અજબ ગજબ : એક પ્રેમી સાથે બે પ્રેમિકાઓ લગ્નબંધનમાં બંધાઇ, પ્રેમિકાઓ પોતાની પુત્રીઓ સાથે લગ્નચોરીમાં બેઠી

|

Jun 11, 2022 | 12:19 PM

એક યુવકે તેની બે પ્રેમિકાની (Brides)સાથે લગ્ન કર્યા, અને, એ પણ એક જ મંડપમાં લગ્ન કર્યા. આ કિસ્સામાં રસપ્રદ કહાની એ છે કે આ લગ્નપ્રસંગમાં વરરાજા બે બાળકનો પિતા છે.

અજબ ગજબ : એક પ્રેમી સાથે બે પ્રેમિકાઓ લગ્નબંધનમાં બંધાઇ, પ્રેમિકાઓ પોતાની પુત્રીઓ સાથે લગ્નચોરીમાં બેઠી
એક વર, બે વરવધૂ, એક અનોખા લગ્ન

Follow us on

કયારેક-કયારેક સમાજમાં એવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છેકે જેને સાંભળીને તમને નવાઇ લાગશે. વાત છે છત્તીસગઢના (Chhattisgarh) કોંડાગાવની, અહીં, એક લગ્ન (Marriage)ચર્ચાની એરણે છે. આ ગામમાં એક અનોખા લગ્ન થયા હતા. એક યુવકે તેની બે પ્રેમિકાની (Brides)સાથે લગ્ન કર્યા, અને, એ પણ એક જ મંડપમાં લગ્ન કર્યા. આ કિસ્સામાં રસપ્રદ કહાની એ છે કે આ લગ્નપ્રસંગમાં વરરાજા બે બાળકનો પિતા છે. વરરાજાને તેણી બંને પ્રેમિકાઓને એક-એક સંતાન પણ છે. આ લગ્નમાં બંને વરકન્યાઓ તેના સંતાનો સાથે લગ્નમાં પહોંચી હતી.

શું છે આ પ્રેમલગ્નની અનોખી કહાની

તમને આ કિસ્સામાં ચોક્કસ એ સવાલ થશે કે બંને પ્રેમિકાઓને સંતાનો કેવી રીતે થયા હતા. વાત જાણે એમ છેકે છત્તીસગઢના આડેંગાની રહેવાસી દુર્ગેશ્વરીના પરિવારના સભ્યોએ તેમના જ ગામમાં રહેતા રજનસિંહ સલામ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ બાદ બંનેની રાજીખુશીથી સગાઇ થઈ હતી. સગાઇ બાદ દુર્ગેશ્વરી રહેવા માટે રજનસિંહના ઘરે આવી ગઇ હતી. આ બાદ બંનેના સંબંધો થકી થોડા સમય બાદ એક પુત્રીને જન્મ આપ્યો હતો. હવે આ કહાનીમાં ફિલ્મી વાર્તા જેવો ટિવસ્ટ આવ્યો હતો. હવે સજનસિંહના જીવનમાં એક નવી કન્યાનો ઉમેરો થયો . અને, રજનસિંહને આંવરી સન્નો બાઈ ગોટા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. અને, બીજી યુવતી સાથેના પ્રેમસંબંધમાં પણ તે એક પુત્રીનો પિતા બની ગયો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

બંને યુવતીએ સમાજની રજા સાથે લગ્ન કર્યા

રજનસિંહ અને સન્નોનો પ્રેમ એટલો આગળ વધી ગયો કે તે ગર્ભવતી થઈ ગઈ હતી. તેણે પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ પ્રેમસંબંધની જ્યારે ગામ લોકોને જાણ થઈ ત્યારે સમાજમાં ખરાબ વાતો વહેતી થઇ હતી. આ અંગે રજનસિંહે પરિવાર સાથે વાત કરી હતી. સમાજની બેઠક થઈ અને બંને યુવતીએ રજનસિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એકબીજા સાથે કોઈ જ વાંધો નહોતો. પછીથી સમાજની રજા લઈને રજનસિંહે બંને યુવતીઓ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

લગ્નની કંકોત્રીમાં બંને યુવતીનાં નામ લખવામાં આવ્યાં હતાં

આદિવાસી સમાજના ઉપાધ્યક્ષ સોનુરામ મંડવીએ કહ્યું હતું કે સમાજ અને પરિવારની રજા પછી લગ્નની કંકોત્રી છપાઈ હતી. એમાં બંને યુવતીઓનાં નામ લખવામાં આવ્યાં હતાં. આ લગ્નમાં ઉમલા સહિત આસપાસના 500થી 600 લોકો આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.

Published On - 12:13 pm, Sat, 11 June 22

Next Article