
ભારત અને પાકિસ્તાને ત્રણ દિવસથી ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે સીઝફાયરની જાહેરાત કરી છે. જોકે, થોડા કલાકો પછી, પાકિસ્તાન દ્વારા ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ભારતીય સેનાએ કહ્યું કે આ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કરારનું ઘોર ઉલ્લંઘન છે અને જો આવું થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાને ભારત પર અનેક હુમલાઓ કર્યા હતા આ તમામ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. ભારત ઉપર હુમલો કરવા માટે પાકિસ્તાનના એરપોર્ટ પરથી ઉડેલા હાઇ-ટેક ફાઇટર્સને ભારતે હવામાં જ ફુકી માર્યું હતું, જેનુ નામ હમણા જાહેર નહીં કરીએ, આ વાત છાની પણ રહેવાની નથી તમને તેની જાણ પણ થઈ જશે.
આતંકવાદનો નાશ કરવા માટે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર હેઠળ જે કામગીરી થઈ હતી તે યુદ્ધથી ઓછી નથી. હવે એ કહેવું મુશ્કેલ છે કે હવે પછી શું કરાશે. પણ એટલું જરુર કહીશ કે દેશહિતમાં ભારતીય સેના બધુ જ કરશે.
આતંકવાદનો નાશ કરવા માટે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, પહેલગામ આતંકી હુમલા બાદ, પાકિસ્તાન સ્થિત કુલ 21 ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાંથી પણ ફિલ્ટર કરીને 9 નક્કી કરાયા હતા. આ નવ એટલા માટે નક્કી કરાયા કે તેમાં આતંકવાદીઓની હાજરી હોવાના પુરાવાઓ મળ્યા હતા.
જો કે, પહેલગામ હુમલા બાદ ભારતે પ્રતિશોધ લેવાની ઉચ્ચારેલી પ્રતિજ્ઞા બાદ જ મોટાભાગના આતંકવાદીઓ તેમના કેમ્પ છોડીને ભાગી ગયા હતા. એટલુ જ નહીં કેમ્પમાં તાલિમ લેનારાઓ પણ કેમ્પ છોડીને ચાલ્યા હતા.
જો જરૂર પડશે તો જે 21 ટાર્ગેટ નક્કી કરેલા હતા. તેમાંથી જે 9 સિવાયના બાકી રહેલા કેમ્પને પણ તબાહ કરવામાં આવશે.
આતંકવાદનો નાશ કરવા માટે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરની કામગીરીમાં પાકિસ્તાનાન 35-40 સૈનિકોની સામે ભારતના પણ 5 જવાન શહીદ થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આતંકવાદનો નાશ કરવા માટે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ભારત પાકિસ્તાનમાં ક્યા સુધી હુમલો કરી શકે છે તેની ચેતવણી આપવા માટે જ લાહોર એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું ભારતીય સેનાએ જણાવ્યું હતું.
ઓપરેશન સિંદૂરની સફળ કામગીરી અંગે જણાવતા ભારતીય સૈન્યે પાકિસ્તાનને જાહેરમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, હવે પછી જો, ભારતમાં હુમલો કરાશે તો પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ અપાશે, તેમ ભારતીય સેનાએ જણાવ્યું છે.
એલઓસીના ટૂંકા નામે ઓળખાતા લાઈન ઓફ કંટ્રોલને પાર હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂરમાં પુલવામાં હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણાતો આતંકવાદીને ખતમ કરવામાં આવ્યો છે.
ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સૈન્યે ખાસ પ્રેસકોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર આતંકવાદીઓ અને આંતકના પપેટને ખતમ કરવા માટે હાથ ઘરાયું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ સૈન્ય ટકરાવમાં હાલ વિરામની સ્થિતિ પ્રવર્તે છે. ઓપરેશન સિંદૂર અને ત્યાર બાદ શરુ કરાયેલા જવાબી કાર્યવાહીને ગઈકાલ સાંજે 5 વાગે સ્થગિત કરવામાં આવી છે. જો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક સીઝફાયર કરવામાં આવ્યું છે. આ સીઝ ફાયરનો ભંગ થાય તો ત્વરીત જ જવાબી કાર્યવાહી હાથ ધરવા માટે COAS એ આર્મી કમાન્ડરોને સંપૂર્ણ સત્તા આપી છે.
OPERATION SINDOOR
Consequent to the ceasefire and airspace violations on night of 10-11 May 2025, #GeneralUpendraDwivedi, #COAS reviewed the security situation with the Army Commanders of the Western Borders.
The #COAS has granted full authority to the Army Commanders for… pic.twitter.com/kyWGwePqN0
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 11, 2025
ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે. આ ઓપરેશન આતંકવાદ સામે ભારતની મજબૂત ઇચ્છાશક્તિ અને તેની લશ્કરી શક્તિની ક્ષમતા અને સંકલ્પનું પ્રદર્શન છે. અમે બતાવ્યું છે કે જ્યારે પણ ભારત આતંકવાદ સામે કાર્યવાહી કરશે, ત્યારે સરહદ પારની જમીન પણ આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે સુરક્ષિત નહીં રહે.
आपरेशन सिंदूर सिर्फ़ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनीतिक, सामाजिक और सामरिक इच्छाशक्ति का प्रतीक है। यह ऑपरेशन आतंकवाद के ख़िलाफ़ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है। हमने दिखाया है कि भारत आतंकवाद के ख़िलाफ़ जब…
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 11, 2025
અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલને જામીન મળ્યા છે. હાઇકોર્ટે આરોપી તથ્ય પટેલના હંગામી જામીન કર્યા મંજૂર. હાઇકોર્ટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા. તથ્ય પટેલની સાથે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ રહેશે. તથ્ય પટેલની માતાની બીમારીનું કારણ આપીને જામીન માગ્યા હતા. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ તથ્ય પટેલ ના જામીન ફગાવ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને પહેલગામ આતંકવાદી હુમલા, ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામની જાહેરાતો પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની વિપક્ષની સર્વસંમતિથી વિનંતીને પુનરાવર્તિત કરી છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે બ્રહ્મોસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યુ કે ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે. આ ઓપરેશન આતંકવાદ સામે ભારતની મજબૂત ઇચ્છાશક્તિ અને તેની લશ્કરી શક્તિની ક્ષમતા અને સંકલ્પનું પ્રદર્શન છે. અમે બતાવ્યું છે કે જ્યારે પણ ભારત આતંકવાદ સામે કોઈ કાર્યવાહી કરશે, ત્યારે સરહદ પારની જમીન પણ આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે સુરક્ષિત રહેશે નહીં.
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદીને પત્ર લખ્યો
Congress President and Leader of Opposition in Rajya Sabha Mallikarjun kharge writes to PM Modi, reiterating the Opposition’s unanimous request for a special session of Parliament to discuss the Pahalgam terror attack, Operation Sindoor and the ceasefire announcements—first by… pic.twitter.com/kVFkxmevhe
— ANI (@ANI) May 11, 2025
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ ભારતીય વાયુસેના (IAF) એ મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.
The Indian Air Force (IAF) has successfully executed its assigned tasks in Operation Sindoor, with precision and professionalism. Operations were conducted in a deliberate and discreet manner, aligned with National Objectives. Since the Operations are still ongoing, a detailed…
— Tv9 Gujarati (@tv9gujarati) May 11, 2025
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે કાશ્મીર, સિંધુ જળ સંધિ અને આતંકવાદ ભારત સાથેના મુખ્ય મુદ્દાઓ છે અને પડોશી દેશ સાથે ભવિષ્યની કોઈપણ વાતચીતમાં આ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
ઘણા સમય પછી, શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. આ દરમિયાન, સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ પીએમ આવાસ પહોંચી ગયા છે, જ્યાં તેઓ પીએમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu
— ANI (@ANI) May 11, 2025
ડીસી અમૃતસરએ કહ્યું છે કે અમૃતસરમાં પરિસ્થિતિ સામાન્ય છે. લોકો પોતાના રોજિંદા કામ કરી રહ્યા છે. રવિવારે ઓફિસો ખુલતી નથી, પરંતુ બજારો ખુલ્લા રહે છે અને જનજીવન સામાન્ય રહે છે. સહકાર બદલ લોકોનો આભાર.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવાર, 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરાર અંગે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે કહ્યું કે મને ખુશી છે કે બંને દેશોની પરસ્પર સંમતિથી એક કરાર થયો છે. આ સાથે તેમણે લખ્યું કે તેઓ એ વાતથી પણ ખુશ છે કે અમેરિકાએ આ ઐતિહાસિક નિર્ણયમાં મદદ કરી છે. આ પોસ્ટમાં ટ્રમ્પે હવે કાશ્મીર અંગે મોટો દાવો કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે બંને દેશોની “બોલ્ડ અને નિર્ણાયક” ભૂમિકાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, ટ્રમ્પે આ પગલાને ઐતિહાસિક અને માનવતાવાદી ગણાવ્યું, અને અમેરિકાની ભૂમિકાને “નિર્ણાયક સાથી” તરીકે રજૂ કરી.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, “સીમા પર જે તણાવ જોવા મળી રહ્યો છે. ભારતીય દળોએ આતંકવાદનો અંત લાવવાની તેમની પ્રતિબદ્ધતા સાથે સમાધાન કર્યા વિના પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. સેનાએ દેશના લોકોની અપેક્ષાઓ અનુસાર અદ્ભુત બહાદુરી અને હિંમત દર્શાવી છે અને અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીએ સમગ્ર વિશ્વમાં ભારતની લશ્કરી ક્ષમતાને એક નવી ઓળખ આપી છે.”
અમૃતસર ડીસીએ આજે સવારે કહ્યું કે આજે પણ એક નાનું સાયરન વગાડવામાં આવશે. આનો અર્થ એ થશે કે આપણે આપણી સામાન્ય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકીશું. તમારા સહકાર બદલ આભાર.”
ભારતે રવિવારે વહેલી સવારે ચેનાબ પર રિયાસીમાં બનેલા સલાલ ડેમના કેટલાક દરવાજા ખોલી નાખ્યા. જેના કારણે ચિનાબ નદીનું પાણીનું સ્તર વધી ગયું છે અને પાણી ઝડપથી પાકિસ્તાન તરફ વહી રહ્યું છે.
#WATCH | Jammu and Kashmir | Latest visuals from Reasi’s Salal Dam, built on the Chenab River; several gates of the dam are seen open.
(Visuals shot at 6:30 am) pic.twitter.com/48taKYUYCw
— ANI (@ANI) May 11, 2025
પંજાબના ફિરોઝપુર અને પઠાણકોટમાં પરિસ્થિતિ સામાન્ય લાગે છે. રાત્રિ દરમિયાન કોઈ ડ્રોન, ગોળીબારનો કોઈ અહેવાલ નથી.
#WATCH | Punjab | Situation seems normal in Firozpur. No drones, firing or shelling was reported during the night. pic.twitter.com/0trmReczGV
— ANI (@ANI) May 11, 2025
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી જેમાં બંને પક્ષોએ પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ જાળવવામાં સહયોગની ભૂમિકા પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન, NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે, ‘ યુદ્ધ ભારતનો વિકલ્પ નથી અને તે કોઈપણ પક્ષના હિતમાં નથી.’
#WATCH | J&K | Situation seems normal in Jammu city. No drones, firing or shelling was reported during the night. pic.twitter.com/Hu4JSo1dQv
— ANI (@ANI) May 11, 2025
હાલમાં જમ્મુ શહેરમાં પરિસ્થિતિ સામાન્ય જણાય છે. રાત્રિ દરમિયાન ડ્રોન, ગોળીબારનો કોઈ અહેવાલ નથી.
Delhi Airport operations issues travel advisory. pic.twitter.com/jcbrqmHyh7
— ANI (@ANI) May 10, 2025
જે દિવસે પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયું, તે જ દિવસે તેણે તેનું ઉલ્લંઘન કર્યું અને ભારતના અનેક શહેરો પર ડ્રોન હુમલા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. શનિવારે, પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર એરબેઝ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પર રહેલા રાજસ્થાનના સુરેન્દ્ર સિંહ મોગાને ડ્રોનના ટુકડાથી અથડાતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં, તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું અને તેઓ શહીદ થયા.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>STORY | Soldier killed guarding air base in J-K's Udhampur<br><br>READ: <a href=”https://t.co/3KqDuCTDpe”>https://t.co/3KqDuCTDpe</a> <a href=”https://t.co/sLsgmN2677″>pic.twitter.com/sLsgmN2677</a></p>— Press Trust of India (@PTI_News) <a href=”https://twitter.com/PTI_News/status/1921283291660890526?ref_src=twsrc%5Etfw”>May 10, 2025</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
જમ્મુ-કાશ્મીરના નાગરોટામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની શક્યતાને કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સેનાના ગણવેશમાં છુપાઈને આ વિસ્તારમાં પ્રવેશી શકે છે. સેના, પોલીસ અને સીઆરપીએફએ સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. નાગોરોટા ભૂતકાળમાં પણ હુમલાઓનો ભોગ બની ચૂક્યું છે અને આ વખતે પણ મોટા હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો છે. આજે શનિવારે, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે તેમના સત્તાવાર નિવાસસ્થાને એક કટોકટીકાળની બેઠક બોલાવી હતી. જ્યાં શેખ હસીનાની પાર્ટી પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા થઈ હતી, અને ત્યારબાદ સરકારે આ નિર્ણય લીધો.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીને મળ્યા બાદ, પાક વડાપ્રધાન શાહબાજ શરીફ પાકિસ્તાનની જનતાને જાહેર સંબોધન કરી શકે છે.
હુમલાને રોકવા પાકિસ્તાનને જણાવાયુ છે. છેલ્લા કેટલાક સમયમાં સીઝફાયરનો ભંગ કર્યો છે. આ ઘટનાની ગંભીર નોંધ લઈને સ્થિતિને પહોચી વળવાના આદેશ આપ્યા છે. તેવુ વિદેશ સચિવ મિસરીએ જણાવ્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે ચીનનું નિવેદન બહાર આવ્યું છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યી કહે છે કે, અમે પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવવામાં તેની સાથે ઉભા રહીશું.
સેનાએ કહ્યું કે LoC પર હવે કોઈ ગોળીબાર નહીં અને શ્રીનગરમાં પણ કોઈ વિસ્ફોટ થયો નથી, અને કોઈ બ્લેકઆઉટ થયું નથી. ડ્રોન સંબંધિત માહિતી પછીથી આપવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના સીમાવર્તી 24 ગામોમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બ્લેકઆઉટની સૂચના આપવામાં આવેલ છે. તમામ નાગરીકોને અફવાઓથી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા જિલ્લા કલેકટકરે અનુરોધ કર્યો છે.
પાકિસ્તાને યુદ્ધ વિરામની જાહેરાતનો ભંગ કરીને ભારતમાં કાશ્મીરથી ગુજરાત સુધીના વિસ્તારમાં હુમલો કર્યાની વિગતો સામે આવી રહી છે. જેને ધ્યાને રાખીને કચ્છ જિલ્લા કલેકટરે, સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટની જાહેરાત કરી છે.
તાત્કાલિક અસરથી સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવે છે તમામ નાગરિકોને એનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે.@CMOGuj @InfoGujarat
— Collector & DM, Kachchh (@collectorkut) May 10, 2025
પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યાના 4 કલાકમાં જ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ભારત સરકારે BSFને યોગ્ય જવાબ આપવા સૂચના આપી છે. પાકિસ્તાને પંજાબના પઠાણકોટમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. થોડા સમય પહેલા પઠાણકોટની આસપાસ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા, ત્યારબાદ પઠાણકોટ અને ગુરદાસપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. જોકે, વિસ્ફોટનો કોઈ અવાજ સંભળાયો ન હતો.
યુદ્ધવિરામની જાહેરાત બાદ પાકિસ્તાને ફરી એકવાર પોતાનું નાપાક કૃત્ય કર્યું છે. પાકિસ્તાને ફરી એકવાર સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગોળીબાર શરૂ કરી દીધો છે. આ ઉપરાંત શ્રીનગર, બારામુલ્લા, ઉધમપુરમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો છે. શ્રીનગરમાં પણ સતત વિસ્ફોટ સંભળાઈ રહ્યા છે. બારામુરામાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. શ્રીનગર, બારામુલ્લા, ઉધમપુરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, ફિરોઝપુર, જેસલમેર, બાડમેર સહિત ઘણી જગ્યાએ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. ભારતીય સેના વળતો યોગ્ય જવાબ આપી રહી છે.
પાકિસ્તાને સિઝ ફાયરનો ભંગ કરીને જમ્મુ અને કાશ્મીરના અનેક ક્ષેત્રોમાં ડ્રોન હુમલો કર્યો છે. જેનો વળતો જવાબ ભારતીય સૈન્યે પણ આપ્યો છે.
પાકિસ્તાને સિઝ ફાયર જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ તેનો ભંગ કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં ડ્રોન હુમલો કર્યો હતો. સાથોસાથ એલઓસી પર ભારે માત્રામાં ગોળીબાર કર્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયું છે. આ દરમિયાન, ત્રણેય સેનાના વડાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. આ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તેમને મળવા માટે વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
પાકિસ્તાન ઉપર ભારતે કરેલા વળતા હુમલામાં આજે પાકિસ્તાન સ્થિત અનેક એરબેઝને ભારે નુકસાન પહોચાડવામાં આવ્યું હોવાનું ભારતીય સૈન્યે જણાવ્યું છે.અમે જવાબદારી સાથે હુમલો અને યુદ્ધ કર્યું છે. પાકિસ્તાનના એક પણ ધાર્મિક સ્થળ ઉપર ભારતીય સૈન્યે હુમલો કર્યો નથી. પાકિસ્તાને પ્રોપેગેન્ડા ચલાવી રહ્યું છે. ભારતને કોઈ પ્રકારે નુકસાન થયું નથી.
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાન સામેના યુદ્ધ વિરામ અંગે કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી રોકવા માટે સહમત થયા છે. સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું કે, આતંકવાદ સામે ભારતનું વલણ મક્કમ છે અને આતંકવાદ સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
India and Pakistan have today worked out an understanding on stoppage of firing and military action.
India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms and manifestations. It will continue to do so.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 10, 2025
ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા જતા તણાવ વચ્ચે, ઉત્તર ભારત, ખાસ કરીને પંજાબ અને જમ્મુ-કાશ્મીર જતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રદ કરાયેલી ટ્રેનોમાં CSMT-અમૃતસર એક્સપ્રેસ, LTT-જમ્મુ તાવી એક્સપ્રેસ, CSMT-પઠાણકોટ મેઇલ, LTT-શ્રીનગર સ્પેશિયલ સર્વિસ, CSMT-જમ્મુ સુપરફાસ્ટનો સમાવેશ થાય છે, જ્યારે જે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં પંજાબ મેઇલ, જમ્મુ મેઇલ, શ્રી શક્તિ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ ગંભીર સંઘર્ષ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ નિવેદન સામે આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે.
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન તણાવભરી સ્થિતિમાં, મુંબઈમાં કોઈએ ફટાકડા ના ફોડવા તેવો નિર્ણય લેવાયો છે. ગુજરાતે આ નિર્ણયના એક દિવસ પહેલા જ ફટાકડા નહીં ફોડવાની સાથેસાથે ડ્રોન પણ નહીં ઉડાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
‘ઓપરેશન સિંદૂર’ પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધ્યો છે. આ ઓપરેશન પછી, પાકિસ્તાને ભારત પર એક પછી એક હુમલા કર્યા છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાને દેશમાં 26 સ્થળોએ હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. હવે ભારત સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, ભારતે આતંકવાદ સામે કડક વલણ બતાવવાનો નિર્ણય લીધો છે. હવે પછી ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી કાર્યવાહીને ભારત સામે યુદ્ધ કાર્યવાહી ગણવામાં આવશે. અને જવાબ પણ તે જ રીતે આપવામાં આવશે.
પાકિસ્તાન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને, પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ આજે ચંદીગઢમાં પંજાબ રાજભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 5 વાગ્યે બોલાવવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીરના નૌશેરા વિસ્તારના એક ગામમાંથી તુર્કી બનાવટનું કામિકાઝ ડ્રોન મળી આવ્યું છે. પાકિસ્તાન દેશના ઘણા નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.
હૈદરાબાદ પોલીસે લશ્કરી છાવણી વિસ્તારોની નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ કમિશનર સીવી આનંદે જાહેર જનતાને અપીલ કરી છે કે તેઓ કોઈપણ જાહેર સ્થળ, મેળાવડા કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવાનું ટાળે કારણ કે તેનાથી સુરક્ષા ચિંતાઓ વધી શકે છે અને ગેરસમજ ઊભી થઈ શકે છે. બધા રહેવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જાહેર સહયોગ જરૂરી છે.
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી અને તેલંગાણા ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડીએ હૈદરાબાદમાં ભારતીય સશસ્ત્ર દળો માટે પ્રાર્થના કરી.
#WATCH | Hyderabad | Union Minister for Coal and Mines and Telangana BJP President G Kishan Reddy offers prayers for Indian Armed Forces pic.twitter.com/Mwh3JAec13
— ANI (@ANI) May 10, 2025
(Credit Source: @ANI)
ભારતના હુમલામાં મસૂદ અઝહરના સાળા અને બહેન પણ માર્યા ગયા હતા. પાકિસ્તાનથી મળેલા અહેવાલ મુજબ, ઓપરેશન સિંદૂર સ્ટ્રાઈકમાં 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા. આ બધા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સીધા જોડાયેલા હતા.
પાકિસ્તાન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ આજે ચંદીગઢમાં પંજાબ રાજભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સાંજે 5 વાગ્યે બેઠક બોલાવવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, 14 મે સુધી બધી હજ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સેના પ્રમુખ, વાયુસેના પ્રમુખ અને નૌકાદળના વડા હાજર છે. તે જ સમયે, સંરક્ષણ પ્રધાન પણ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે.
પાકિસ્તાન ડ્રોન દ્વારા સતત મિસાઇલો છોડી રહ્યું છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે ADS એ શ્રીનગર એરપોર્ટ નજીક ડ્રોનને તોડી પાડ્યું હતું.
કચ્છ-ભૂજ નજીક વધુ નાપાક હરકત જોવા મળી. ભુજના લોરિયા નજીક ડ્રોન દેખાયું. ભારતીય સેનાએ ડ્રોનને તોડી પાડ્યું છે. નાગોર નજીક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હોવાની માહિતી છે. ફરી ભુજ શહેરમા સાયરન વાગ્યા છે. સાવચેતીના ભાગરુપે આ સાયરન વગાડવામાં આવી રહ્યા છે.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, ઉત્તરાખંડમાં સુરક્ષા કારણોસર કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવા આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આજે સાંજે 5 વાગ્યે દિલ્હી ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય પક્ષની બેઠક છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી. સચિવ રુબિયોએ ભાર મૂક્યો હતો કે બંને પક્ષોએ તણાવ ઘટાડવા અને ગેરસમજ ટાળવા માટે સીધી વાતચીત ફરીથી સ્થાપિત કરવાના રસ્તાઓ ઓળખવાની જરૂર છે. ભવિષ્યમાં વિવાદો ટાળવા માટે તેમણે ચર્ચા પર ભાર મૂક્યો છે. આ માહિતી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે આપી છે.
ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે પાકિસ્તાન સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી રહ્યું છે. S 400, બ્રહ્મોસના ભંડાર સંપૂર્ણપણે સલામત છે, પાકિસ્તાનનો દાવો ખોટો અને ખોટો પ્રચાર છે. પાકિસ્તાન આગળના વિસ્તારોમાં સૈનિકો તૈનાત કરી રહ્યું છે.
ભારતીય સેનાએ કાયનેટિક અને નોન કાયનેટિક માધ્યમોનો ઉપયોગ કરીને ઘણા ડ્રોનને તોડી પાડ્યા. પાકિસ્તાની સેનાએ ભારે કેલિબર હથિયારોનો ઉપયોગ કરીને ગોળીબાર પણ કર્યો, જેના પરિણામે કેટલાક ભારતીય સૈનિકોના મોત અને ઇજા થઈ.
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી ભાગ પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. ફાઇટર વિમાનોનો ઉપયોગ કર્યો.
પાકિસ્તાને નાગરિક વિમાનની આડમાં હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો: કર્નલ સોફિયા કુરેશી
રાજસ્થાનના જેસલમેર અને શ્રીગંગાનગરમાં તમામ બજારો બંધ કરી દેવામાં આવ્યા છે. જેસલમેર અને શ્રીગંગાનગરના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલાની શક્યતા છે. જિલ્લા વહીવટીતંત્રે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષા કારણોસર સમગ્ર શહેરને લોકડાઉન કરવામાં આવ્યું છે.
ઓડિશા સરકારે IPS અધિકારીઓની રજા રદ કરી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રજા પર ગયેલા અધિકારીઓને તાત્કાલિક મુખ્યાલય પરત ફરવા સૂચના આપવામાં આવી છે.
અખનૂર સેક્ટરની સામે પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લામાં લુની ખાતે આવેલા આતંકવાદી લોન્ચ પેડને બીએસએફ દ્વારા સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો.
#WATCH | The terrorist launch pad at Looni, district Sialkot, Pakistan, opposite Akhnoor area, was completely destroyed by the BSF.
(Source – BSF) pic.twitter.com/TEuS7ZwgAm
— ANI (@ANI) May 10, 2025
(Credit Source: @ANI)
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આજે દેશભરમાં વૈજ્ઞાનિક અને તકનીકી સંસ્થાઓની સુરક્ષાની સમીક્ષા સિનિયર અધિકારીઓ અને તકનીકી સંસ્થાઓના વડાઓ સાથે કરશે.
ભારતીય સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સતત ડ્રોન હુમલા અને અન્ય હથિયારોથી આપણી પશ્ચિમી સરહદો પર હુમલો કરી રહ્યું છે. આવી જ એક ઘટનામાં આજે સવારે લગભગ 5 વાગ્યે, અમૃતસરના ખાસા કેન્ટ ઉપર ઘણા સશસ્ત્ર દુશ્મન ડ્રોન ઉડતા જોવા મળ્યા. અમારા હવાઈ સંરક્ષણ એકમોએ તરત જ દુશ્મનના ડ્રોન પર હુમલો કરીને તેનો નાશ કર્યો.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તમામ પેટ્રોલ અને ડીઝલ ફિલિંગ સ્ટેશનો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ માટે તાત્કાલિક આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
AIIMS ભુવનેશ્વરે ઉભરતા સંજોગોને ધ્યાનમાં રાખીને રજાઓ અને સ્ટેશન રજાઓ સહિત તમામ પ્રકારની રજાઓ રદ કરવાની જાહેરાત કરી છે.
ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે નેશનલ કમાન્ડ ઓથોરિટી (NCA) ની બેઠક બોલાવી છે.
ભારતીય સેનાએ જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે, જ્યાંથી ટ્યુબ લોન્ચ ડ્રોન પણ લોન્ચ કરવામાં આવી રહ્યા હતા. સંરક્ષણ સૂત્રોના હવાલાથી આ માહિતી પ્રકાશમાં આવી છે.
#WATCH | Pakistani Posts and Terrorist Launch Pads from where Tube Launched Drones were also being launched, have been destroyed by the Indian Army positioned near Jammu: Defence Sources
(Source – Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw
— ANI (@ANI) May 10, 2025
(Credit Source: @ANI))
કચ્છ, ગુજરાત: પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ સતત ઉશ્કેરણીજનક હરકતો કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારતીય સરહદની નજીક પાકિસ્તાની ડ્રોન દાખલ થયા હોવાની માહિતી મળી છે. ભારતીય સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને ડ્રોનને હવામાં જ તોડી નાંખ્યા હતા.
કચ્છ-જિલ્લા કલેક્ટર દ્રારા લોકોને અપીલ કરાઇ. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરાઇ અપીલ. અફવાઓ પર ધ્યાન ન આપવા પણ અપીલ કરાઇ.
કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાનનું નાપાક કૃત્ય સામે આ્વ્યુ છે. સરહદી વિસ્તારોના ગામડાઓ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. અબડાસા વિસ્તારના નાની ધુફી ગામમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ડ્રોનને હવામાં મારવાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ભારતીય સેના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. ડ્રોનનો કાટમાળ શોધવાના પ્રયાસો ચાલુ છે.
ભારતે પાકિસ્તાનના 2થી 3 વિમાનને તોડી પાડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઇ નથી. IAFએ રહીમયાર એરબેઝ સ્ટ્રીય તબાહ કરી નાખી.
દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર, ભૂતપૂર્વ ભારતીય રાજદૂત વિદ્યા ભૂષણ સોનીએ કહ્યું કે, એ દુઃખદ છે કે પાકિસ્તાને ભૂતકાળમાંથી કોઈ પાઠ શીખ્યો નથી. પાકિસ્તાન એક નિષ્ફળ રાજ્ય હોવાથી પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નથી, જેને તમામ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને વિશ્વ સંસ્થાઓ દાયકાઓથી સ્વીકારે છે.
તો, જ્યારે તેઓ તેના માટે તૈયાર ન હોય ત્યારે તેઓ કેવી પ્રતિક્રિયા આપે છે? સરકારનો કયો ભાગ તૈયાર છે? નાગરિક સરકારનું નિયંત્રણ નથી. આતંકવાદી દળોનું વર્ચસ્વ છે. આર્મી ચીફ એવા નિવેદનો આપે છે જે ભાગ્યે જ વ્યાવસાયિક હોય છે અને તેમને જમીની પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી.
પાકિસ્તાન આટલું મૂર્ખામીભર્યું પગલું કેવી રીતે ભરી શકે? પહેલગામ ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે જ્યાં હુમલો થયો હતો. આ અણધાર્યું હતું. તેમને સંદેશ મોકલવાની જરૂર છે કારણ કે તેઓ આવું કરતા રહે છે. આપણે એક જવાબદાર રાષ્ટ્ર છીએ. અમે ખૂબ જ જવાબદારીપૂર્વક પ્રતિક્રિયા આપી છે અને કોઈ પણ પગલું ભર્યું નથી જેમાં ભૂલ મળી શકે. તેથી એકવાર તેઓ પહેલ કરી લે, પછી તેમને કહેવું જરૂરી છે કે હવે બહુ થયું. અમે હવે આ સ્વીકારવાના નથી. તેથી પ્રતિભાવ ખૂબ જ વિચારશીલ અને સચોટ રહ્યો છે.
#WATCH | Delhi: On India Pakistan escalation, Former Indian Ambassador Vidya Bhushan Soni says, “It’s sad that Pakistan has not learnt lessons from the past. Pakistan is not in a position to respond at all because it’s a failed state that has been acknowledged for decades by all… pic.twitter.com/RhsqD7q89c
— ANI (@ANI) May 9, 2025
(Credit Source: @ANI)
જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદી દેવામાં આવ્યો છે. સાયરનના અવાજો સંભળાય છે.
સવારે 5:45 વાગ્યે સાઉથ બ્લોક લૉન પાસે સાઉથ બ્લોક ખાતે મીડિયા બ્રીફિંગ.
નોકરી માટે જમીનના મુદ્દા પર, આરજેડી સાંસદ મીસા ભારતીએ કહ્યું, અમારા પરિવાર માટે કોઈ મુદ્દો નવો નથી. બિહારમાં જ્યારે પણ ચૂંટણી હોય છે, ત્યારે આવી ઘટનાઓ બનતી રહે છે. મારા પિતા સારવાર લીધા પછી ગઈકાલે જ પટના પહોંચ્યા. બીજી તરફ, રાષ્ટ્રપતિએ કેસ ચલાવવાની મંજૂરી આપી છે. ઘણી એજન્સીઓએ અમારી તપાસ કરી છે, પરંતુ અમે ખોટા નથી. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને હું તેના પર વધુ ટિપ્પણી કરીશ નહીં. ટૂંક સમયમાં બધું સ્પષ્ટ થઈ જશે.
જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. વિસ્ફોટો અને સાયરનના અવાજો સંભળાય છે.
#WATCH | Jammu & Kashmir | A complete blackout has been enforced in Akhnoor. Explosions and sirens can be heard.
(Visuals deferred by an unspecified time) pic.twitter.com/aWtA1C5Ob3
— ANI (@ANI) May 9, 2025
(Credit Source: @ANI)
પંજાબના જાલંધરમાં કેટલાક ડ્રોન જોવા મળ્યાના અહેવાલો બાદ અમે થોડા સમય માટે બ્લેકઆઉટ લાગુ કર્યું છે. સુરક્ષા દળો તપાસ કરી રહ્યા છે. કૃપા કરીને શાંતિ રાખો અને બ્લેકઆઉટ પ્રોટોકોલનું પાલન કરો: ડીસી, જલંધર
પાકિસ્તાનના રાવલપિંડી નજીક એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા છે. રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પાસે પણ એક શક્તિશાળી વિસ્ફોટ થયો છે. આ દરમિયાન, ઇસ્લામાબાદના રહેવાસીઓએ સતત ત્રણ ધડાકા સાંભળ્યા. પોલીસ અને બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
પાકિસ્તાન એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્તાને ડ્રોનથી ભારતના ઘણા ભાગો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. તે જ સમયે, ભારતે પણ પીઓકેમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી છે.
દિલ્હી એરપોર્ટની કામગીરી હાલમાં સામાન્ય છે. જોકે, બદલાતી એરસ્પેસ પરિસ્થિતિઓ અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના આદેશો અનુસાર વધેલા સુરક્ષા પગલાંને કારણે, કેટલાક ફ્લાઇટ શેડ્યૂલ પર અસર પડી શકે છે અને સુરક્ષા ચેકપોઇન્ટ પ્રક્રિયા સમય લાંબો થઈ શકે છે.
Delhi Airport travel advisory | Delhi Airport operations are normal at present. However, due to changing airspace conditions and increased security measures as per orders from the Bureau of Civil Aviation Security, some flight schedules might be impacted and security checkpoint… pic.twitter.com/RE4755DWfw
— ANI (@ANI) May 9, 2025
Published On - 9:42 pm, Thu, 8 May 25