AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Border Dispute: સરહદ વિસ્તારોમાં શાંતિ માટે દ્વિપક્ષીય સંબંધો સામાન્ય હોવા જરૂરી, ચીનના વિદેશ પ્રધાન વાંગ સાથેની વાતચીતમાં ભારતે રજૂઆત કરી

જયશંકરે કહ્યું કે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે લગભગ ત્રણ કલાક સુધી વાસ્તવિક એજન્ડા પર ખુલ્લેઆમ સ્પષ્ટ અને વ્યાપક રીતે ચર્ચા થઈ. અમે અમારા દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી જે એપ્રિલ 2020 થી ચીનની કાર્યવાહીથી પ્રભાવિત છે.

Border Dispute: સરહદ વિસ્તારોમાં શાંતિ માટે દ્વિપક્ષીય સંબંધો સામાન્ય હોવા જરૂરી, ચીનના વિદેશ પ્રધાન વાંગ સાથેની વાતચીતમાં ભારતે રજૂઆત કરી
Chinese Foreign Minister Wang Yi and Indian Foreign Minister S. Jaishankar
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 11:56 PM
Share

ભારતે (India) શુક્રવારે ચીનને (China) સ્પષ્ટ કહ્યું કે, પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના બાકી રહેલા બિંદુઓથી પીછેહઠ કરવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવી જોઈએ. સાથે જ એ વાત પર પણ ભાર મૂક્યો કે જો સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ ‘અસામાન્ય’ હોય તો દ્વિપક્ષીય સંબંધો ‘સામાન્ય’ ન હોઈ શકે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે લગભગ ત્રણ કલાકની ‘ખુલ્લી અને સ્પષ્ટ’ વાતચીત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સામાન્ય સંબંધોની પુનઃસ્થાપના માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ-શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે.

ભારતની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે લગભગ ત્રણ કલાક લાંબી ચર્ચા બાદ પત્રકારો સાથે વાત કરતા જયશંકરે કહ્યું, જો આપણે બંને આપણા સંબંધોને સુધારવા માટે પ્રતિબદ્ધ છીએ, તો આ પ્રતિબદ્ધતાની સંપૂર્ણ અભિવ્યક્તિ પાછળ હટવાની પ્રક્રિયા વિશે ચાલી રહેલા સંવાદમાં પ્રતિબિંબિત થવી જોઈએ. તેમણે કહ્યું કે પૂર્વી લદ્દાખને લઈને ભારત અને ચીન વચ્ચેની વર્તમાન સ્થિતિ પર કામ ચાલી રહ્યું છે. જો કે તેની ઝડપ ઇચ્છિત સ્તર કરતા ધીમી છે.

શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાની જરૂર છે

તેમણે કહ્યું કે સરહદ પર બંને બાજુથી સૈનિકોની ભારે તૈનાતીને ધ્યાનમાં રાખીને ભારત અને ચીન વચ્ચેના સંબંધો “સામાન્ય” નથી અને સામાન્ય સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાની જરૂર પડશે. વાંગ ગુરુવારે મુલાકાતે કાબુલથી દિલ્હી પહોંચ્યા હતા. પૂર્વી લદ્દાખના ગતિરોધ પછી લગભગ બે વર્ષમાં ચીનના કોઈ નેતાની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.

દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચા

જયશંકરે કહ્યું કે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે લગભગ ત્રણ કલાક સુધી વાસ્તવિક એજન્ડા પર ખુલ્લેઆમ સ્પષ્ટ અને વ્યાપક રીતે ચર્ચા થઈ. અમે અમારા દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી જે એપ્રિલ 2020 થી ચીનની કાર્યવાહીથી પ્રભાવિત છે, તેમણે કહ્યું. વિદેશ મંત્રીએ કહ્યું, અમે ચીનના વિદેશ મંત્રીને દેશની ભાવના જણાવી છે કે સામાન્ય સંબંધો માટે એપ્રિલ 2020 પહેલાની સ્થિતિ પુનઃસ્થાપિત કરવી જરૂરી છે.

ચીન સામાન્ય સ્થિતિ ઈચ્છે છે

એક પ્રશ્નના જવાબમાં જયશંકરે સ્થાપિત નિયમો અને કરારોથી વિપરીત સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકોની હાજરીનો ઉલ્લેખ કર્યો. જયશંકરે કહ્યું, જો તમે પૂછશો કે સ્થિતિ સામાન્ય છે કે નહીં, તો મારો જવાબ હશે ના.. તે સામાન્ય નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી આટલા મોટા પાયા પર સરહદ પર તૈનાતી રહેશે ત્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય નહીં થાય.

તેમણે કહ્યું કે, વિદેશ મંત્રી વાંગે (સંબંધોમાં) સામાન્યતા પુનઃસ્થાપિત કરવાની ચીનની ઈચ્છા વ્યક્ત કરી અને આપણા સંબંધોના વ્યાપક મહત્વનો પણ  ઉલ્લેખ કર્યો. મેં એમ પણ કહ્યું કે ભારત સ્થિર અને અપેક્ષિત સંબંધો ઇચ્છે છે, પરંતુ સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપના માટે કુદરતી રીતે શાંતિ અને સુલેહ પુનઃસ્થાપિત કરવી જરૂરી છે.

આ પણ વાંચો :  Yogi Cabinet 2.0: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બોલાવી મંત્રી પરિષદની પ્રથમ બેઠક, તમામ નવા મંત્રીઓએ આપી હાજરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">