AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત ઉનાળા પહેલા ચીન સરહદની સ્થિતિનું કરશે મૂલ્યાંકન, આર્મી અને એરફોર્સના અધિકારીઓ કરશે બેઠક

ભારતીય સેનાના ટોચના અધિકારીઓએ તાજેતરમાં લખનૌમાં એક કોન્ફરન્સ દરમિયાન લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ભારતીય પક્ષ દ્વારા માળખાકીય જરૂરિયાતો અને વિકાસ અંગે સંયુક્ત રીતે ચર્ચા કરી હતી.

ભારત ઉનાળા પહેલા ચીન સરહદની સ્થિતિનું કરશે મૂલ્યાંકન, આર્મી અને એરફોર્સના અધિકારીઓ કરશે બેઠક
India China Border Dispute Image Credit source: Representative Photo (ANI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:57 PM
Share

પૂર્વી લદ્દાખમાં (Eastern Ladakh) ભારત અને ચીનની સેનાઓ (India And China) વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. દરમિયાન, ભારતીય સેના અને વાયુસેનાના ટોચના અધિકારીઓ વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેમની સજ્જતા અને માળખાકીય જરૂરિયાતોનું મૂલ્યાંકન કરશે. ભારતીય વાયુસેનાના અધિકારીઓ આ અઠવાડિયે 6 એપ્રિલથી ઉત્તરીય સરહદો પર હવાઈ કાર્યવાહી સહિત સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે બેઠક કરશે. આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાના કમાન્ડરો અર્ધવાર્ષિક કમાન્ડર કોન્ફરન્સમાં 18 એપ્રિલથી પૂર્વ લદ્દાખ અને પૂર્વોત્તર વિસ્તારોમાં વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરશે.

ભારતીય સેનાના ટોચના અધિકારીઓએ તાજેતરમાં લખનૌમાં એક કોન્ફરન્સ દરમિયાન લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ભારતીય પક્ષ દ્વારા માળખાકીય જરૂરિયાતો અને વિકાસ અંગે સંયુક્ત રીતે ચર્ચા કરી હતી. એપ્રિલ-મે 2020માં ચીની સૈનિકો દ્વારા આક્રમકતા દર્શાવ્યા બાદ ભારતે તેની તૈનાતીમાં ઘણા ફેરફારો કર્યા છે. ભારત અને ચીન મુદ્દાઓને ઉકેલવા માટે સૈન્ય અને રાજદ્વારી બંને સ્તરે એકબીજા સાથે વાત કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેઓ આમ કરી શક્યા નથી.

ભારતે એલએસી પર તેની તૈનાતી મજબૂત કરી

તાજેતરની વાટાઘાટોમાં ચીને એક એવા ઉકેલનો પ્રસ્તાવ મૂક્યો જે ભારતીય પક્ષને સ્વીકાર્ય ન હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની આગેવાની હેઠળની ભારતીય સુરક્ષા સંસ્થાનું માનવું છે કે જ્યારે ચીની સેના અહીંથી હટી જશે ત્યારે જ આ મુદ્દો ઉકેલાશે અને પરિસ્થિતિ એપ્રિલ 2020 પહેલાની હશે. ભારતે એલએસી પર તેની તૈનાતી મજબૂત કરી છે.

ભારતીય વાયુસેનાએ ફોરવર્ડ એરિયામાં એડવાન્સ બેઝ બનાવવાનું પણ શરૂ કર્યું છે, જેમાં ન્યોમા જેવા ફોરવર્ડ વિસ્તારોમાંથી ફાઈટર જેટ અને એટેક હેલિકોપ્ટર ચલાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ મહિને, કોર્પ્સ-કમાન્ડર સ્તરની વાટાઘાટોનો 15મો રાઉન્ડ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની ભારતીય બાજુએ ચુશુલ-મોલ્ડો ‘બોર્ડર પોઇન્ટ’ પર યોજાયો હતો. સૈન્યએ કહ્યું કે, ચીન બાકીના મુદ્દાઓના સ્વીકાર્ય ઉકેલ પર વહેલામાં વહેલી તકે પહોંચવા માટે સૈન્ય અને રાજદ્વારી માધ્યમો દ્વારા વાતચીત ચાલુ રાખવા માટે સંમત છે.

ભારતીય સેનાએ વધુમાં જણાવ્યું હતું કે ચીની પક્ષે પુષ્ટિ કરી છે કે આવી દરખાસ્ત પશ્ચિમી ક્ષેત્રમાં LAC સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિને સરળ બનાવશે. બંને પક્ષો પશ્ચિમી ક્ષેત્રમાં જમીનની સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે કામચલાઉ રીતે સંમત થયા છે.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">