Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: ભારતમાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 1.07 લાખ નવા દર્દીઓ સામે આવ્યા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય(Union Health Ministry)ના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કોવિડ દર્દીઓની સંખ્યા ઘટીને 12.25 લાખ થઈ ગઈ છે.

Corona Virus: ભારતમાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 1.07 લાખ નવા દર્દીઓ સામે આવ્યા
Symbolic photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 12:23 PM

Coronavirus: ભારતમાં કોરોના વાઈરસ (Coronavirus)ના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં રોગચાળાથી વણસી ગયેલી પરિસ્થિતિ હવે ધીરે ધીરે સુધરી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોવિડ-19 (Covid-19)ના 1,07,474 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 865 દર્દીઓના મોત થયા છે. મૃત્યુના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં સંક્રમણના કારણે મૃત્યુઆંક વધીને 5,01,979 થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry)ના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કોવિડ દર્દીઓની સંખ્યા ઘટીને 12.25 લાખ થઈ ગઈ છે.

19 વર્ષની ઉંમરે સગાઈ, 3 વાર પ્રેમમાં દગો, જાણો RJ Mahvashની દર્દનાક કહાની
Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, શનિવારે દેશભરમાં 2,13,246 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, ત્યારબાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 4,04,61,148 થઈ ગઈ છે. સક્રિય કેસોની સંખ્યા હાલમાં 12,25,011 છે, જે કુલ કેસના 2.90 ટકા છે. તે જ સમયે, દૈનિક પોઝિટિવિટી દર 7.42 ટકા છે. જ્યારે પોઝિટિવિટી રેટ 10.20 ટકા છે. દેશમાં રિકવરી રેટ હવે 95.91 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે, ભારતમાં શનિવારે કોરોના વાયરસ માટે 14,48,513 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો વધીને 74,01,87,141 થઈ ગયો છે.

રસીકરણનો કુલ આંકડો 169.46 કરોડને વટાવી ગયો

જો આપણે કોવિડ -19 રસીકરણ (Covid-19 Vaccination)ના ડેટા વિશે વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 169.46 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારે દેશભરમાં 45,10,770 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી અહેવાલ મુજબ ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે વધીને 1,69,46,26,697 થઈ ગયો છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને દેશમાં 1.47 કરોડ (1,47,27,674)થી વધુ પ્રિસ્ક્રિપ્શન ડોઝ (બૂસ્ટર ડોઝ) આપવામાં આવ્યા છે.

મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષના લોકોને 54,46,63,377 પ્રથમ ડોઝ અને 41,56,19,074 સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.  ફ્રન્ટલાઈન વર્કર્સ (FLWs)નું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું.

પ્રિકૉશન ડોઝનું રસીકરણ 10 જાન્યુઆરીથી શરૂ થયું

સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીકરણ કરવાની મંજૂરી આપીને તેના રસીકરણ અભિયાનને વિસ્તારવાનું નક્કી કર્યું. 15-18 વર્ષની વયના લોકો માટે રસીકરણ અભિયાનનો આગળનો તબક્કો આ વર્ષે 3 જાન્યુઆરીએ શરૂ થયો હતો.

આ પણ વાંચો : લતા મંગેશકરને 2001માં મળ્યો ભારત રત્ન, જાણો કેવી રીતે થાય છે પસંદગી અને કયું છે દેશનું સર્વોચ્ચ સન્માન

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">