India Air Attake in Pakistan : ઑપરેશન સિંદૂર બાદ ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેનું મોટું નિવેદન આવ્યું સામે…હવે શું થશે?

Picture abhi baki hai: ભારત દ્વારા Air Strike રૂપે બદલાની કાર્યવાહીને લઈને સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. લોકો ઉજવણી કરી રહ્યા છે. આ બદલાની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા, ભૂતપૂર્વ સેના ચીફ મનોજ મુકુંદ નરવણેએ એક મોટું નિવેદન આપ્યું છે. તેણે પોસ્ટ પર લખ્યું- પિક્ચર અભી બાકી હૈ...

India Air Attake in Pakistan : ઑપરેશન સિંદૂર બાદ ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેનું મોટું નિવેદન આવ્યું સામે...હવે શું થશે?
Ex Army Chief Manoj Naravane
| Edited By: | Updated on: May 07, 2025 | 12:42 PM

પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. આ હુમલાઓમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

આ બદલાની કાર્યવાહીને લઈને સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. લોકો ઉજવણી કરી રહ્યા છે. આ બદલાની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા, ભૂતપૂર્વ સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ એક મોટું નિવેદન આપ્યું છે. તેણે પોસ્ટ પર લખ્યું- પિક્ચર અભી બાકી હૈ…

આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી આપી દીધો જવાબ

તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકવાદી હુમલાનો જોરદાર જવાબ આપતા ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા હતા, જેમાં આતંકવાદી જૂથો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ગઢનો પણ સમાવેશ થાય છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ આ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી હતી. પહેલગામ હુમલામાં 26 નાગરિકો માર્યા ગયા હતા.

જુઓ પોસ્ટ…..

રક્ષા મંત્રાલયે રાત્રે 1.44 વાગ્યે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “થોડા સમય પહેલા, ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખા પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવતું હતું.”

ભારત તરફથી નિવેદન

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ભારતીય મિસાઇલ હુમલાઓને “યુદ્ધનું કૃત્ય” ગણાવ્યું અને કહ્યું કે તેમના દેશને “યોગ્ય જવાબ” આપવાનો સંપૂર્ણ અધિકાર છે. ભારત તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કોઈ પણ પાકિસ્તાની લશ્કરી જગ્યાને નિશાન બનાવવામાં આવ્યા નથી. ભારતે લક્ષ્યોની પસંદગી અને અમલની રીતમાં ખૂબ જ સંયમ દાખવ્યો છે.”

તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સશસ્ત્ર દળોની કાર્યવાહી “કેન્દ્રિત અને માપેલી” હતી, જ્યારે વધુ ન વધે તેની કાળજી લેવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે નવ સ્થળો પરના હુમલા સફળ રહ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ “ઓપરેશન સિંદૂર” પર નજીકથી નજર રાખી હતી.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક વિશે વધારે માહિતી માટે આ પેજને ફોલો કરતા રહો. અહીં ક્લિક કરો.