AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત ઉનાળા પહેલા ચીન સરહદની સ્થિતિનું કરશે મૂલ્યાંકન, આર્મી અને એરફોર્સના અધિકારીઓ કરશે બેઠક

ભારતીય સેનાના ટોચના અધિકારીઓએ તાજેતરમાં લખનૌમાં એક કોન્ફરન્સ દરમિયાન લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ભારતીય પક્ષ દ્વારા માળખાકીય જરૂરિયાતો અને વિકાસ અંગે સંયુક્ત રીતે ચર્ચા કરી હતી.

ભારત ઉનાળા પહેલા ચીન સરહદની સ્થિતિનું કરશે મૂલ્યાંકન, આર્મી અને એરફોર્સના અધિકારીઓ કરશે બેઠક
India China Border Dispute Image Credit source: Representative Photo (ANI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:57 PM
Share

પૂર્વી લદ્દાખમાં (Eastern Ladakh) ભારત અને ચીનની સેનાઓ (India And China) વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. દરમિયાન, ભારતીય સેના અને વાયુસેનાના ટોચના અધિકારીઓ વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેમની સજ્જતા અને માળખાકીય જરૂરિયાતોનું મૂલ્યાંકન કરશે. ભારતીય વાયુસેનાના અધિકારીઓ આ અઠવાડિયે 6 એપ્રિલથી ઉત્તરીય સરહદો પર હવાઈ કાર્યવાહી સહિત સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે બેઠક કરશે. આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાના કમાન્ડરો અર્ધવાર્ષિક કમાન્ડર કોન્ફરન્સમાં 18 એપ્રિલથી પૂર્વ લદ્દાખ અને પૂર્વોત્તર વિસ્તારોમાં વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરશે.

ભારતીય સેનાના ટોચના અધિકારીઓએ તાજેતરમાં લખનૌમાં એક કોન્ફરન્સ દરમિયાન લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ભારતીય પક્ષ દ્વારા માળખાકીય જરૂરિયાતો અને વિકાસ અંગે સંયુક્ત રીતે ચર્ચા કરી હતી. એપ્રિલ-મે 2020માં ચીની સૈનિકો દ્વારા આક્રમકતા દર્શાવ્યા બાદ ભારતે તેની તૈનાતીમાં ઘણા ફેરફારો કર્યા છે. ભારત અને ચીન મુદ્દાઓને ઉકેલવા માટે સૈન્ય અને રાજદ્વારી બંને સ્તરે એકબીજા સાથે વાત કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેઓ આમ કરી શક્યા નથી.

ભારતે એલએસી પર તેની તૈનાતી મજબૂત કરી

તાજેતરની વાટાઘાટોમાં ચીને એક એવા ઉકેલનો પ્રસ્તાવ મૂક્યો જે ભારતીય પક્ષને સ્વીકાર્ય ન હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની આગેવાની હેઠળની ભારતીય સુરક્ષા સંસ્થાનું માનવું છે કે જ્યારે ચીની સેના અહીંથી હટી જશે ત્યારે જ આ મુદ્દો ઉકેલાશે અને પરિસ્થિતિ એપ્રિલ 2020 પહેલાની હશે. ભારતે એલએસી પર તેની તૈનાતી મજબૂત કરી છે.

ભારતીય વાયુસેનાએ ફોરવર્ડ એરિયામાં એડવાન્સ બેઝ બનાવવાનું પણ શરૂ કર્યું છે, જેમાં ન્યોમા જેવા ફોરવર્ડ વિસ્તારોમાંથી ફાઈટર જેટ અને એટેક હેલિકોપ્ટર ચલાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ મહિને, કોર્પ્સ-કમાન્ડર સ્તરની વાટાઘાટોનો 15મો રાઉન્ડ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની ભારતીય બાજુએ ચુશુલ-મોલ્ડો ‘બોર્ડર પોઇન્ટ’ પર યોજાયો હતો. સૈન્યએ કહ્યું કે, ચીન બાકીના મુદ્દાઓના સ્વીકાર્ય ઉકેલ પર વહેલામાં વહેલી તકે પહોંચવા માટે સૈન્ય અને રાજદ્વારી માધ્યમો દ્વારા વાતચીત ચાલુ રાખવા માટે સંમત છે.

ભારતીય સેનાએ વધુમાં જણાવ્યું હતું કે ચીની પક્ષે પુષ્ટિ કરી છે કે આવી દરખાસ્ત પશ્ચિમી ક્ષેત્રમાં LAC સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિને સરળ બનાવશે. બંને પક્ષો પશ્ચિમી ક્ષેત્રમાં જમીનની સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે કામચલાઉ રીતે સંમત થયા છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">