ભારત-ચીન વચ્ચે સકારાત્મક વાતચીત, LAC પર તણાવ ઓછો કરવા પર બંને દેશ સહમત
લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય અને ચીની સેનાની વચ્ચે ચાલી રહેલા તણાવને ખત્મ કરવા માટે શનિવારે બંને દેશોની વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. આ બેઠકને લઈ હવે વિદેશ મંત્રાલયે નિવેદન આપતાં કહ્યું કે 6 જૂને ભારતીય સેનાના કમાન્ડર અને ચીની કમાન્ડર વચ્ચે બેઠક સકારાત્મક માહોલમાં થઈ. Web Stories View more આજનું રાશિફળ […]
લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય અને ચીની સેનાની વચ્ચે ચાલી રહેલા તણાવને ખત્મ કરવા માટે શનિવારે બંને દેશોની વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. આ બેઠકને લઈ હવે વિદેશ મંત્રાલયે નિવેદન આપતાં કહ્યું કે 6 જૂને ભારતીય સેનાના કમાન્ડર અને ચીની કમાન્ડર વચ્ચે બેઠક સકારાત્મક માહોલમાં થઈ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વિદેશ મંત્રાલયે જાણકારી આપતા કહ્યું કે ભારત અને ચીને સરહદી વિસ્તારમાં સ્થિતી જાળવી રાખવા માટે રાજદ્વારી અને સૈન્ય ચેનલોના માધ્યમથી સંદેશાવ્યવહાર જાળવી રાખ્યો છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે બંને પક્ષ વિભિન્ન દ્વિપક્ષીય કરાર મુજબ સરહદી ક્ષેત્રોમાં શાંતિ જાળવી રાખવા માટે સહમત થયા અને બંને દેશોની વચ્ચે કરારને ધ્યાનમાં રાખીને દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર વિકાસ માટે ભારત-ચીન સરહદી વિસ્તારમાં શાંતિ આવશ્યક છે.
બંને પક્ષો તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે આ વર્ષે બંને દેશોની વચ્ચે રાજદ્વારી સંબંધ સ્થાપનાના 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તેથી સંબંધોને આગળ લઈ જવા માટે વિકાસમાં યોગદાન આપવું પડશે. બંને દેશ ટેન્શનને ખત્મ કરવા અને સરહદી વિસ્તારમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે સૈન્ય અને રાજદ્વારી વાતચીત ચાલુ રાખશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]