ઓમિક્રોન વેરિઅન્ટના જોખમવાળા દેશોમાંથી 3,476 મુસાફરો આવ્યા ભારત, કોરોના ટેસ્ટમાં મળ્યા 6 લોકો સંક્રમિત

Omicron: જે દેશોમાંથી ઓમિક્રોન મળી આવ્યું છે ત્યાંથી આવતા હજારો મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર 6 કલાક રાહ જોવી પડી શકે છે. ઓમિક્રોનના ખતરાને જોતા કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

ઓમિક્રોન વેરિઅન્ટના જોખમવાળા દેશોમાંથી 3,476 મુસાફરો આવ્યા ભારત, કોરોના ટેસ્ટમાં મળ્યા 6 લોકો સંક્રમિત
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 11:48 PM

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાઈરસ (corona virus)ના 8,954 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે આ મહામારીને (Corona epidemic) કારણે 267 લોકોના મોત થયા છે. પરંતુ દક્ષિણ આફ્રિકામાં (South Africa) જોવા મળેલા કોરોનાના નવા વેરીઅન્ટ ઓમીક્રોને (Omicron)  ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. ઓમીક્રોન (Omicron)ના કેસો અન્ય દેશોમાં સતત જોવા મળી રહ્યા છે.

નિષ્ણાતો દાવો કરે છે કે ભારતમાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) કરતાં આ વેરીઅન્ટ વધુ ચેપી છે. એક પછી એક નવા દેશો પકડમાં આવી રહ્યા છે અને આ સાથે ગભરાયેલા દેશોએ ઓમિક્રોનથી બચવા તેમજ લડવા માટે નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભારતમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે. એરપોર્ટથી બસ સ્ટેન્ડ સુધી તપાસ વધારી દેવામાં આવી છે. ઘણા રાજ્યોએ સ્વતંત્ર રીતે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. આ વેરીઅન્ટને ધ્યાને લઈને હવે મહારાષ્ટ્રે પણ કોરોના નિયમોને કડક કરીને જોખમી દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઈન ફરજિયાત બનાવ્યું છે.

આ સિવાય અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઓમિક્રોન જે દેશોમાં મળી આવ્યો છે ત્યાંથી આવતા હજારો મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર 6 કલાક રાહ જોવી પડી શકે છે.

ઓમિક્રોન વેરિઅન્ટનું જોખમ ધરાવતા દેશોમાંથી છ લોકોને કોરોનાએ સંક્રમિત કર્યા 

ભારત સરકારે જણાવ્યું છે કે લખનૌ સિવાય દેશના વિવિધ એરપોર્ટ પર આજે મધ્યરાત્રિથી સાંજના 4 વાગ્યા સુધી જોખમ ધરાવતા દેશોમાંથી કુલ 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ આવી છે. વિમાનમાં 3,476 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર 6 મુસાફરો જ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સરકારે કહ્યું કે પોઝિટિવ મુસાફરોના સેમ્પલ સંપૂર્ણ જીનોમિક સિક્વન્સિંગ માટે INSACOG લેબમાં મોકલવામાં આવ્યા છે.

કોરોનાનું નવું સ્વરૂપ 23 દેશોમાં જોવા મળ્યું

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ દેખાયા પછી આના પર સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત થયું છે.  છમાંથી પાંચ WHO પ્રદેશોના ઓછામાં ઓછા 23 દેશોએ હવે ઓમિક્રોનના કેસ નોંધાયાની જાણકારી આપી છે અને અમને ચિંતા છે કે આ સંખ્યા હજુ વધશે.

આ પણ વાંચો :  Mumbai Rain: મુંબઈમાં શરૂ થયો વરસાદ, IMDએ જાહેર કર્યું યલો એલર્ટ, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">