે. ઇન્ટરનેશનલ ગ્રેન્સ કાઉન્સિલ (IGC) અનુસાર, આર્જેન્ટિનાના ઘઉંનું વેચાણ 314 ડોલરમાં થઈ રહ્યું છે.

નિકાસના નવા સોદાઓને કારણે ભાવ વધે છે

એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ઘઉંની નિકાસ વધીને 2.34 મિલિયન ટન થઈ છે, જેનું મૂલ્ય રૂ. 4,590 કરોડ છે. બાંગ્લાદેશ ભારતીય ઘઉંનો સૌથી મોટો ખરીદદાર છે. આ પછી શ્રીલંકા અને નેપાળ આવે છે.

નિકાસ માટે મળેલા સોદાઓને કારણે ઘઉંના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જે લણણી સમયે એપ્રિલમાં લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ઘણો ઓછો હતો. લણણી સમયે, ખેડૂતોએ 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં વેચ્યા હતા, પરંતુ હાલમાં તેની કિંમત 1950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જે 1975ના MSP દરની નજીક છે.

આ પણ વાંચો: ‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’, ઓર્ગન ડોનેશન શા માટે છે જરૂરી ? રાષ્ટ્રીય અંગદાન દિવસ પર જાણો તેનું મહત્વ

આ પણ વાંચો: શેર બજારમાં કડાકાથી બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના 753 કરોડ રૂપિયા ધોવાયા, ટાટાના આ શેરથી થયું નુકસાન

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">