World Cup-2019માં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની સૌથી નબળી ફિલ્ડિંગ, 2 વખત રોહિત શર્માને મળ્યું જીવનદાન
ભારત અને પાકિસ્તાનની વચ્ચે 2019ના વર્લ્ડ કપમાં પ્રથમ વખત આમને-સામને મેચ રમાઈ રહી છે. ત્યારે પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આમ છતાં પાકિસ્તાન પોતાની બોલિંગમાં કશું પણ સાબિત કરી શકી નથી. રોહિત શર્માના 140 રન આ વાતનો પૂરાવો છે. પાકિસ્તાનના બોલરો પણ સારું પ્રદર્શન કરી શક્યા નથી. તો બીજી […]

ભારત અને પાકિસ્તાનની વચ્ચે 2019ના વર્લ્ડ કપમાં પ્રથમ વખત આમને-સામને મેચ રમાઈ રહી છે. ત્યારે પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આમ છતાં પાકિસ્તાન પોતાની બોલિંગમાં કશું પણ સાબિત કરી શકી નથી. રોહિત શર્માના 140 રન આ વાતનો પૂરાવો છે. પાકિસ્તાનના બોલરો પણ સારું પ્રદર્શન કરી શક્યા નથી. તો બીજી તરફ મેદાનમાં ચક્રવ્યૂ સમાન ઉભા પાકિસ્તાનના ફિલ્ડરોએ પણ કંઈ ખાસ રોમાંચ દેખાડ્યો નથી. બે વખત પાક.ના ખેલેડીઓની નબળી ફિલ્ડિંગ રન આઉટ સમયે સાબિત થઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચોઃ વરસાદના કારણે મેચ રોકાઈ, પાકિસ્તાનની સામે ભારતના 46.4 ઓવરમાં 305 રન
રોહિત શર્મા સામાન્ય રીતે ધવન સાથે ઓપનિંગ કરે છે. પરંતુ આ વખતે રાહુલ સાથે પણ પોતાની દમદાર બેટિંગથી પાકની હાલત ખરાબ કરી દીધી છે. 2 વખત પાકિસ્તાનના ખેલાડીઓની નબળી બેટિંગના કારણે રન આઉટ કરવાનો મોકો પણ ચૂકી ગયા હતા. બે વખત રોહિત શર્માને મળેલા જીવનદાન પછી તેમણે પોતાની બેટિંગ સાબિત કરી દીધી છે. ભારત નિશંકા વર્લ્ડકપમાં પાકિસ્તાનને પછાડી દેશે.